ગુજરાત
ગુજરાત દેશમાં સૌથી મોંઘું, મહિને સામાન્ય જીવન જીવવા 46,800નો ખર્ચ
હિમાચલ પ્રદેશ સૌથી સસ્તું, બીજા નંબરે મહારાષ્ટ્ર, ફિનશોટ્સનો સરવે જાહેર
ફિનશોટ્સ દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા એક સરવેમાં ચોંકાવનારા ખુલાસા થયા. સરવે મુજબ ભારતમાં કોસ્ટ ઓફ લિવિંગ (જીવન ગુજરાન માટે ખર્ચ) મામલે ગુજરાત દેશનું સૌથી મોંઘુ રાજ્ય છે. જ્યાં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને લગભગ 46000 રૂૂપિયાની પડે. જ્યારે સૌથી જીવન સૌથી સસ્તુ પડે એ રાજ્ય છે હિમાચલ પ્રદેશ જ્યાં દર મહિને જીવન ગુજરાન 23000 રૂૂપિયાની જરૂૂર પડે છે.
ફિનસોટ્સ દ્વારા જાહેર કરાયેલા સર્વે મુજબ સમૃદ્ધિમાં ગુજરાત ભલે દેશના ટોપ ફાઈવ રાજ્યમાં આવતું હોય પરંતુ સામાન્ય જીવન જીવવા માટે ગુજરાત સૌથી મોંઘુ રાજ્ય છે. દેશના તમામ રાજ્યમાં કરવામાં આવેલા સર્વે દરમિયાન ખુલ્લાસો થયો છે કે, ગુજરાતમાં લોકોની સરેરાશ આવક કરતા પણ જાવકનો રેસિયો ઘણો ઉંચો છે. ગુજરાતમાં મીનીમમ વેજીસદર 413 રૂપિયા છે મતલબ કે શ્રમિકોને 30 દિવસની મજુરીના માંડ રૂા. 13000 મળે છે તેની સામે જાવક સરેરાશ દર મહિને રૂા. 46,000 જેવી એટલે કે, ત્રણ ગણાથી પણ વધુ છે.
દેશના 28 રાજ્યોમાં સૌથી નીચલા ક્રમે આવતાં હિમાચલમાં રહેવા માટે 23.6 હજારમાં એક મધ્યમ વર્ગીય વ્યક્તિ સારી રીતે જીવી શકે છે. ઉપરોક્ત સર્વે ગરીબ અને પૈસાદાર નહીં પરંતુ નોકરી કરતાં મધ્યમક્રમના મધ્યમવર્ગ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. બીજા ક્રમે મહારાષ્ટ્ર રાજ્ય છે જ્યાં એક આદર્શ પરિવારને ઘર ચલાવવા માટે 45.4 હજારનો ખર્ચ થાય છે. એ પછી મિઝોરમ ત્રીજા ક્રમે છે, જ્યાં 43.5 હજારની માસિક ખર્ચની જરુરિયાત રહે છે.
કર્ણાટકમાં 43.2 હજારની આવકમાં એક મધ્યમ વર્ગીય પરિવાર પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે છે.
બિહાર અને ઓરિસ્સા જેવા ગરીબીનો સામનો કરતાં રાજ્યોમાં પણ આ ખર્ચ 25.9 હજાર અને 26.9 હજારનો છે. પરંતુ હિમાચલમાં લોકો પહાડી જીવન જીવતા હોવાથી તેમનો મૂળભૂત ખર્ચ ઓછો હોવાથી હિમાચલ મોંઘવારીમાં સૌથી તળીયે છે.
ગોવા જેવું આંતરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા રાજ્યમાં ટુરિઝમ ભલે મોંઘું છે પરંતુ અહીંનું કોસ્ટ ઓફ લિવિંગ ગુજરાત કરતા સસ્તું છે. ગોવામાં એક આદર્શ પરિવાર 38 હજારમાં શાંતિથી જીવી શકે છે. ઉત્તર પ્રદેશ જેવા વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં કોસ્ટ ઓફ લિવિંગ 29.9 હજારનું છે. હિમાચલ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, પુડુચેરી, મધ્યપ્રદેશ, વેસ્ટ બેંગાલ, ઉત્તર પ્રદેશ અને કેરાલા જેવા રાજ્યોનું કોસ્ટ ઓફ લિવિંગ 30000 થી 23000ની વચ્ચે છે, જે ગુજરાત કરતાં અડધાથી નજીક જ કહી શકાય.
મધ્યમ ક્રમે આવેલા મેઘાલય, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, આસામ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, ત્રિપુરા, મણિપુર 30000 થી 33000 ની વચ્ચે આવે છે.
ગુજરાતમાં અન્ય રાજ્યો કરતાં ભાડા વધું છે. ખાસ કરીને શહેરોમાં સામાન્ય રીતે ભાડું 10000થી ચાલુ થાય છે. જેની સાથે લાઈટ બિલ અને પરિવહનનો ખર્ચ વધુ હોવાથી અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં કોસ્ટ ઓફ લિવિંગ વધુ છે એવું નિષ્ણાંતો માને છે.
જીવવા માટે કયા રાજ્યમાં કેટલો ખર્ચ
રાજય ખર્ચ
ગુજરાત 46.8 હજાર
મહારાષ્ટ 45.5 હજાર
મિઝોરમ 43.5 હજાર
કર્ણાટક 43.2 હજાર
હરિયાણા 39.2 હજાર
તેલંગાના 37.7 હજાર
પંજાબ 36.5 હજાર
મણિપુર 33 હજાર
ત્રિપુરા 32.4 હજાર
તમિલનાડુ 32.2 હજાર
જમ્મુ-કાશ્મીર 32.2 હજાર
ઉત્તરાખંડ 31.3 હજાર
આસામ 30.9 હજાર
છત્તીસગઢ 30.7 હજાર
આંધ્રપ્રદેશ 30.3 હજાર
રાજસ્થાન 30.1 હજાર
મેઘાલય 30.1 હજાર
કેરલ 20.9 હજાર
ઉત્તર પ્રદેશ 29.9 હજાર
પશ્ચિમ બંગાળ 29.8 હજાર
મધ્ય પ્રદેશ 29.2 હજાર
પુડુચેરી 28.4 હજાર
ઝારખંડ 28.3 હજાર
ઓરિસ્સા 26.4 હજાર
બિહાર 25.9 હજાર
હિમાચલ પ્રદેશ 23.6 હજાર
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય11 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો