Connect with us

ગુજરાત

100 કરોડ સામે અડધી મિનિટમાં 495 કરોડનું ભરણું

Published

on

આજે સવારે ઇસ્યુ ખૂલતાં જ બોન્ડ લેવા પડાપડી, સોમવારે લીસ્ટિંગ થશે

રાજયની મહાનગર પાલિકાઓમાં બોન્ડ દ્વારા પૈસા મેળવવાની પહેલ કરનાર રાજકોટ મનપાને જબરો પ્રતીસાદ મળ્યો છે. આજે સવારે બોન્ડ માટે અડધી મીનીટમાં જ પાંચ ગણી રકમની બોલીઓ લાગી ગઇ હતી. આશ્ર્ચર્યજન રીતે રૂા.100 કરોડના બોન્ડ સામે અમુક સેક્ધડોમાં જ રૂા.495 કરોડની બીડ મળી ગઇ હતી. ઓછા વ્યાજદરે મનપાને 100 કરોડની રકમ આપવા માટે રોકાણકારોએ લાઇનો લગાવી હતી.


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 16-10-2024 ના રોજ ઇસ્યુ કરેલ બોન્ડ ગણતરીના જ સેક્ધડમાં સોથી નીચા વ્યાજદરે 7.90%એ 05 ગણો ભરાઈ ગયો છે. તમામ રોકાણકારોએ રાજકોટ મહાનગરપાલિકાની નાણાકીય સ્થિરતા પર વિશ્વાસ રાખી ઇસ્યુ ભરેલ છે.


જે રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટના શહેરીજનો માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય. રાજકોટ મહાનગરપાલિકાએ ‘અમૃત’ મિશન-2.0 અંતર્ગત ઇસ્યુ કરેલા રૂૂ. 100 કરોડના બોન્ડને કુલ રૂૂ.495 કરોડની કિંમતની 14 બિડ મળેલ છે.


આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ શહેરના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઇ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયા, નાયબ કમિશ્નર સી.કે. નંદણી, ચીફ એકાઉન્ટન્ટ એ.એલ. સવજિયાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024ના અંદાજપત્રમાં કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રેજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન યોજના અખછઞઝ-2.0 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાએ રજૂ કરેલ રૂૂ.344.28 કરોડની કિંમતના પ્રોજેક્ટના 35% રાજકોટ મહાનગરપાલિકાના ફાળાની રકમ ભરપાઈ કરવાના ભાગરૂૂપે રૂૂ.100 કરોડના બોન્ડ બહાર પાડવા માટે જહેમત શરૂૂ કરી હતી.

આ અંગે આજ રોજ બોન્ડ ઇસ્યુ કરવાના કામ માટે આખરી ઓપ અપાયાની સાથે ઇસ્યુ ખૂલતાં જ રોકાણકારો જાણે રાહ જોતાં હોય તેમ ઇસ્યુ 05 ગણો ભરાઈ ગયો છે. 21મી ઓક્ટોબર 2024ના રોજ આ બોન્ડનું નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થનાર છે. રાજકોટ મહાનગરપાલિકા બોન્ડ થકી કેપિટલ રેઇઝ કરવામાં સફળ થઇ હોવાથી ભારત સરકાર તરફથી રૂૂ.13 કરોડ ઇન્સેન્ટીવ મેળવવાને પણ પાત્ર બની છે.


રાજકોટ મહાનગરપાલિકાને માત્ર 7.90% ટકા વ્યાજ ચુકવીને રાજકોટ કોર્પોરેશનને રૂૂપિયા મળી રહ્યા છે. જેમાં રૂૂ.13 કરોડના કેન્દ્ર સરકારશ્રીના ઇન્સેન્ટીવ બાદ કરતા માત્ર 4.63%ના વ્યાજદર ચુકવવું પડશે. જે ફિક્સ ડીપોઝીટ કરતા પણ ઓછા વ્યાજદરે રાજકોટ મહાનગરપાલિકાને બોન્ડની રકમ મળેલ છે. આ તમામ કામગીરીમાં મર્ચન્ટ બેન્કર/અરેંજર તરીકે અ ઊં ઈફાશફિંહ જયદિશભયત કમિં. દ્વારા સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવેલ છે.

