ક્રાઇમ
રાજકોટના શખ્સ અને સ્વામીએ 3.22 કરોડની રોકડી કરી લીધી
કચ્છના રેવા ગામમાં મંદિર બનાવવા જમીન ખરીદવાના નામે આણંદના વેપારીને શીશામાં ઉતારી ઠગાઇનો ફુલપ્રુફ પ્લાન પાર પાડ્યો
આણંદના બિલ્ડર અને તેના ભાગીદારોને કચ્છના રેવા ગામની 160 એકર જમીનમાં રોકાણ કરી નાણા કમાવવાની લાલચ આપી ચિખોદરાના વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી અને રાજકોટના શખ્સે રૂૂ.3.22 કરોડની છેતરપિંડી આચરી હોવાની આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદના જીગરકુમાર સુરેશભાઈ પટેલ ભાગીદારો સાથે મળી ક્ધસ્ટ્રક્શન તથા જમીન ડેવલોપીંગનું કામકાજ કરે છે. જૂન-2020માં આણંદમાં રહેતા મનીષ લક્ષ્મણભાઈ ઠક્કરે તેમને જમીનમાં ઈન્વેસ્ટ કરવું હોય તો સ્વામીજીનો સંપર્ક કરાવું તેમ કહ્યું હતું અને ત્રણેક દિવસ બાદ બે સ્વામી સાથે મનીષભાઈ જીગરભાઈની ઓફિસે ગયા હતા.
જ્યાં વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી દર્શનપ્રિયદાસે જીગરભાઈને અમારે મોટુ મંદિર બનાવવું છે. તમારી પાસે કોઈ સારી જગ્યા હોય તો બતાવો તથા તમારે કોઈ બીજી સારી જગ્યાએ રોકાણ કરવું હોય તો પણ કરી શકો છો. અમે પાછળથી તમને પુરતા નાણાં આપી જગ્યા તમારી પાસેથી લઈ લઈશું તેવી વાત કરી હતી. જુન-2020ના અંતમાં સ્વામી દર્શનપ્રિયદાસ, મનીષ અને ડાકોરના દલાલ જે.કી. રામી દ્વારા ઠાસરા તાલુકાના સુઈ ગામની જમીન બતાવી હતી.
ત્યારબાદ કચ્છના અબડાસા તાલુકામાં પણ એક જમીન આવેલી છે. આ બે જગ્યામાંથી કોઈ એક જગ્યા મંદિર બનાવવા માટે અનુકુળ છે, તેમ જણાવ્યું હતું. ત્યારબાદ કચ્છની જમીન મંદિર બનાવવા માટે વધુ અનુકુળ હોવાનું જણાવી તે જમીન લેવાનું નક્કી થયું હતું. જેથી જીગરભાઈ, સ્વામી દર્શનપ્રિયદાસ અને વિક્રમસિંહ હિંમતસિંહ ડાભી અબડાસાના રેવા ગામે પહોંચ્યા હતા. જ્યાં વિક્રમસિંહે જમીન બતાવી વેચાણની વાત કરી જમીનના દસ્તાવેજી પુરાવા બતાવ્યા હતા.
પરત ફરતી વખતે રસ્તામાં સ્વામી દર્શનપ્રિયદાસે જીગરભાઈને આ જમીન સ્વામી માધવપ્રિયદાસ અને તેમની સંસ્થા મોટુ મંદિર બનાવવા માંગે છે. જો તમારે આ જમીનમાં રોકાણ કરવું હોય તો જમીન માલિક વિક્રમસિંહને આણંદ બોલાવી વધુ વાતચીત કરીએ તેમ કહ્યું હતું. જેથી જીગરભાઈએ હા પાડતા બે-ત્રણ દિવસ બાદ સ્વામી દર્શનપ્રિયદાસ અને વિક્રમસિંહ જીગરભાઈની ઓફિસે ગયા હતા અને ચર્ચાને અંતે એક એકરનો ભાવ રૂૂ.7.11 લાખ નક્કી કરી 160.47 એકર જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું.
બાદમાં સુરત ખાતે રહેતા વિવેકસાગરદાસ અને દર્શનપ્રિયદાસને મળી રેવા ગામની જમીન રાખવાનું નક્કી કરી એક એકરનો ભાવ રૂૂા.11.43 લાખ નક્કી કરાયો હતો. ત્યારબાદ ભાગીદારો સાથે વાતચીત કર્યા બાદ જમીન વેચાણ આપવાનું નક્કી કરી સ્વામી માધવપ્રિયદાસે રૂૂા.5 લાખ અને 1 રૂૂપિયો ટોકન પેટે આપ્યો હતો અને ચાર મહિનામાં પેમેન્ટ પુરુ કરવાનું નક્કી થયું હતું.
તા.20-8-2020ના રોજ વિક્રમસિંહ જીગરભાઈની ઓફિસે આવ્યા હતા અને જમીન વેચાણનું નોટરી લખાણ કરી રૂૂા.1.51 કરોડ રોકડા આપ્યા હતા. જ્યારે બાકીના રૂૂા.10-10 લાખના દસ ચેકો જીગરભાઈએ લખી આપ્યા હતા. ત્યારબાદ જુનાગઢ સ્વામિનારાયણ મંદિરે જઈ દર્શનપ્રિયદાસ અને કોઠારી સ્વામી વિવેકસાગરદાસને મળ્યા હતા.
