ભકિતનગર સ્ટેશન પ્લોટમા ગોડાઉન રોડ પર કલ્યાણ સોસાયટી શેરી નં.1માં રહેતી આરતી સંતોષભાઇ જાદવ (ઉવ.24) નામની પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરતીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનુ જાણવા મળ્યું છે. આજે સવારે ચા બનાવવા બાબતે પતિ સાથે ઝઘડો થતા લાગી આવવાથી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.
જયારે બીજા બનાવમાં શાપર વેરાવળમાં કારખાના રહેતી અંજલી બ્રિજેન રાજપૂત (ઉ.વ.14)નામની સગીરાએ આજે સવારે પોતના ઘરે ઓરડીમાં હતી ત્યારે માથા નાખવાની મહેંદી પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેની મોટી બહેન પ્રીંયકા સાથે કામ બાબતે બોલાચાલી થતા આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.
