Connect with us

ગુજરાત

રેફ્યુજી કોલોનીવાળી જમીન ઉપર બનશે મેડિકલ હોસ્ટેલ

Published

on

રાજકોટ સૌરાષ્ટ્રનું હબ ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રભરમાંથી તેમજ ગુજરાતના અન્ય શહેરોમાંથી પણ વિદ્યાથીર્ર્ઓ મેડીકલના અભ્યાસ માટે રાજકોટ મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવી રહ્યાં છે. મેડીકલ કોલેજમાં વર્તમાન સમયમાં સિટો વધારવામાં આવી છે જેનાથી વિદ્યાર્થીઓના પ્રવેશ વધ્યા છે. પ્રવેશ વધતાં હોસ્ટેલની સુવિધાની જરૂરીયાત હોવાથી જામનગર રોડ પર આવેલી રેફયુજી કોલોનીની જમીન પર ટાઉનશીપ જેવી હોસ્ટેલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.


રાજકોટ કલેકટરે જણાવ્યું હતું કે, રાજકોટ મેડીકલ કોલેજ દ્વારા હોસ્ટેલની સુવિધા વધારવા માટે જમીનની માંગણી કરવામાં આવી હતી. તે અરજીને માન્ય રાખીને જામનગર રોડ પર આવેલી રેફયુજી કોલોની તાજેતરમાં જ જર્જરીત હોવાના કારણે ખાલી કરાવવામાં આવી હતી. આ ખાલી કરાવાયેલી જમીનમાં મેડીકલ કોલેજને હોસ્ટેલ બનાવવા માટે જમીન ફાળવવામાં આવી છે. રેફયુજી કોલોનીની 38200 ચો.મી.જમીન ઉપર ટાઉનશીપ જેવી હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. હોસ્ટેલ માટે વહીવટી તંત્ર દ્વારા જમીન સોંપી દેવામાં આવી છે.


વધુમાં જણાવ્યું હતું કે, આ મેડીકલ હોસ્ટેલ એક ટાઉનશીપ જેવી બનાવવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને ગાર્ડન, રમતગમત, કલબ હાઉસ જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવશે. ટૂંક સમયમાં જ મેડીકલ હોસ્ટેલનો પ્લાન મંજુર કરી દેવામાં આવશે અને તેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ તેની પર બાંધકામ શરૂ કરવામાં આવશે અને મેડીકલના અભ્યાસ અર્થે આવતાં વિદ્યાર્થીઓની રહેવા માટેની સુવિધાઓમાં વધારો થશે.રાજકોટ મેડીકલ કોલેજમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા મેડીકલની સીટોમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારાથી રાજકોટ મેડીકલ કોલેજમાં પણ પ્રવેશમાં ધસારો જોવા મળી રહ્યો છે. જુની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં તેઓને નવી હોસ્ટેલ ફાળવવામાં આવશે જેમાં તમામના પ્રવેશ આપવામાં આવશે. હોસ્ટેલની સુવિધા વધતાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટેનું સારૂએવું વાતાવરણ પણ મળી રહેશે.

લોકમેળાનો પ્લાન સાંજ સુધીમાં મંજૂર કરાશે
રેસકોર્ષ મેદાનમાં જન્માષ્ટમી નિમિત્તે લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો પ્લાન આજે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે તેવું કલેકટરે જણાવ્યું હતું. પ્લાન મંજુર થયા બાદ તા.3 ઓગસ્ટનાં રોજ સ્ટોલની હરરાજી કરવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર સુરક્ષાને લઈને નિયમો કડક કરવામાં આવ્યા હતાં. ગત વર્ષ કરતાં 50 ટકા જેટલો સ્ટોલમાં ઘટાડો કરાયો હતો પરંતુ ધંધાર્થીઓમાં વિરોધ અને માંગને ધ્યાનમાં રાખીને 20 ટકા ઘટાડો ઓછો કરી 30 ટકા કરાયો છે. ગત વર્ષે 355 સ્ટોલો હતાં જેની સામે આ વર્ષે 215 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. લોકો પાસે મેળાના નામ અંગે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 300 થી વધુ અરજીઓ આવી છે. આગામી અઠવાડિયામાં મેળાના નામની પણ જાહેરાત કરવામાં આવશે તેવું કલેકટર તંત્રએ જણાવ્યું હતું.

ઉપલેટાના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોનો સરવે પૂરો, સામુહિક પેકેજની માંગ
તાજેતરમાં ઉપલેટા અને ધોરાજી પંથકમાં વરસાદી મેઘ તાંડવ સર્જયું હતું. 17 થી 18 ઈંચ ખાબકેલા વરસાદે સમગ્ર પંથકને તહેસનહેસ કરી નાખ્યું હતું. પૂરના કારણે ખેતરો ધોવાઈ ગયા હતા અને બેટમાં ફેરવાઈ ગયા હતાં કેટલાક ચેક ડેમો પણ તુટી ગયા હતાં. પારાવાર નુકસાન થતા રાજકોટ કલેકટર દ્વારા નુકસાનીના સર્વે કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં 17 જેટલા ગામોની સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. બાકીના ગામોની સપ્તાહમાં સર્વેની કામગીરી પૂર્ણ થશે. ત્યારબાદ સહાયની રકમ ચુકવવાની કામગીરી કરવામાં આવશે. પરંતુ ધોરાજી, ઉપલેટાના ગ્રામજનો દ્વારા વિભાગ વાઈઝ નહીં પરંતુ સામુહિક રીતે પેકેજ આપવા માટે માંગ કરવામાં આવી છે. આ અંગે કૃષિમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

Published

on

By

જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.


ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

Continue Reading

ક્રાઇમ

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

Published

on

By

કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા

Published

on

By

શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો

રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.


જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading
રાષ્ટ્રીય10 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય10 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય10 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય11 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય11 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય11 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત11 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય11 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ11 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય11 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય10 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

કચ્છ2 days ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Trending