Connect with us

ક્રાઇમ

રાજકોટના ચાર વેપારીઓએ સાવરકુંડલાની પેઢી સાથે 4.41 કરોડની ઠગાઇ કરતા ફરિયાદ

Published

on


સાવરકુંડલામા આવેલ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારી પેઢી પાસેથી ચાર શખ્સોએ કપાસની 3200 ગાંસડીની ખરીદી કર્યા બાદ બાકી નીકળતા રૂૂપિયા 4.41 કરોડ ન ચુકવી ઠગાઇ કરતા આ બારામા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.


રાજુલાના બર્બટાણામા રહેતા પરેશભાઇ બચુભાઇ હડીયાએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેએા મહાવીર કોટન ઇન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારી પેઢી ધરાવે છે.રાજકોટના સિધ્ધનાથ કોટેક્ષ પ્રા.લીના ડાયરેકટરો અને વહીવટદારો ભાલાળા દર્શનભાઇ રમણીકભાઇ, રમણીકભાઇ ચકુભાઇ, લુણાગરીયા વિરેન સુરેશભાઇ અને સુરેશભાઇ ગોવિંદભાઇ નામના વેપારીઓએ દલાલો મારફતે અલગ અલગ તારીખ કુલ 3200 કપાસની ગાંસડીઓ કિમત રૂૂપિયા 8,66,40,267નો માલ 15 દિવસે પેમેન્ટ ચુકવણી કરવાના વિશ્વાસ સાથે ખરીદી કરી હતી.


જો કે સમય મર્યાદામા નાણાની ચુકવણી કરી ન હતી. અવારનવાર ઉઘરાણી કરતા આ વેપારીઓએ કટકે કટકે રૂૂપિયા 4,24,57,420ની ચુકવણી કરી હતી. જો કે બાદમા બાકીના લેવાના નાણા રૂૂપિયા 4,41,82,847 ન ચુકવી ઠગાઇ કરી હતી. આ શખ્સો પોતાની પેઢી તેમજ રહેણાંક બંધ કરીને નાસી ગયા હતા. બનાવની વધુ તપાસ પીઆઇ પી.એલ.ચૌધરી ચલાવી રહ્યાં છે.

ક્રાઇમ

લોરેન્સ બિશ્ર્નોઈના સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર ઉપર પ્રતિબંધ

Published

on

By

કેન્દ્રીય ગૃહમંત્રાલયે ટ્રાન્સફર-સ્થળાંતર ઉપર પ્રતિબંધ ઓગસ્ટ-2025 સુધી લંબાવી દીધો

કોઈ પણ રાજ્યની પોલીસને કસ્ટડી મળશે નહીં, પૂછપરછ સાબરમતી જેલમાં જ કરવી પડશે

અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈનું ના મુંબઈના એનસીપી અજીત પવાર જૂથના નેતા બાબા સીદીકી ઉપરાંત કેનેડાના ખાલિસ્તાન તરફી નેતા હરદિપસિંહ નિજ્જરની હત્યામાં ઉછળ્યું છે. પરંતુ ગુજરાત બહારની પોલીસ સાબરમતી જેલમાંથી તેનો કબજો લઈ શકતી નથી તેની પાછળ કાયદાકીય જોગવાઈ હોવાનુું જણાય છે.


ગોંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈના ટ્રાન્સફર-સ્થળાંતર ઉપર કેન્દ્રીય ગૃહમંત્રાલયે પ્રતિબંધ ફરમાવ્યો છે. એક વર્ષના પ્રતિબંધની મુદત ગત ઓગસ્ટ માસમાં પૂર્ણ થતાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફરી એકવર્ષ એટલે કે, ઓગસ્ટ-2025 સુધી આપ્રતિબંધ લંબાવી દીધો છે. જેથી કોઈપણ રાજ્યની પોલીસને લોરેન્સની કસ્ટડી મળી શકશે નહીં અને મંજુરી લઈને જ સાબરમતિ જેલમાં પુછપરછ કરી શકશે.


મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે. જેને લઈને મુંબઈ પોલીસ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી ઈચ્છે છે, પરંતુ વારંવાર મુંબઈ પોલીસની અરજી ફગાવી દેવામાં આવી રહી છે. ક્યા કારણે મુંબઈ પોલીસને લોરેન્સ બિશ્ર્નોઈની કસ્ટડી મળી નથી તે જાણવું રસપ્રદ છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. એપ્રિલ મહિનામાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ અને હવે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આવી સ્થતિમાં મુંબઈ પોલીસ પૂછપરછ માટે ગેંગસ્ટરની કસ્ટડી માંગી રહી છે.
એપ્રિલની ઘટના બાદ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, મુંબઈ પોલીસે સાબરમતી જેલમાંથી લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી માટે ઘણીવાર અપીલ કરી, પરંતુ ગૃહ મંત્રાલયના એક આદેશના કારણે તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઓગસ્ટ મહિનામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સ્થળાંતર પ્રતિબંધ (ટ્રાન્સફર પ્રતિબંધ)ને એક વર્ષ માટે લંબાવ્યો હતો, જેના કારણે તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ તેને રાખવામાં આવ્યો છે.
જો કોઈ રાજ્યની પોલીસ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવા માંગે છે તો તેને જેલ પરિસરની અંદર જ કરવી પડશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ આદેશના કારણે જ મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી બાબા સિદ્દીકીની હત્યા મામલે ગેંગસ્ટર સામે તપાસ ચાલી રહી છે.


ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 268 હેઠળ લાદવામાં આવેલો પ્રતિબંધક આદેશ આ વર્ષે ઓગસ્ટમાં સમાપ્ત થવાનો હતો, પરંતુ હવે તેને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023ની કલમ 303 હેઠળ લંબાવવામાં આવ્યો છે. સાબરમતી સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ ડીઆઈજી શ્વેતા શ્રીમાળીએ પુષ્ટિ કરી કે આ નવો આદેશ ઓગસ્ટ 2025 સુધી અમલમાં રહેશે.

ડ્રગ્સના કેસમાં સાબરમતી જેલમાં બંધ છે લોરેન્સ બિશ્ર્નોઈ
રાજસ્થાનનો ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈને ડ્રગ્સના કેસમાં ગુજરાત પોલીસે પકડ્યો હતો. કચ્છમાંથી પકડાયેલ ડ્રગ્સકાંડમાં લોરેન્સ બિશ્ર્નોઈને પકડવામાં આવ્યા બાદ તે એક વર્ષથી સાબરમતિ જેલમાં છે. લોરેન્સના જેલવાસ દરમિયાન જ સલમાનખાનના ઘર ઉપર ફાયરીંગ, અમુક વેપારીઓને કોલ કરી ખંડણી માંગવી અને છેલ્લે મુંબઈમાં બાબાસીદીકીની હત્યામાં તેનું નામ ઉછળી રહ્યું છે. પરંતુ અન્ય રાજ્યોની પોલીસને આજ સુધી લોરેન્સ બિશ્ર્નોઈનો કબજો મળ્યો નથી.

Continue Reading

ક્રાઇમ

ગુજરાતમાં ડ્રગ્સ બનાવી 7 રાજ્યમાં મોકલવાના કાવતરાનો પર્દાફાશ

Published

on

By

દુબઇથી વિરેન્દ્ર વસોયા ઉર્ફે વીરૂ યુકેના સતવિંદર મારફતે ડ્રગ્સ ઘુસાડતો હતો: ગુજરાતમાં ફાર્મા કંપનીમાં રીફાઇન કરીને દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં સપ્લાય કરાતું હતું


દુબઈ સ્થિત ગેંગસ્ટર વિરેન્દ્ર બસોયા ઉર્ફે વીરુની સૂચના પર યુકેનો દાણચોર સતવિંદર તેને દરિયાઈ માર્ગે ગુજરાતમાં પહોંચાડતો હતો. ગુજરાતમાંથી તેને દિલ્હી અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી હતી.
દિલ્હી અને ગુજરાતમાંથી 13 હજાર કરોડ રૂૂપિયાના ડ્રગ્સ ઝડપાયાના મામલામાં નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન, સ્પેશિયલ સેલને જાણવા મળ્યું કે દાણચોરોનું નેટવર્ક દિલ્હી, પંજાબ, કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ફેલાયેલું છે. પભારતનો નકામા માલથ સૌથી પહેલા ગુજરાતમાં પહોંચ્યો હતો.


આ નેટવર્કમાં આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક દાણચોરોનો સમાવેશ થાય છે. દુબઈ સ્થિત કિંગપિન વીરેન્દ્ર બસોયા ઉર્ફે વીરુની સૂચના પર, યુકેનો દાણચોર સતવિંદર તેને દરિયાઈ માર્ગે ગુજરાતમાં લઈ જતો હતો, જ્યાં કાચા માલને ફાર્માસ્યુટિકલ કંપનીમાં રિફાઈન કરીને દિલ્હી મોકલવામાં આવતો હતો, જેનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ થતો હતો. દાણચોરી આ પછી તેને અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવ્યો હતો. હજુ પણ ઘણા આરોપીઓ ફરાર છે.


કોકેઈનનું ક્ધસાઈનમેન્ટ ગુજરાતમાં પહોંચાડનારા અનેક ફરાર આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓએ એવો પણ ખુલાસો કર્યો છે કે અત્યાર સુધીમાં ઝડપાયેલા લગભગ 1,300 કિલો કોકેઈનનું ક્ધસાઈનમેન્ટ દક્ષિણ અમેરિકન દેશોના દાણચોરો દ્વારા ગુજરાતની ડ્રગ્સ કંપનીમાં પહોંચાડવામાં આવ્યું હતું. જોકે, આ ગેંગનો પર્દાફાશ થતાં જ નેટવર્ક સાથે સંકળાયેલા ઘણા મોટા ખેલાડીઓ, ખાસ કરીને યુકેના નાગરિકો અને તેના નેટવર્ક સાથે સંકળાયેલા દાણચોરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગુજરાતમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ – વિજય ભેસનિયા, અશ્વની રામાણી, બ્રિજેશ કોઠિયા, મયુર દેસલે અને વડોદરાના રહેવાસી અમિત – યુકે સ્થિત હેન્ડલર્સ સાથે નજીકના સંબંધો ધરાવતા હતા.


ટોળકીના કોઈને પણ ખબર ન હતી કે કોણ શું કામ કરે છે. વાસ્તવમાં, આ નેટવર્ક મુખ્યત્વે દુબઈના વીરેન્દ્ર બસોયા, યુકેના સતવિંદર અને ભારતના તુષાર ગોયલ દ્વારા સંચાલિત હતું. ત્રણેયનું પોતાનું અલગ નેટવર્ક હતું. ત્રણેય લોકલ નેટવર્ક સાથે જોડાયેલા લોકો સાથે કોડ વર્ડ્સમાં વાત કરતા હતા. દાણચોરીને છુપાવવા માટે આનો ઉપયોગ સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે થતો હતો. અત્યાર સુધીમાં 13 હજાર કરોડ રૂૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.


ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરે સ્પેશિયલ સેલે દિલ્હીના મહિપાલપુરમાં એક વેરહાઉસમાંથી 560 કિલોથી વધુ કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો. તેની કિંમત 5,620 કરોડ રૂૂપિયા આંકવામાં આવી હતી અને ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં અન્ય બે અમૃતસર અને ચેન્નાઈમાંથી ઝડપાયા હતા. આ કેસમાં હજુ પણ ઘણા તસ્કરો ફરાર છે, જેમને સ્પેશિયલ સેલ શોધી રહી છે.

Continue Reading

ક્રાઇમ

રાજકોટના સોની વેપારી સાથે રૂા.2.56 કરોડની ઠગાઈ

Published

on

By

દુકાનમાં જ કામ કરતા બે સગા ભાઈઓ દાગીના બનાવવા માટેનું સોનું લઈ ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ


રાજકોટના સોની બજારમાં સોની વેપારીને ત્યાં કામ કરતા બે સગા ભાઈઓ રૂા. 2.56 કરોડનું સોનું લઈને ફરાર થઈ જતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પશ્ર્ચિમ બંગાળના આ બન્ને સગા ભાઈઓ છેલ્લા 10 મહિનાથી વેપારીને ત્યાં કામ કરતા હતાં. અને 13 દિવસ પૂર્વે સોનાના દાગીના બનાવવા માટે આપેલું 3816.840 ગ્રામ સોનું લઈને ભાગી ગયા હતાં. આ મામલે પોલીસે ગુનો નોંધી બન્ને ભાઈઓની શોધખોળ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટના લક્ષ્મીવાડી મેઈન રોડ ઉપર નરેન્દ્ર પેલેસ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 101માં રહેતા અને છેલ્લા ઘણા વખતથી સોની બજારમાં જૂની ગધીવાડમાં આવેલ સોની ચેમ્બરની બાજુમાં શ્રધ્ધા કોમ્પલેક્ષમાં શ્રી બંશીધર જવેલર્સ નામની દુકાન ધરાવતા આશિષભાઈ જાદવભાઈ નાંઢાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પશ્ર્ચિમ બંગાળના હુગલી જિલ્લાના બાબનાન દાદપુર તાલુકાના ઉત્તરગુનપાલા નામના ગામના વતની ગૌરાંગ તરુણદાસ અને તેનો ભાઈ સૌરભ તરુણદાસનું નામ આપ્યું છે. ફરિયાદમાં આશિષભાઈએ જણાવ્યા મુજબ તેઓ ઘણા વખતથી સોની બજારમાં પેઢી ધરાવે છે અને સોનાના દાગીના બનાવવાનું કામ કરતા હોય ગૌરાંગોદાસ અને તેનો ભાઈ સૌરભદાસ જાન્યુઆરી મહિનામાં આશિષભાઈને ત્યાં નોકરી પર લાગ્યા હતાં.


