ગુજરાત
મોરબીમાં દૃશ્યમ ફિલ્મ સ્ટાઇલથી યુવાનની હત્યા
રહસ્યમય રીતે ગુમ થયેલા યુવાનની હત્યાનો ભેદ ખૂલ્યો, 18 લાખ ચૂકવવા ન પડે તે માટે પૂર્વ આયોજિત પ્લાન બનાવી હત્યાને અંજામ આપ્યો
એક મહિનાથી ગુમ યુવકની મિત્રએ હત્યા કરી લાશ ખેતરમાં દાટી દીધી
મોરબીમાં દ્રશ્યમ ફીલ્મની જેમાં યુવાનની એક માસ પૂર્વે હત્યા કરી લાશને તેના જ મિત્રને દાટી દેવાના બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખી હત્યા કરનાર નામચીન શખ્સની ધરપકડ કરી છે. 18 લાખની ઉઘરાણીમાં યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. એક માસથી ગુમ યુવાનની તેના જ મિત્રે જ ગળુ દબાવી હત્યા કર્યા બાદ લાશને માણેકવાળા ગામની સીમમાં ખેતરના સેઢે દાટી દીધી હતી.
મળતી વિગતો મુજબ મોરબીમાં ટીંબડી પાટીયા પાસે જે.આર.ટ્રાન્સપોર્ટ નામની ઓફીસ ધરાવતા અને મોરબીમાં રહેતા જીતેન્દ્ર રમેશભાઇ કૈલા (ઉ.વ.34)નામનો યુવાન ગત તા.20 જૂનના રોજ મોરબીમાં નાની વાવડી રોડ પર સતનામ કોમ્પ્લેક્ષમાં ઓફીસ ધરાવતા જીતેન્દ્ર આયદાન ગજિયાની ઓફીસે પોતાના લેણા નીકળતા રૂપિયા 10 લાખ લેવા ગયા બાદ પત્ની સાથે છેલ્લે વિડીયો કોલમાં વાત કર્યા બાદ ભેદી રીતે લાપતા થયો હતો. જીતેન્દ્ર પોતાના ઘરે નહીં પહોંચતા પરિવારજનો ચિંતિંત બન્યા હતા અને આ બાબતે પોલીસમાં જીતેન્દ્રના ગુમ થયાની જાણ કરી હતી.
મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સુચનાથી એલસીબીના પી.આઇ. એમ.પી.પંડ્યા તથા સીટી એ-ડીવીઝનના પીઆઇ એચ.એ.જાડેજા અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક પરિવારજનોની પૂછપરછ અને તપાસમાં એક મહિનાથી ગુમ જીતેન્દ્ર છેલ્લે તેના મિત્ર જીતેન્દ્ર ગજિયાને મળ્યો હોય. જેથી પોલીસે જીતેન્દ્રની પૂછપરછ શરૂ કરી હતી. પરંતુ એક મહિના સુધી પોલીસને ગુમ થયેલા જીતેન્દ્ર કૈલા અંગે કોઇ મહિતી મળી ન હતી. અંતે ટેક્નીક્લ તપાસ બાદ મોરબી પોલીસે જ્યારે અગાઉ તબીબ પુત્રની હત્યામાં સંડોવાયેલા જીતેન્દ્ર ગજિયાની ઉલટ પૂછપરછ કરતા ગુમ થયેલા જીતેન્દ્ર કૈલાની હત્યા કરી લાશ માણેકવાળા પાસે ખેતરના સેઢે દાટી દિધાનું કબુલ્યું હતું. પોલીસે માણેકવાળાની સીમમાં દાફન કરાયેલી ટ્રાન્સફોટ્રની લાશને બહાર કાઢી ફોરેન્સીક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ચક્ચાર જગાવનાર હિંદી ફિલ્મ દ્રશ્યમની સ્ટોરની જેમા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય. કારણ અંગે જીતેન્દ્ર ગજિયાએ જણાવ્યું કે, મૃતક ટ્રાન્સપોટરે હત્યારા જીતેન્દ્રને 10 લાખ અને 8 લાખ એમ રૂા.18 લાખ ઉછીના આપ્યા હતા. જેની ઉઘરાણી કરતા મૃતક ટ્રાન્સપોટરને 18 લાખ રૂપિયા આપવા ન પડે તે માટે હત્યારાએ જીતેન્દ્રનું અપહરણ કરી તેને ગોંધી રાખી ગત તા.26ના રોજ તેને ગળુ દબાવી તેને મોતને ઘાટ ઉતારી અને લાશને ખેતરના સેઢે બોક્સમાં દાટી દીધી હતી.
તબીબ પુત્રની હત્યામાં સંડોવાયેલા શખ્સે પોલીસને પણ ગોટે ચડાવી
મોરબીના ટ્રાન્સપોટરની હત્યા કરનાર જીતેન્દ્ર ગજિયા એક રીઢો ગુનેગાર છે. અગાઉ તેને જેતપુરના તબીબ પુત્ર સિદ્ધાર્થ લાખાણીની હત્યા કરી લાશને જેતપુર ડીવાયએસપીના બંગલાની અગાશીમાં છૂપાવી દીધી હતી. ખંડાણી માટે તબીબ પુત્રની હત્યા કરનાર જીતેન્દ્ર ગજિયાને આજીવન કેદની સજા થઇ હોય અને 14 વર્ષ જેલમાં વીતાવ્યા બાદ તે તાજેતરમાં મુક્તા થયો હોય અને ત્યાર બાદ મોરબી રહેતો હોય. જ્યાં તેનો પરિચય જીતેન્દ્ર કૈલા થયા બાદ તેની હત્યા કરી હોય. પૂછપરછમાં એક મહિના સુધી શાતિર દિમાગ જીતેન્દ્ર ગજિયાએ પોલીસને ગોટે ચડાવી હતી. ગુમશુદા જીતેન્દ્રની ભાળ મેળવા પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પોલીસે આરોપી જીતેન્દ્રના ઓફીસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે મૃતક જીતેન્દ્ર કૈલાના કપાડ અને હેલ્મેટ પહેરીને જીતેન્દ્રનું બાઇક લઇને આરોપી નીકળ્યો હોય. જેથી જીતેન્દ્ર મોરબી છોડીને ચાલ્યો ગયો હોવાની પ્રાથમિક શંકાએ પોલીસે તે દીશામાં તપાસ શરૂ કરી હતી.બાદમાં બીજા દિવસે ગુમ થયેલા જીતેન્દ્રના મોબાઇલમાંથી પોતે સટ્ટામાં 92 લાખ હારી જતા મોરબી છોડીને જાય છે. તેવો મેસેજ કર્યો હતો. આ તમામ બાબતો ઉપર પોલીસ તપાસમાં આરોપી જીતેન્દ્રએ પોતે નિર્દોશ હોવાની વાત કરતા વિશ્ર્વાસ આવી ગયો હતો. પરંતુ અંતે પોલીસે આકરી પૂછપરછ કરતા એક મહિના બાદ આ ફિલ્મી સ્ટાઇલ હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. શાતીર દિમાગ હત્યારાએ પોલીસને પણ ગોટે ચડાવી હતી.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