કચ્છ
કચ્છમાં લવજેહાદનું પ્રમાણ વધ્યું, 7 માસમાં 21 સગીરાના અપહરણ
14 સગીરાને પરત લાવવામાં પોલીસ સફળ, જુલાઇ મહિનામા ચાર સગીરા અને પાંચ મહિલાને ઉપાડી જવાઇ
ગુજરાત રાજ્ય ભરમાં લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે. તેની સાથે કચ્છમાં પણ વિધમઓ દ્વારા સગીર ક્ધયાનોનું અપહરણ કરવાના બનાવો ખુબ પ્રમાણમાં વધ્યા છે. છેલ્લા સાત માસમાં જ પશ્ચિમ કચ્છમાંથી 21 સગીરાઓના અપહરણ કરાયાના કિસ્સોઓ પોલીસ ચોપડે ચડયા છે. જો કે, જે પૈકી 14 સગીરાને પરત લઇ આવવામાં પોલીસને સફળતા મળી છે. તો, માત્ર જુલાઇ માસમાં ચાર સગીરા સહિત પાંચ મહિલાઓના અપહરણ થયા હતા. જે પૈકી પાંચ સગીરાઓને આરોપીઓના ચુંગલમાંથી પોલીસે છોડાવીને ભોગબનારને તેના વાલીઓને સોંપી સરાહનીય કામગીરી કરી છે.
સગીર ક્ધયાના લચાવી ફોસલાવી અપહરણ કર્યા બાદ દુષ્ક્મ કરવાના કિસ્સોઓ વધી જતાં અને તેમાય વિધમ યુવકો દ્વારા સગીરાને ફાસાવાઇ હોવાનું સામે આવતાં આ દુષ્ણને અટકાવવા પશ્ચિમ કચ્છ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સઘન તપાસ તેજ કરી હતી. જેમાં ભુજ, માંડવી, માધાપર, નખત્રાણા પોલીસ મથકે દાખલ થયેલ અપહરણના કેસમાં આરોપીઓને ઝડપી પાડયા છે. જેમાં ગત 19 મેના માંડવી પોલીસ મથકના દાખલ થયેલ પોક્સોના કેસમાં માંડવીના બાગ ગામે રહેતા રજાક સિધિક સુમરાને પકડી પાડી તેના કબજામાંથી સગીર ક્ધયાને છોડાવી હતી.
ભુજ શહેર પોલીસ મથકના 31 મેના રોજ દાખલ થયેલા અપહરણ દુષ્કર્મ કેસમાં ભુજના બીએસએફ કેમ્પ પાછળ માલધારી નગરમાં રહેતા અભુભખર રમજુ સુમરાને પકડી પાડી તેના કબજામાંથી સગીરાને છોડાવી હતી. માધાપર પોલીસ મથકે 23 જુનના નોંધાવાયેલ અપહરણ દુષ્કર્મ કેસમાં આરોપી ઓસમાણ ગની સુલેમાન અભડા રહે ભખરીયાને સગીરા સાથે ઝુરા ગામના જંગલ વિસ્તારમાંથી પકડી લઇ સગીરાને મુક્ત કરાવી હતી. તો, 23 જુનના સગીરાનું અપહરણ કરી જવાના કેસમાં પશ્ચિમ કચ્છ પોલીસે સુખપરના આરોપી સલીમ અબ્દુલ જુણેજાને છેક બિહાર રાજ્યના પંચકોકડી વિસ્તારમાંથી દબોચી લીધો હતો.
પશ્ચિમ કચ્છ પોલીસ સાદા વેશમાં રહીને કરીયાણા, સાકાભજી, મોબાઇલની દુકાનો પર વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપી સલીમ પોલીસના હાથે ચડી ગયો હતો. આરોપીના કબ્જામાંથી સગીરાને મુક્ત કરાવી હતી. તે ઉપરાંત નખત્રાણા તાલુકાના કોટડા જડોદરની પરિણીત મહિલાને ભગાડી જનારા ઘડાણી ગામના આરોપી અનવર મામદ નોતિયારને પકડી પાડયો હતો. આમ પશ્ચિમ કચ્છ પોલીસની વિવિધ ટીમોએ અપહરણ દુષ્કર્મના અલગ અલગ બનાવોમાં પાંચ સગીર ક્ધયાઓને બચાવી આરોપીઓ વિરૂૂધ કાર્યવાહી કરી હતી.
જ્યારે જુન માસમાં 22માંથી 13 જ છોકરીઓ મળી આવી છે. જ્યારે નવ હજુ બાકી છે. જ્યારે 14થી 18 વર્ષ અંદરની સગીરાઓમાં જાન્યુઆરી માસમાં 4નું અપહરણ થયું હતું. એમાંથી એક પરત આવી છે. ફેબ્રુઆરી માસમાં એક સગીરાનું અપહરણ થયું હતું. તો ,માર્ચ માસમાં ત્રણ જેમાંથી એક પરત આવી હતી. એપ્રિલ માસમાં 6 સગીરાનું અપહરણ થયું હતું. જેમાં 4 મળી આવી હતી. મે માસમાં એકનું અપહરણ થયું હતું. જેને પરત લાવવામાં આવી હતી. જુનમાં સાત સગીરાઓનું અપહરણ થયું હતું. જે પૈકી ત્રણને મુક્ત કરાઇ જ્યારે 4 સગીરાઓ બાકી છે. જુલાઇ માસની નવ તારીખ સુધી ચાર સગીર ક્ધયાઓના અપહરણ થયા હતા. જેમાંથી એક પરત મળી આવી હતી. ભુજ નજીકના મીરજાપર ગામેથી 16 વર્ષની સગીર ક્ધયાનું અપહરણ સુખપરનો આરોપી બિહારના પંચકોકડી ગામે લઇ જઇને એક રૂૂમમાં ગોંધી રાખી હતી. અને પોતે વેલ્ડીંગના કામમાં લાગી ગયો હતો.
ભોગ નાર સગીરા સુખરના સલીમ સાથે ભુજ ક્લાસીસ માટે આવતી હતી. ત્યારે બન્ને વચ્ચે મોબાઇલ ફોન નંબરની આપલે થઇ હતી. જેમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી લીધા બાદ લગ્નની લાલચે અપહરણ કરી ગયો હતો.
સગીરાઓના અપહરણના કિસ્સામાં મોટા ભાગે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય કેળવ્યા બાદ ફોટા નંબરની આપલે, તેમજ આરોપીઓ સગીરાને મોબાઇલ ફોનના રિચાર્જ કરી આપી નીકટતા કેળવીને સાથે ફોટા પડાવી લઇ સબંધ રાખવા મજબુર કરે છે. સગીરાઓનું અપહરણ કરી જાય છે.
રાજસ્થાનના જુરહરા પોલીસ સ્ટેશનમાં 29 જુનાના નોંધાયેલા અપહરણના કેસમાં પુક્ત વયની મહિલાને ભાગીને ભુજ આવેલા આરોપી સોયેબ ખરશીદ મીરાશી રહે જુરહરા તાલુકો કામા રાજસ્થાનવાળાને પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી પાડયો હતો.
કચ્છ
રણ મહોત્સવની ટેન્ડર પ્રક્રિયામાં વિલંબથી કચ્છના હોટેલ ઉદ્યોગકારોમાં ચિંતાની લાગણી
ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવા બેઠકમાં વ્યક્ત કરાયો સૂર
કચ્છના ધોરડો ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ટેન્ટ સિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતાં રણોત્સવ આયોજન લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. ભુજ ખાતે આજે કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં રણોત્સવના આયોજન અને ટૂરિઝમ ઉદ્યોગને વિકાસ લગતા જરૂૂરી સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને રણ મહોત્સવના આયોજન સામેના વિઘ્નો દૂર કરવા માંગણી કરાઈ હતી.
કચ્છના ધોરડોના સફેદ રણમાં યોજાતા રણોત્સવે લોકોમાં ભારે આકર્ષણ ઉભું કર્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે. આ વર્ષે રણોત્સવના આયોજન લઈને અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે. ટેન્ટસિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે રણોત્સવના આયોજન અંગે મુંઝવણ ઉભી થઈ છે. કચ્છ હોસ્પિટાલિટી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની ગઈકાલે મહત્વની બેઠક મળી હતી. જેમાં રણોત્સવ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં લાગણી વ્યક્ત કરાઈ હતી કે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અમિતાભ બચ્ચનની સુંદર એડ બનાવીને રાષ્ટ્રીય ફલક પર પ્રસારિત કરવામાં આવી હતી, જેના લીધે કચ્છ સહિત ગુજરાતના પ્રવાસનને ભારે વેગ મળ્યો હતો. પુન: આ જુની એડ ચાલુ કરાવવી તેમજ અન્ય એક નવી એડ કોઈ સેલિબ્રિટી પાસે કરાવીને એને પણ ઈન્ડિયા લેવલે પ્રસારિત કરવામાં આવે અને રણોત્સવ દરમિયાન ગુજરાત ટુરિઝમ દ્વારા દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે, જેથી પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિને માણી શકે.
રણોત્સવ દરમિયાન ટેન્ટસીટીની બહાર આવેલા ગ્રામ હાટ માર્કેટ તેમજ વિવિધ એક્ટિવિટીનો દિવાળીથી પ્રારંભ કરવામાં આવે છે. અગાઉ પાટનગર ભુજ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં કચ્છ કાર્નિવલનું અદભુત આયોજન થતું હતું, જે પુન: ચાલુ કરવા માટે માગ કરી છે. રણોત્સવ દરમિયાન ધોરડો ખાતે ઓછામાં ઓછા પાંચથી છ નવા ઈવેન્ટ અથવા ફેસ્ટીવલ શોનું આયોજન કરવામાં આવે તો પ્રવાસીઓમાં આકર્ષણ ઉભું થઈ શકે તેમ છે.
કચ્છ
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
દેણાના કારણે પગલું ભર્યાની સ્યૂસાઇડ નોટ મળી
આંબિવલીમાં કરિયાણાની દુકાન ચલાવવાની સાથે જ ડિસ્ક જોકી (ઉઉં) તરીકે પણ કામ કરતા 48 વર્ષના નરેન્દ્ર વિકમાણીએ દેવું થઈ જવાથી હતાશ થઈને ગળાફાંસો ખાઈને રવિવારે જીવન ટૂંકાવી દીધું હતું. તેમણે મરતાં પહેલાં સુસાઇડ-નોટ લખી હતી અને એમાં લેણદારોને ઉદ્દેશીને લખ્યું હતું કે કરજ મેં લીધું હતું પણ હું એ ચૂકવી શક્યો નથી, પણ તમે મારી પત્ની કે મારા દીકરાને એ માટે હેરાનન કરતા.
મૂળ કચ્છના કોટડા (રોહા)ના કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના નરેન્દ્ર વિકમાણી આંબિવલીમાં પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારની કરિયાણાની દુકાન છે. તેમના એક સંબંધીએ કહ્યું હતું કે કરજ કંઈ બહુ વધારે નહોતું, પણ તેણે ઘરમાં કોઈને કહ્યું જ નહીં અને એકલો-એકલો મૂંઝાતો રહ્યો. તેના પરિવારમાં પત્ની અને 20 વર્ષના દીકરાનો સમાવેશ છે. દીકરો જોબ કરે છે. તેણે સુસાઇડ-નોટમાં લેણદોરોને કહ્યું છે કે મારી પત્ની અને દીકરાને હેરાન ન કરતા.
