થાનગઢના તરણેતરમાં ચાલી રહેલા ભાતીગળ લોકમેળામાં પાણીનો બોટલનો ઘા કરવા પ્રશ્ર્ને વાંકાનેરના યુવાન ઉપર બે શખ્સોએ ધોકા વડ હુમલો કરી માર મારતા તેને ઇજા ગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં વિછીપરા વિસ્તારમાં રહેતો જીતેન્દ્ર જેઠાભાઇ ધામેચા (ઉ.વ.45)નામનો યુવાન આજે વહેલી સવારે પરિવાર સાથે તરણેતરનો મેળો કરવા ગયો હતો. દરમિયાન મેળામાં ફરતો હતો ત્યારે કોઇએ પાણીનો બોટલનો ઘા કર્યો હયો.
જેથી તેણે પાણીની બોટલ કોણે ફેંકી તેમ પૂછતા આરોપી સુમિત અને મોગલે ઝઘડો કરી લાકડાના ધોકા વડે હુમલો કરી મારમારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાોં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રૂખડીયાપરામાં યુવાનને માર માર્યો રૂખડીયાપરામા આંગણવાડી પાસે રહેતો અવેઝ રજાકભાઇ શેખ (ઉ.વ.22)નામનો યુવાન આજે સવારે ઘર પાસે હતો ત્યારે સલીમ અને રહેમાને ઝઘડો કરી લાકડી વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