જ્યાં ઉક્ત જમીન ખરીદી કરવા અંગે તેમણે રૂૂા.70 જીગરભાઈને આપ્યા હતા અને બાકીના નાણાં બે-ત્રણ દિવસમાં આણંદ આવીને આપી જઈશું તેવી વાત કરી હતી. જીગરભાઈને જમીનના પુરતા પૈસા મળ્યા ન હોવાથી તેમણે વિક્રમભાઈને ચેકો નહી ભરવા જણાવ્યું હોવા છતાં તેણે ચેક ભરી રીટર્ન કરાવી રૂૂા.80 લાખ ભાગીદારો પાસેથી લઈ લીધા હતા અને આમ કુલ 3.78 કરોડ રૂૂપિયા ચુકવી આપ્યા હતા જેમાંથી રૂૂા.75 લાખ મળ્યા હતા.
તે પૈકી સર્ટી મંગાવવા માટે રૂૂા.19.70 લાખનો ખર્ચ થયો હતો. જેથી બાકીના રૂૂા.3,22,70,000ની છેતરપીંડી થઈ હોવા અંગે જીગરભાઈ સુરેશભાઈ પટેલે આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિક્રમસિંહ હિંમતસિંહ ડાભી (રહે.રાજકોટ) અને સ્વામી દર્શનપ્રિયદાસ (રહે.ચિખોદરા) વિરૂૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ
સાયન્સ સિટી હિટ એન્ડ રન કેસમાં રાજકોટનો શખ્સ પોલીસમાં હાજર થયો
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે બુધવારે 15 સપ્ટેમ્બરે શહેરના સાયન્સ સિટી રોડ પર બનેલા હિટ એન્ડ રન કેસના સંદર્ભમાં રાજકોટના કોટડા સાંગાણીના 28 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી.
આરોપી જયદીપ વઘાસિયાએ બુધવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન વઘાસિયાએ જણાવ્યું હતું કે તે તેના સાળા કે જે કેન્સર સામે ઝઝૂમી રહ્યો છે તેને રાજકોટથી સોલાની ખાનગી હોસ્પિટલમાં લાવ્યો હતો. તેણે ખુલાસો કર્યો કે જ્યારે અકસ્માત થયો ત્યારે તે ઉંઘથી વંચિત હતો અને હોટલ તરફ જઈ રહ્યો હતો.
તે વ્હીલ પર સૂઈ ગયો હતો અને ગભરાટમાં, ભૂલથી બ્રેકને બદલે એક્સિલરેટરને અથડાયો હતો જ્યારે તેને ખબર પડી કે તે રાહદારીઓ સાથે અથડાઈ રહ્યો છે, તેમ ઈન્સ્પેક્ટર પી.બી. ઝાલા. આત્મસમર્પણ કરતા પહેલા વઘાસિયાએ તેમના સાળાને રજા આપી હતી અને તેમને અને તેમની બહેનને રાજકોટ પરત મોકલી દીધા હતા.રણજીતસિંહ ભલગરિયા દ્વારા દાખલ કરવામાં આવેલી ઋઈંછમાં ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમનો પરિવાર અકસ્માતમાં સામેલ હતો. રણજીતસિંહની પત્ની જીવુને માથા અને પીઠના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે પુત્ર પ્રિતરાજને માથા, પેટ, છાતી અને હાથપગના ભાગે ઈજાઓ થઈ હતી. પોલીસે નોંધ્યું છે કે પીડિતો તબીબી સંભાળ હેઠળ સારી રીતે સ્વસ્થ થઈ રહ્યા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પીડમાં આવતી કાર માતા-પુત્રને ટક્કર મારતી જોવા મળી રહી છે.
ક્રાઇમ
શહેરમાં બે સ્થળે પીસીબીના બીજા દિવસે દરોડા : 62 હજારના દેશી દારૂ સાથે પકડાયા
શહેરમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબી ધોંષ બોલાવી રહી છે સતત બીજા દિવસે પીસીબીએ રાજકોટ શહેરની ભાગોળે સાતળા ગામ અને લોઠડા ગામમાં દરોડા પાડીને 62 હજારની કિંમતના દેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે બે સપ્લાયરોના નામ ખોલ્યા છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ સક્રિય થયેલી પીસીબી બ્રાંચ દારૂ અને જુગારના હાટડાઓ બંધ કરાવવા માટે સતત કાર્યશીલ બની રહી છે. ગઈકાલે દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોંષ બોલાવ્યા બાદ બીજા દિવસે દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડા પાડયા હતાં. જેમાં સાતળા ગામની સીમમાં મારૂતિ સ્વીફટ કાર નં.જીજે.10.એપી.353માં દેશી દારૂનો જથ્થો લઈને નીકળેલા ખોખડદળ પાસે મફતીયાપરામાં રહેતા અનકુ ભીખુભાઈ ચાવડાને 30 હજારની કિંમતના 150 લીટર દેશી દારૂ અને કાર સહિત રૂા.2.35 લાખના મુદ્ધામાલ સાથે ઝડપી લઈ પુછપરછમાં સપ્લાયર ખાટડી ગામના શિવરાજ બહાદુર ખાચરનું નામ ખોલ્યું છે. બીજા દરોડામાં લોઠડા જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડીને રૂા.32 હજારની કિંમતના 160 લીટર દેશી દારૂ સાથે રસુલપરામાં બબલુ રસુલ શેખ અને હુસેન ગુલમહમદ અંસારીની ધરપકડ કરી રૂા.32000ની કિંમતનો 160 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. આ દારૂનો જથ્થો કોઠારીયા સોલવન્ટ પાસે રહેૈતા ઈમરાન જુસબ હાલાએ સપ્લાય કર્યાનું ખુલ્યું હતું.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલીયા સાથે પીએસઆઈ એમ.જે.હુંણ તથા પીએસઆઈ પી.બી.ત્રાજીયા અને તેમની ટીમે આ સતત બીજા દિવસે દરોડાની કામગીરી કરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય13 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો