ગુજરાત
MSMEમાં નાણાકીય જોગવાઇ વધતા રાજકોટના ઉદ્યોગોને ફાયદો
બજેટમાં છૂટછાટ મળતાં 1.32 લાખ ઉદ્યોગમાં હજારો યુવાનને રોજગારી વધશે: રાજકોટ ચેમ્બર
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતા2ામનજી દ્વારા ઈન્ટ2ીમ બજેટનો સમાવેશ ક2ી વર્ષ 2024-2પ નું સાતમું સંપર્ણુ બજેટ 2જુ ક2વામાં આવ્યું છે. જેને 2ાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સર્વાંગી વિકાસ માની આવકા2ે છે. ભા2તની અર્થવ્યવસ્થા મજબુત બની છે અને મોંઘવા2ી નિયંત્રણમાં છે. તેમજ વિક્સીત ભા2ત 2047નો 2ોડમેપ તૈયા2 ક2ાયેલ છે.
પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, માનદમંત્રી નૌતમભાઈ બા2સીયા, સહમંત્રી ઉતસવભાઈ દોશી, ટ્રેઝ22 વિનોદભાઈ કાછડીયાએ આ બજેટને આવકા2તા તમામ વર્ગોનો સમાવેશ ક2ાયેલ છે. તેમજ ગત તા.21-6-2024 ના 2ોજ દિલ્હી ખાતે નાણામંત્રીની અધ્યક્ષ્ાતામાં બજેટના સુચનો અંગેની મળેલ મિટીંગમાં રૂબરૂ ઉપસ્થિત 2હી 2ાજકોટ ચેમ્બ2 દ્વારા વિવિધ મુદાઓની માંગણી ક2ાયેલ હતી.
જેમાં થોડા ઘણાં મુદાઓનો સ્વીકા2 થયેલ છે. આ બજેટમાં ગ્રામીણ, અર્થવ્યવસ્થા, ઉદ્યોગો, આવાસ, ગ2ીબ, મહિલા, કિશાન, હાઉસીંગ લોન, મન2ેગા, કિશાનનિધિ, પ્રાકૃતિક ખેતિ ઉપ2, આ2ોગ્ય વિગે2ે પ2 ફોક્સ ક2વામાં આવેલ છે. 2ાજકોટ સૌ2ાષ્ટ્રનું હબ છે અને 2ાજકોટ શહે2માં આશ2ે 1.32 લાખ એમએસએમઇથી પથ2ાયેલ છે ત્યા2ે આ બજેટથી એમએસએમઇને ફાયદો થશે અને 2ોજગા2ીમાં પણ વધા2ો થશે. તેમજ વડાપ્રધાન ન2ેન્દ્રભાઈ મોદીના પ ટ્રીલયન ડોલ2 ઈકોનોમીના વિઝનને સાર્થક ક2વામાં 2ાજકોટ સહભાગી બનશે. આમ બજેટના વિવિધ ખાસ મુદાઓ જેમાં 9 મહત્વના સ્ત્રોતો (1) કૃષિ ઉત્પાદક્તા અને સ્થિતિસ્થાપક્તા, (2) 2ોજગા2ી અને સ્કિલ, (3) સમાવિષ્ટ માનવ સંસાધન વિકાસ અને સામાજીક ન્યાય, (4) ઉત્પાદન અને સેવાઓ, (પ) શહે2ી વિકાસ, (6) ઉર્જા સુ2ક્ષ્ાા, (7) ઈન્ફ્રસ્ટ્રકચ2, (8) નવીનતા, સંસોધન અને વિકાસ, (9) આવના2ી પેઢીમાં સુધા2ને પ્રાથમીક્તા આપવામાં આવેલ છે. એમએસએમઇ માટે નાણાંકીય પેકેજ, એમએસએમઇ કલ્સ્ટર્સ માટે સીડબીની વધુ બ્રાન્ચો ખોલાશે, સર્વિસ, મેન્યુફેકચ2ીંગ સેકટ2 માટે વિશેષ પેકેજ, 12 નવા ઈન્ડસ્ટ્રીયલ હબ બનાવાશે, િ2સર્ચ માટે 1 લાખ ક2ોડની ફાળવણી, પ્રધાનમંત્રી ગ2ીબ કલ્યાણ યોજના પ વર્ષ માટે લંબાવાઈ, કૃષિ સેકટ2 માટે 1.પ2 લાખ ક2ોડ, આગામી 2 વર્ષમાં 1 ક2ોડ ખડુતોને નેચ2 ફાર્મિંગ માટે પ્રોત્સાહન અપાશે. ગ્રામીણ વિકાસ માટે 2.66 લાખ ક2ોડ, ઈન્ફ્રાસ્ટ્રકચ2 માટે 26 હજા2 ક2ોડ, આશ2ે 4.1 ક2ોડ યુવાઓને કૌશલ્ય સક્ષ્ામ બનાવાશે, જેના માટે 2 લાખ ક2ોડની જોગવાઈ, 1 ક2ોડ યુવાનો માટે ઈન્ટર્નશિપ પ્રોગ્રામની જાહે2ાત જેમાં દ2 મહિને રૂા.પ000નું ઈન્ટર્નશીપ ભથ્થુ અને રૂા.6000 એકમ સહાય, શિક્ષ્ાણ 2ોજગા2 અને કૌશલ્ય માટે 1.48 લાખ ક2ોડની જોગવાઈ, શિક્ષ્ાણ માટે 10 લાખ સુધીની લોન સહાય, મુદ્રા લોનમાં કર્જની મર્યાદા 20 લાખ, પીએમ આવાસ યોજના અંતર્ગત 3 ક2ોડ ઘ2 બનાવાશે.
પીએમ સુર્યોદય યોજનાથી ભા2ત ચમકશે, મહિલાઓ માટે 3 લાખ ક2ોડની જોગવાઈ, પાયાના માળખાના વિકાસ માટે 11 લાખ ક2ોડની જોગવાઈ, 2ાજયોને સ્ટેમ્પ ડયુટી ઘટાડવા માટે જણાવાશે, 1 હજા2 આઈટીઆઈને અપગ્રેડ ક2ાશે. ડેટ 2ીક્વ2ી ટ્રીબ્યુનલ યોજના અમલમાં મુકાશે, સોના અને ચાંદી પ2 કસ્ટમ ડયુટી ઘટાડીને 6% ક2ાયેલ, ટેલિકોમ ઉપક2ણો પ2 કસ્ટમ ડયુટીમાં ઘટાડો, ઈન્કમટેક્ષ્ા એકટ 1961ની 6 મહિનામાં સમીક્ષ્ાા ક2ાશે, ઈન્કમટેક્ષ્ા પ્રણાલીને સ2ળ બનાવાશે, જુના ટેક્ષ્ા સ્લેબમાં કોઈ ફે2ફાન2 નહી, નવો ઈન્કમટેક્ષ્ા સ્લેબ : 0 થી 3 લાખ સુધી કોઈ ટેક્ષ્ા નહી, 3 થી 7 લાખ સુધી પ%, 7 થી 10 લાખ સુધી 10%, 10 થી 12 લાખ સુધી 1પ%, 12 થી 1પ લાખ સુધી 20%, 1પ લાખથી વધુ 30% ક2વામાં આવેલ, ઈ-કોમર્સ ઓપ2ેટ2ોને ટીડીએસમાં છુટ, કેપિટલ ગેઈન ટેક્ષ્ોશનને સ2ળ ક2ાશે, સ્ટાર્ટ અપ વધા2વા માટે એન્જલ ટેક્ષ્ા નાબુદ, વિદેશી કંપનીઓ ઉપ2 કોર્પો2ેટ ટેક્ષ્ા ઘટાડી 3પ% ક2વામાં આવેલ છે. તેમ 2ાજકોટ ચેમ્બ2ની અખબા2ી યાદીમાં જણાવેલ છે.
બજેટમાં વિવિધ ઉત્પાદનો કરતી ઈન્ડસ્ટ્રીઝને કોઈ નક્કર ફાયદો નથી
આજે રજુ થયેલ બજેટ માં જોઈએ તો વિવિધ ઉત્પાદનો બનાવતી ઇન્ડસ્ટ્રીઝને કોઈ નક્કર ફાયદો મળેલ નથી. ખતળય યોજનાઓ જાહેર થાય છે પણ તેનો અમલ નહિવત ધોરણે થતો હોય છે.આ વખતે જોઈએ તો બજેટમાં નોકરિયાત , છાત્રો અને કારીગરવર્ગ ને વધુ ફાયદો અપાયેલ છે. ઇન્ડસ્ટ્રીઝના ઉપયોગની વાત કરીએ તો સ્કિલ કારીગરોની જરૂૂરિયાત હંમેશા રહેતી હોય છે જેને અનુસંધાને આ વખતે 1000 ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટને ઉચ્ચ કક્ષાએ ઉપગ્રેડ કરશે જેથી તેમાં ભણીને નિકળનાર છાત્રો અત્યારના લેટેસ્ટ અભ્યાક્રમ દ્વારા નિપુણતા પ્રાપ્ત કરશે જે આવતા સમય માટે ળતળય ને ખુબજ ઉપયોગી થશે. અભ્યાક્રમ બદલવાની માંગ પણ ઘણા વર્ષોથી હતી તે પણ આ વર્ષે પૂર્ણ કરેલ છે. આવતા 5 વર્ષોમાં 20 લાખ નિષ્ણાત યુવાઓ તૈયાર કરવાની યોજના પણ આવકારદાયક છે. વિકસિત ભારત અનુસંધાને ળતળય ને લોન ની રકમ 10 માં થી 20 લાખ કરી તે આવકારદાયક છે. ઇનકમ ટેક્સ માં પણ ઘણા ફેરફારો આપીને તમામ વર્ગને ફાયદો કરેલ છે.
ળતળય ને કોઈ નક્કર સવલતો ના આપી . ઇન્ડસ્ટ્રીઝ ને હજુ જોઇએ તેવું પ્રોત્સાહન નથી જે ખેદજનક છે. જેટલું પ્રોત્સાહન રક્ષા ક્ષેત્ર ને મળે છે તેનું અડધું પ્રોત્સાહન જો ળતળય અને વિવિધ ઉત્પાદનકર્તાઓને મળે તો પુરા વિશ્વમાં બધીજ જગ્યાએ ચાઇનાને હંફાવી શકે તેવી આવડત ભારતના લોકો ધરાવે છે. યુવાનો પણ દેશ છોડીને પોતાની આવડતનો ઉપયોગ બીજા દેશોને આપવા માટે પ્રેરિત ના થાય અને ભારતમાંજ રહીને પોતાની આવડત મુજબ વેપાર/નોકરી કરી શકે. તેમ બજેટને આવકારતા મશીન ટુલ્સ એસોસીએશનના પ્રમુખ યોગીન છનિયારા એ જણાવ્યું હતું.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો