શાહીવાળી ગલી, મેઈન બજારમાં સ્થિત જાહેર મુતરડીમાં ગંભીર ઉભરાણીની સમસ્યાને કારણે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓને તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. તારીખ 30/09/2025થી આ સમસ્યા વધુ વકરી છે,જેના કારણે વેપારીઓને દુકાનોમાં બેસવું પણ મુશ્કેલ બન્યું છે.આ દુર્ગંધથી બજારનું વાતાવરણ બગડ્યું છે, જેની અસર વેપાર અને ગ્રાહકોની અવરજવર પર પણ પડી રહી છે.
આ મુદ્દે સ્થાનિક વેપારીઓએ નગરપાલિકામાં તા. 01/10/2025ના રોજ નામજોગ ફરિયાદ નોંધાવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. વેપારીઓની પ્રાથમિક અને એકમાત્ર માંગ છે કે જાહેર મુતરડીની નિયમિત અને દરરોજ સફાઈ કરવામાં આવે, જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે. વેપારીઓ સાવરકુંડલા નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે આ મુદ્દે તાત્કાલિક અને અસરકારક પગલાં લઈને જાહેર મુતરડીની સફાઈની વ્યવસ્થા નિયમિત કરવામાં આવે, જેથી વેપારીઓ અને નાગરિકોને રાહત મળે.