અન્ય એક સંબંધીએ કહ્યું હતું કે નરેન્દ્રભાઈના પિતા વલ્લભભાઈએ વર્ષો પહેલાં કરિયાણાની દુકાન ચાલુ કરી હતી. તેમને નરેન્દ્ર, જયેશ, ભાવેશ અને મનોજ એમ ચાર દીકરા હતા. જેમ-જેમ દીકરા મોટા થતા ગયા એમ પોતપોતાનો અલગ-અલગ વ્યવસાય કરતા ગયા. નરેન્દ્રભાઈ પિતાની દુકાન પણ ચલાવવાની સાથે ડિસ્ક જોકી પણ હતા. તેમણે એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું અને પછી એ ચલાવવા ટેમ્પો પણ લીધો હતો. થોડા જ વખતમાં તેઓ નરુ કા ઉઉં તરીકે ફેમસ થઈ ગયા હતા.
જોકે આ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ થતું જતું હતું, પણ સામે પેમેન્ટ મોડું આવતું હોવાથી દેવું થતું જતું હતું. તેમણે જો કોઈને કહ્યું હોત તો રસ્તો નીકળી શક્યો હોત, પણ એવું થાય એ પહેલાં જ અંતિમ પગલું લઈ લીધું. રવિવારે સાંજે નીકળેલી તેમની અંતિમયાત્રામાં 50 કરતાં વધુ યુવાનો જોડાયા હતા.
કચ્છ
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
રાપર તાલુકાના ગાગોદર ગામે પાણીના ખાડામાં કપડા ધોતી વખતે અને ન્હાતી વખતે સાત બાળકો પાણીમાં ડુબવા લાગ્યા હતો. જે પૈકી સલેમાન ધોનાની દિકરી તથા ઉમરદિન ધોનાના પત્ની એવા સેનાજબેન (ઉ.વ. 24) તથા તેમના કુટુંબિ ભાઈ ફારૂૂક હબીબ ધોના (ઉ.વ. 16)નું મોત થયું હતું. જ્યારે અન્યોને બચાવી લેવાયા હતા.
કાનમેર ગામમાં રહી મજુરી કામ કરનાર પરિવારની મહિલાઓ સાથે આજે બપોરે બાળકો પણ કપડાં ધોવા, ન્હાવા ગયા હતા. ગામમાં પશ્ચિમ બાજુએ આવેલા પાણીના ખાડા પાસે આ પરિવારજનો બપોરે પહોંચ્યા હતા જેમાં બે મહિલાઓ કપડાં ધોઈ રહ્યાં હતા.
જ્યારે બાળકો થોડા આગળના ભાગે ન્હાઈ રહ્યાં હતા. ખાડામાં ન્હાતી વખતે ફારૂૂક આગળ નિકળી જતાં તે ડૂબવા લાગ્યો હતો. તેણે રાડા રાડ કરતાં તેના કુટુંબિ બહેન શેનાજ તેને બચાવવા ગયા હતા અને બંને પાણી ભરેલા ખાડામાં ડૂબવા લાગ્યા હતા. આ જોઈને પરિવારના અન્ય કિશોર, કિશોરીઓ તેમને બચાવવા જતાં સાત બાળકો ડૂબી રહ્યાં હતાં. રાડારાડના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. આ સાત બાળકો પૈકી અમુકને તરતા આવડતા તે નિકળી ગયા હતા અને અન્યોને લોકોએ રસ્સી વડે બહાર ખેંચી લીધા હતા. જ્યારે મહિલા અને તેના કુટુંબિ ભાઈ ફારૂૂક પાણીમાં ગરક થયા હતા. બાદમાં આ બંનેને બહાર કાઢીને સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબિબો બંનેને મૃત જાહેર કરાયા હોવાનું ગાગોદરના પી.આઈ. બી. એ. સેંગલએ જણાવ્યું હતું. હર્ષોલ્લાસના ઈદ પર્વના બીજા દિવસે એકીસાથે ભાઈ-બહેનના મોતને પગલે સમગ્ર પંથકમાં ભારે માતમ છવાયો હતો.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