સોનાના દાગીના બનાવવાનું કામ કરતા બન્ને ભાઈઓ છેલ્લા 10 મહિનાથી અલગ અલગ ઘાટના દાગીના બનાવતા હતા દરમિયાન બન્ને ભાઈઓ ગત તા. 4-10થી અચાનક જ દુકાને કામે આવ્યા ન હતાં. જેથી વેપારીએ તેના ઘરે તપાસ કરતા ગૌરાંગોદાસ અને સૌરભ દાસ ઘરે હાજર મળ્યા ન હતાં. તે દરમિયાન તપાસ કરતા ગૌરાંગોદાસ અને સૌરભદાસે આશિષભાઈ સોની પાસેથી સોનાના દાગીના બનાવવા માટેનું 3816.840 ગ્રામ સોનું દુકાનમાંથી લઈ ભાગી ગયા હોય રૂા. 2.56.12.932ની કિંમતનું સોનું લઈને ભાગી ગયેલા આ બન્ને ભાઈઓ વિરુદ્ધ આશિષભાઈએ એડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી બન્ને ભાઈઓની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ દ્વારા કારીગરોનું વેરિફીકેશન છતાં ચોરી અને છેતરપિંડીના બનાવો વધ્યા
સોની બજારમાં સોની વેપારી તેમજ અલગ અલગ પેઢીઓમાં કામ કરતા આશરે 90 હજારથી વધુ સોની કારીગરો કે, જેઓ પશ્ર્ચિમ બંગાળ સહિતના અન્ય રાજ્યોના વતની હોય તેનું વેરીફીકેશન ફરજિયાત બનાવવમાં આવ્યું છે. અને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી સોની બજારમાં કામ કરતા કારીગરોની નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવા માટે આદેશ કરાયો હોય અને આ જાહેરનામાનો ભંગ કરનાર 100થી વધુ સોની વેપારીઓ સામે પોલીસે ગુના નોંધ્યા હોવા છતાં ચોરી અને છેતરપીંડીના બનાવો અટક્યા નથી અને દિવાળી નજીક આવતા જ સોનીબજારના વેપારીઓ સાથે આવા બનાવો અવાર નવાર બનતા રહે છે. પોલીસ દ્વારા રૂા. 2.56 કરોડનું સોનું લઈને ભાગી છુટેલા બન્ને ભાઈઓ ગૌરાંગોદાસ અને સૌરભદાસના મુળ વતન પશ્ર્ચિમ બંગાળના ઘર અને પરિવારની માહિતી હોય આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

Continue Reading
ગુજરાત4 mins ago

એસ.ટી. બસોમાં પણ ખાનગી બસો જેવી સુવિધા આપવામાં આવશે: સંઘવી

ગુજરાત7 mins ago

સ્વ.પોપટભાઇ સોરઠિયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહની સજા માફીને હાઇકોર્ટમાં પડકાર

ક્રાઇમ13 mins ago

લોરેન્સ બિશ્ર્નોઈના સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર ઉપર પ્રતિબંધ

રાષ્ટ્રીય18 mins ago

સલમાન મુક્તિધામ મુકામ પર આવી માફી માગે તો બિશ્નોઈ સમાજ માફ કરશે

આંતરરાષ્ટ્રીય23 mins ago

ફૂટબોલ ચાહકોના દિલ તૂટશે, મેસીએ આપ્યો નિવૃત્તિનો સંકેત

રાષ્ટ્રીય26 mins ago

નિકિતા પોરવાલે ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો

Sports27 mins ago

સનરાઈઝર્સ હૈદરાબાદ વિસ્ફોટક વિકેટકીપર હેનરિક ક્લાસેનને ચૂકવશે 23 કરોડ રૂપિયા

Sports30 mins ago

ભારત-ન્યૂઝીલેન્ડની તમામ વન-ડે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

આંતરરાષ્ટ્રીય46 mins ago

છ વર્ષ બાદ ધ વિકટોરિયાઝસિક્રેટ ફેશન શોની જમાવટ

આંતરરાષ્ટ્રીય48 mins ago

ખાલિસ્તાનીઓના કારણે ભારત કેનેડાના સંબંધો વધુ બગડશે

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય19 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય19 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત20 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Trending