Connect with us

આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ-લેબનોન વચ્ચે તોળાતું યુધ્ધ, અનેક દેશોએ નાગરિકોને પરત બોલાવ્યા

Published

on

હિઝબુલ્લાહના હુમલામાં 12 બાળકોના મોત બાદ નેતન્યાહુ અમેેરિકાનો પ્રવાસ ટૂંકાવી ઇઝરાયલ પહોંચ્યા, કેબિનેટે લશ્કરી કાર્યવાહીની તમામ સત્તા આપી દેતાં વધુ એક પૂર્ણ યુધ્ધના ભણકારા

પેલેસ્ટાઇન સાથે યુધ્ધ લડી રહેલા ઇઝરાયલ ઉપર લેબનોન સમર્થિત ત્રાસવાદી સંગઠન હિઝબુલ્લાના લડાકુઓએ ફુટબોલ રમી હેલા બાળકો ઉપર રોકેટ છોડી છેલ્લા દસ વર્ષનો સૌથી મોટો હુમલો કરતા 12 બાળકોના મોત નિપજયા હતા. આ હુમલા બાદ ઉશ્કેરાયેલું ઇઝરાયલ વધુ એક યુધ્ધ મોરચો ખોલી લેબનોન ઉપર હુમલો કરવાની તૈયારીમાં હોવાથી અમેરિકા સહીત નાટોના દેશો ઉપરાંત 9 નોન નાટો દેશોએ પોતાના નાગરિકોને તુરત જ લેબનોન છોડી દેવા ચેતવણી આપી છે. અને પ્રવાસ પણ નહીં કરવા જણાવ્યું છે.


બીજી તરફ ઇઝરાયલ ઉપર કરેલા આ ભિષણ હુમલાની જવાબદારીથી હિઝબુલ્લાએ હાથ ખંખેર્યા છે અને પોતે હુમલો નહીં કર્યાનું જણાવ્યું છે. અમેરિકાથી પરત ફરેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટને કેબીનેટે રવિવારે જ લેબનોન ઉપર લશ્કરી કાર્યવાહીની સતા આપી દીધી છે.
ઈરાન સમર્થક આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે છેલ્લા 10 મહિનામાં ઈઝરાયલ પર સૌથી મોટો હુમલો કર્યો છે. આતંકવાદી સંગઠને શનિવારે ગોલાન હાઇટ્સના ફૂટબોલ ગ્રાઉન્ડ પર લેબનોનથી રોકેટ છોડ્યાં હતાં. આ હુમલામાં 12 લોકોના મોત થયા છે, જ્યારે 30 જેટલા લોકો ઘાયલ થયા છે.


અમેરિકાના પ્રવાસે ગયેલા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હુમલાની માહિતી મળતાં જ તરત જ પરત ફર્યા હતા. હિઝબુલ્લાહે શરૂૂઆતમાં હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જોકે, થોડા સમય બાદ તેણે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું. ઈઝરાયલના સૈન્ય IDF એ કહ્યું છે કે, આ હુમલો ફલક-1 રોકેટથી કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ માત્ર હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવે છે.


ઈઝરાયલના વિદેશ મંત્રી કાત્ઝે કહ્યું કે, હવે તેમાં કોઈ શંકા નથી કે હિઝબુલ્લાહે તમામ હદો પાર કરી દીધી છે. અમે ચોક્કસપણે આનો જવાબ આપીશું. અમે આતંકવાદી સંગઠન સાથે યુદ્ધની શરૂૂઆતની ખૂબ નજીક છીએ.
હિઝબુલ્લાહના આ હુમલા બાદ બંને વચ્ચે સંઘર્ષનું જોખમ વધી ગયું છે. હકીકતમાં, ઈઝરાયલ અને હિઝબુલ્લાહ છેલ્લા કેટલાક સમયથી સતત એકબીજા પર હુમલા કરી રહ્યા છે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે કહ્યું કે, તેઓ લેબનોનને પાષાણ યુગમાં મોકલી શકે છે.


આ સાથે જ હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહે ઈઝરાયલના એરપોર્ટ અને સાયપ્રસ પર હુમલાની ધમકી આપી છે. હિઝબુલ્લાહના ડેપ્યુટી ચીફ શેખ નઈમ કાસિમે કહ્યું હતું કે, લેબનોન-ઈઝરાયલ બોર્ડર પર બંને વચ્ચે દુશ્મની વધી રહી છે. જો ઈઝરાયલી દળો લેબનોન પહોંચે છે, તો અમે તેની સરહદોની અંદર વિનાશ મચાવીશું.

અમારા હૃદય તૂટી ગયા છે, હિઝબુલ્લાહએ મોટી કિંમત ચૂકવવી પડશે: નેતન્યાહુ
હિઝબુલ્લાહના લડાકુઓ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા ભીષણ હુમલામાં 12 બાળકોના મોત થયા છે અને 37 કરતાં વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને લીધે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ હિઝબુલ્લાને જવાબદાર ઠરાવ્યું છે. આ સાથે જ તેમણે ચેતવણી આપી છે કે હિઝબુલ્લાએ મોટી કિંમત ચુકવવી પડશે. તેમણે કહ્યું કે ઈઝરાયેલના નાગરિકો, તમારી જેમ હું પણ હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા આ જીવલેણ હુમલા બાદની ભયાનક તસવીરો જોઈને સ્તબ્ધ છું. પ્રધાનમંત્રી નેતન્યાહૂએ વધુમાં કહ્યું કે આ દ્રશ્યો જોઈને અમારા સૌના હૃદય તૂટી ગયા છે. અમે આ મુશ્કેલ ઘડીમાં મુશ્કેલ ઘડીમાં તેમના પરિવારો સાથે છીએ.

આંતરરાષ્ટ્રીય

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

Published

on

By

અમેરિકાની એક અદાલતે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં ભારત સરકારને સમન્સ મોકલયું છે. ન્યૂયોર્કના દક્ષિણી જિલ્લાની જિલ્લા અદાલતે આ સમન્સ ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ પર જારી કર્યા છે. આ સમન્સમાં તમામ પક્ષકારોને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના કેસમાં અમેરિકી કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સ પર ભારતે પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકી કોર્ટના સમન્સ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને ચિંતાજનક ગણાવ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, ‘આ મામલો સંપૂર્ણપણે અયોગ્ય અને સરકારની નીતિ વિરુદ્ધ છે. અમે આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. ઉચ્ચ સ્તરીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે અને તમામ પાસાઓ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, ‘આ આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણો છે. આ કેસ કોઈપણ રીતે અમારો અભિપ્રાય બદલશે નહીં. આ કેસ દાખલ કરનાર વ્યક્તિ ગેરકાયદેસર સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ મુદ્દો પહેલીવાર અમારા ધ્યાન પર આવ્યો ત્યારે અમે પગલાં લીધાં. પન્નુ, કટ્ટરપંથી શીખ્સ ફોર જસ્ટિસના વડા, ભારતીય નેતાઓ અને સંસ્થાઓ સામે ભડકાઉ ભાષણો અને ધમકીઓ આપવા માટે જાણીતા છે.

કઈ કોર્ટમાં કેસ છે?

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ન્યૂયોર્કની સધર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જો કે આ વિવાદ વચ્ચે ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે આ બાબતથી ભારત-અમેરિકાના સંબંધો પર કોઈ અસર નહીં થાય.

શું છે મામલો?

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં અમેરિકન કોર્ટે ભારતને સમન્સ જારી કર્યું છે. આ સમન્સમાં ભારત સરકાર સહિત અનેક અગ્રણી ભારતીય અધિકારીઓના નામ સામેલ છે. ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રના આરોપમાં યુએસ કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સમાં ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ભારતીય ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ પણ છે. મહત્વની વાત એ છે કે આ તમામને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

Published

on

By

ઇરાને આરોપને ફગાવી પુરાવા જાહેર કરવા કહ્યું

અમેરિકી પ્રમુખની ચૂંટણીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે કટ્ટર મુકાબલો ચાલી રહ્યો છે. બંને વચ્ચેની છેલ્લી અને પહેલી ડિબેટ ભલે કમલા હેરિસ જીતી ગઈ હોય, પરંતુ ટ્રમ્પે હજુ સુધી પોતાની હાર સ્વીકારી નથી. તેઓ સતત અમેરિકામાં નવી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે.