બોન્ડની રકમ ક્યાં વપરાશે?
ક્રમ પ્રોજેક્ટનું નામ પ્રોજેકટ કોસ્ટ ઇસ્યુમાથી ઉપયોગમાં પૂર્ણ થવાની
(રૂૂ કરોડમાં) લેવા પાત્ર રકમ તારીખ


1 RMC: પાણી પુરવઠા પ્રોજેક્ટ – મુંજકા વિસ્તારમાં નવા હેડવર્ક 22.11 6.00 10-09-2027
2 અમૃત 2.0 : પાણી પુરવઠા વોર્ડ નંબર -12 વિતરણ નેટવર્ક 44.54 11.00 03-09-2025
3 RMC: રૈયા વિસ્તારમાં ડ્રેનેજ શાખા જઝઙ 29.95 9.00 14-02-2026
4 અમૃત 2.0 : ગટર વ્યવસ્થા, વોર્ડ નં. 01 અને 03 ઘંટેશ્વર, 74.05 22.00 10-07-2025


રૈયાધાર, માધાપર અને મનહરપર-1
5 અમૃત 2.0 : પાણી પુરવઠા વોર્ડ નંબર – 11 વિતરણ નેટવર્ક (મોટા મવા) 71.75 19.00 06-09-2025
6 અમૃત 2.0 : પાણી પુરવઠા વોર્ડ નંબર -11 57.56 19.00 06-09-2025
7 RMC: પાણી પુરવઠો, ગુરુકુલ વિસ્તાર 32.53 11.00 01-06-2025
8 અમૃત 2.0 : પાણી પુરવઠા વોર્ડ નંબર -11 વિતરણ નેટવર્ક વોર્ડ 10 11.79 3.00 06-09-2025
કુલ 344.28 100.00

ગુજરાત

દિવાળી પહેલાં ભેટ, મધ્યાહન ભોજનના કરારી સુપરવાઈઝરને 15ને બદલે 25 હજાર પગાર

Published

on

By

વધુ 310 જગ્યાઓ પણ કરાર આધારિત ભરવામાં આવશે

દિવાળીના તહેવાર પહેલા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મધ્યાહન ભોજનમાં 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. હવે મધ્યાહન ભોજન સુપરવાઈઝરને 15 હજારની જગ્યાએ દર મહિને 25 હજાર રૂૂપિયાનો પગાર મળશે. તહેવારો પહેલા સરકારે આ જાહેરાત કરી છે.
પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરનો મહિને પગાર 15 હજારથી વધારી 25 હજાર રૂૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ વધારેલો પગાર નવેમ્બર મહિનાથી મળવા લાગશે.


રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પીએમ પોષણ (મધ્યાહન ભોજન) એમ.ડી. એમ સુપરવાઈઝરની કુલ 310 જગ્યાઓ ભરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ જગ્યાઓ 11 મહિનાના કરાર આધારિત ભરવામાં આવશે. નવી ભરતી થયેલા લોકોને પણ દર મહિને 25 હજારનું વેતન મળશે.

Continue Reading

ગુજરાત

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Published

on

By

વિવિધ સેવાઓ માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ એક જ જગ્યાએ ફરિયાદ થઈ શકશે, ફરિયાદ નોંધાવવા જતાં હવે ચાર્જ કપાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ફરિયાદ નિવારણ પદ્ધતિ(કોલ સેન્ટર)માં કરવામાં આવેલ આધુનિકરણનું લોન્ચિંગ કાર્યક્રમ આજ તા.16/10/2024, બુધવાર સવારે 10:30 કલાકે અમીન માર્ગ સિવિક સેન્ટર, અમીન માર્ગખાતે યોજાયો.

ભારત સરકારના Ministry of Communication Information Technology“p Department Of Teleco mmunications (DOT દ્વારા ભારતની તમામ મહાનગર પાલિકાઓની વિવિધ સેવાઓ અંગેની ફરિયાદ માટે અલગ અલગ નંબરને બદલે તમામ ફરિયાદની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્વારા કરી શકાય તેવી વ્યવસ્થા શરૂૂ કરવામાં આવેલ છે. આ માટે 155304 નંબરનો શોર્ટ કોડ અમલમાં મુકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનો અમલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. હાલમાં કોલ સેન્ટરના નંબર 0281-2450077 તેમજ ટોલ-ફ્રી નંબર 1800-123-1973ના સ્થાને શોર્ટ કોર્ડ નંબર 155304 પરથી લોકો પોતાની મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો નોંધાવી શકશે આ નંબર 155304ને ઈફયિંલજ્ઞિુ1 નંબર તરીકે જાહેર કરવામાં આવેલ છે આથી તમામ ટેલિકોમ ઓપરેટરોને ફરજીયાતપણે આ સર્વિસ પ્રોવાઈડ કરવાની રહેશે. તેમજ – અન-રીસ્ટ્રીકટેડ સર્વિસ જે જઝઉ ઈજ્ઞમય પર પણ અવેલેબલ થશે.


આ ઉપરાંત કોલ સેન્ટરની હાલની સેવાઓને રાજકોટ મહાનગરપાલિકાના પોતાના ડાર્ક ફાયબર દ્વારા (10 ઞતયિ જઈંઙ કશક્ષય) મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન સર્વર સાથે કનેક્ટ કરવામાં આવેલ છે. આથી લોકોને રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓ અંગેની પોતાની ફરિયાદો નોંધાવવામાં સરળતા રહેશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ, મોબાઈલ એપ તેમજ વોટ્સએપ ચેટબોટ દ્વારા પણ લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે.


આમ, હવેથી મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો લોકો 0281-245007 અને 1800-123-1973 ને બદલે એક જ શોર્ટ કોડ 155304 નંબર ડાયલ કરી, સરળતાથી નોંધાવી શકશે. જો કે, આ નંબર ટોલફ્રી ન હોવાથી નાગરિકોના ફોનમાંથી ચાર્જ કપાશે.

અગાઉના નંબર 0281-245007 અને 1800-123-1973ની સેવા બંધ કરાશે

રાજકોટ મનપા દ્વારા નવો કમ્પ્લેઈન નંબર જાહેર કરાતા અગાઉ ફરિયાદ નોંધાવા માટે વપરાતા નંબર 0281-245007 અને ટોલફ્રી નંબર 1800-123-1973ની જગ્યાએ લોકોએ હવે 155304 નંબર પર ફરિયાદ નોંધાવી પડશે અગાઉના બંને નંબરની જગ્યાએ હવે એક જ નંબર પર રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિભાગની સેવાઓ અંગેની ફરિયાદ નોંધાવી શકાશે.

Continue Reading

ગુજરાત

શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં

Published

on

By

આયોજકો તંત્ર સામે લડી લેવાના મૂડમાં: અરજીના 15 દિવસ બાદ પણ જવાબ નહીં મળ્યો હોવાના આક્ષેપ

દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જિલ્લા નારી સુરક્ષા સમિતી દ્વારા શેઠ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ રાજકોટ મનપા અને હાઇસ્કુલના મેનેજમેન્ટ દ્વારા ગ્રાઉન્ડ બાબતે કોઇ જવાબ નહીં આપતા આયોજકો દ્વારા આજે સાંજે ધરણા કરી અને વિરોધ પ્રદર્શન કરી માતાજીની આરતી કરાશે.


આ અંગે આયોજક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, પૂર્વ સૈનિક નટુભા ઝાલા, નલીનભાઇ ચૌહાણ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિના પ્રમુખ હેમાબેન કક્કડ, લીગલ એડવાઇઝર ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા 24 વર્ષથી શરદ પૂર્ણિમાએ આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે 15 દિવસ અગાઉ ગ્રાઉન્ડ માટેની અરજી કરવા છતા પણ મહાપાલિકા અને હાઇસ્કુલના મેનેજમેન્ટ દ્વારા મંજુરી માટે કોઇ જાણ કરવામાં આવી નથી. અનેક વખત જાણકારી માંગવા છતા પણ જવાબ આપવામાં આવતો નથી અને અરજીની પ્રક્રીયા કેટલે પહોંચી તે અંગે પણ જણાવવામાં આવતું નથી.


કોર્પોરેશન દ્વારા અર્વાચીન ગરબા માટે ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવે છે કોઇ ચોકકસ સમાજને આપો છો ત્યારે અમે લોકો સર્વે સમાજની દિકરીઓ અને બહેનો માટે આયોજન કરીએ છીએ. તેમાં પણ તંત્ર દ્વારા રોડા નાખવામાં આવે છે. આવતીકાલે શરદોત્સવ હોય અમને હજુ સુધી ગ્રાઉન્ડ ફાળવવા બાબતે કોઇ જવાબ આપવામાં આવ્યો નથી જેથી અમારા આયોજન અંગે પણ મુંઝવણ ઉભી થાય છે. છતા પણ અમે આજે સાંજે હાઇસ્કુલ ખાતે તંત્રની તાનાશાહી સામે ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને માતાજીની આરતી પણ કરાશે.
વધુમાં આયોજકોએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી ધક્કા ખાવા છતા પણ મનપા અને હાઇસ્કુલના સતાધીશો દ્વારા કોઇપણ જાતનો જવાબ આપવામાં આવ્યો નથી અને અરજીની પ્રક્રીયા અંગે પણ માહિતી આપવામાં આવતી નહી હોવાથી આ પ્રશ્ન આગામી દિવસોમાં મુખ્યમંત્રી દ્વારા યોજાનાર સ્વાગત કાર્યક્રમમાં મુકવામાં આવશે.

Continue Reading
રાષ્ટ્રીય1 hour ago

યોગી-રાજનાથ સહિત આ VIPની સુરક્ષામાં મોટો ફેરફાર, NSG કમાન્ડોને હટાવીને CRPF તહેનાત કરવામાં આવશે

રાષ્ટ્રીય2 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

રાષ્ટ્રીય2 hours ago

3 દિવસમાં 12 ફ્લાઈટને બોમ્બની ધમકી…ફેક ઈન્ફર્મેશન આપનારને મળશે આવી સજા

મનોરંજન2 hours ago

રકુલ પ્રીત સિંહને બેલ્ટ વિના 80 કિલો વજન ઉંચકવું પડ્યું ભારે, પીઠના ભાગે પહોંચી ગંભીર ઈજા

આંતરરાષ્ટ્રીય2 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

રાષ્ટ્રીય3 hours ago

સ્પેકટ્રમ વોર, જિયો- એરટેલનો મસ્ક-બેઝોસ સામે ખુલ્લો વિરોધ

ગુજરાત3 hours ago

દિવાળી પહેલાં ભેટ, મધ્યાહન ભોજનના કરારી સુપરવાઈઝરને 15ને બદલે 25 હજાર પગાર

રાષ્ટ્રીય3 hours ago

દિવાળી 31 ઓક્ટોબરે ઉજવાશે, ધાર્મિક સભામાં લેવાયો નિર્ણય

ગુજરાત3 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

રાષ્ટ્રીય3 hours ago

નશાબંધી રાજ્ય બિહારમાં લઠ્ઠાકાંડ સાતથી વધુ મોત, 12 ગંભીર

ક્રાઇમ1 day ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

આંતરરાષ્ટ્રીય1 day ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ગુજરાત1 day ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત1 day ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

ગુજરાત1 day ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

ગુજરાત1 day ago

ત્રણેય ઝોનમાં 84 આસામી પાસેથી 12.74 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

આંતરરાષ્ટ્રીય1 day ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

આંતરરાષ્ટ્રીય1 day ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય1 day ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત1 day ago

ટેક્સટાઈલ યુનિટ સ્થાપવા 35 ટકા સુધી સબસિડી

Trending