આ દરમિયાન અમેરિકન ગુપ્તચર એજન્સી એફબીઆઇના દાવાએ હલચલ મચાવી દીધી છે. એજન્સી અનુસાર, ઈરાની સાયબર હેકર્સએ જો બાઈડનની ટીમને ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઇનમાંથી ચોરાયેલી બિન-જાહેર ઓનલાઈન સામગ્રી મોકલી હતી.


ઞજ ઇન્ટેલિજન્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓએ જણાવ્યું હતું કે, હેકર્સે પ્રમુખ બાઈડનની ઝુંબેશ સાથે સંકળાયેલા વ્યક્તિઓને ઇમેલ્સ મોકલ્યા હતા જેમાં ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પના અભિયાનમાંથી ચોરાયેલી બિન-જાહેર સામગ્રીના ભાગ હતા. ઉલ્લેખનીય છે કે, તે સમયે બાઈડને ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર હતા, પરંતુ જુલાઈમાં ખૂબ જ નાટકીય રીતે તેમણે ઉમેદવારી સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી અને કમલા હેરિસના નામને મંજૂરી આપી હતી.

એક નિવેદનમાં કહ્યું છે કે, જુલાઈમાં પ્રમુખ જો બાઈડનની કેમ્પેઇન ટીમ સાથે જોડાયેલા લોકોને એક અનઇચ્છનીય ઈ-મેલ મળ્યો હતો, જેમાં ઈરાની હેકર્સે ટ્રમ્પના કેમ્પેઇન સાથે સંબંધિત બિન-જાહેર ઓનલાઈન સામગ્રી મોકલી હતી. જો કે, બાઈડનની ટીમે તે ઈમેલનો જવાબ આપ્યો ન હતો. ઓગસ્ટમાં, એજન્સીએ હેક માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું હતું અને તેહરાન પર 2024ની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ઈરાને આ આરોપોને નકારી કાઢ્યા હતા.

Continue Reading

Sports

બાંગ્લાદેશના હસમ મહમૂદનો તરખાટ, 35 રન આપી ભારતની 4 વિકેટ ઉડાવી

Published

on

By

પ્રથમ ટેસ્ટ મેચમાં 54 ઓવરમાં 209 રન બનાવી ભારતે છ વિકેટ ગુમાવી

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે 3 વાગ્યા સુધીમાં 54 ઓવરમાં 209 રન બનાવીને 6 વિકેટ ગુમાવી છે. રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્ર્વિન રમી રહ્યા છે. હસન મહમુદે 13 ઓવરમાં 35 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા છ મહત્વની વિકેટ ગુમાવી છે. આ વિકેટો કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની છે. આ ચારેય વિકેટ બાંગ્લાદેશના યુવા બોલર હસન મહમૂદે લીધી છે જ્યારે લોકેશ રાહુલને મહેન્દી હસને અને જયસ્વાલને નાહિદ રાણાએ આઉટ કર્યા હતા.


હસન મહમૂદ તેની ચોથી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોણ છે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના બોલર હસન મહેમૂદ જેણે ભારતીય ક્રિકેટ ટીમને ચોંકાવી દીધા હતા. હસન મહમૂદે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને શાનદાર શરૂૂઆત અપાવી છે. ભારત સામે બોલિંગ કરતી વખતે તેને 9 ઓવરમાં 4 મોટી વિકેટ ઝડપી હતી. તેને પહેલા રોહિત શર્મા, પછી શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની વિકેટ લીધી. રોહિત શર્માએ 19 બોલમાં 6 રન, શુભમન ગિલે 8 બોલમાં 0 રન, વિરાટ કોહલીએ 6 બોલમાં 6 રન અને રિષભ પંતે 52 બોલમાં 39 રન બનાવ્યા હતા. ભારતે આ ચાર વિકેટ માત્ર 96 રનમાં ગુમાવી દીધી હતી. હસન મહમૂદે કેચ આઉટ દ્વારા ચારેય વિકેટ લીધી હતી.

Continue Reading
રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય9 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય10 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય10 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય10 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય10 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત10 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય11 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ11 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય11 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

કચ્છ1 day ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Trending