સૌરાષ્ટ્ર
(અ)સંવેદનશીલ તંત્ર! ખેડૂતનો એક રૂપિયો પણ મૂકે નહીં, એક રૂપરડીની વસૂલાત માટે પાંચના ચાંદલા વાળી નોટિસ
અંધેરી નગરી અને ગંડુ રાજા કહેવત જયારે સરકારી તંત્ર નો કોઈ અતિશ્યોકતી રૂૂપી કોઈ કિસ્સો સામે આવે ત્યારે લોકો ના મુખે સાંભળવા મળે છે સૌરાષ્ટ્ર માં વીજ સપ્લાય ની કામગીરી પીજીવીસીએલ દ્વારા કરવામાં આવે છે ત્યારે તેના બાકી લેણાની રકમ મોટી હોય માટે ગ્રાહકને જાણ કરે તે સ્વાભાવિક છે. પરંતુ એક રૂૂપિયા માટે સમાધાન માટે જયારે કોઈ ગ્રાહક ને નામદાર કોર્ટમાં બોલાવવા આવે ત્યારે નવાઈ લાગે અમરેલી જિલ્લાના કુંકાવાવ પીજીવીસીએલ દ્વારા નાની કુંકાવાવના ગ્રાહક હરેશભાઇ પોપટભાઈ સોરઠીયાએ ગ્રીન હાઉસ માટે લીધેલ હતુ તે થોડાવર્ષ પેહલા રદ કરાવેલ હતુ અને તેમાં શરત ચૂક થી એક રૂૂપિયો બાકી રહી ગાયો હતો ત્યારે આ બાકી રૂૂપિયો પાંચ વર્ષ પછી જાગ્યો અને ગ્રાહક નો કુંકાવાવ વીજ કચેરી માં એક રૂૂપિયો બાકી હોય તેથી તેની રિકવરી ના સમાધાન માટે તેમને કુંકાવાવ વીજ કચેરીના ડેપ્યુટી ઈજનેર દ્વારા ગ્રાહક ને વડિયા ની નામદાર કોર્ટ માં લોક અદાલત માં હાજર રહેવા અને એક રૂૂપિયા ભરવા માટે નોટિસ અપાઈ છે. જો આ એક રૂૂપિયો વસુલવા નોટિસ માં ટિકિટ ખર્ચ, વકીલ ખર્ચ, અધિકારીની ગાડી નુ ડીઝલ ખર્ચ, ગ્રાહકને વડિયા પહોંચવાનો ખર્ચ નો હિસાબ કરવામાં આવે તો આ જાડી ચામડીના કર્મચારી દ્વારા વાદળી માટે ભેંસ મર્યા સમાન કામગીરી કર્યા જેવું કહી શકાય.આ એક રૂૂપિયા માટે નામદાર કોર્ટ અને લોકોનો સમય બગડતી આ પેઢી ગયેલા અધિકારીઓની નીતિ હવે અંધેરી નગરી જેવી જોવા મળતી હોય તેવુ જોવા મળી રહ્યું છે.જાણવા મળતી વિગતો મુજબ હાલ આ બાબતે મીડિયા જગત માં પણ આ મુદ્દો જોરશોર થી ઉપાડત્તા ઉર્જામંત્રી ના ધ્યાને આવતા તેમને આ રૂૂપિયો ના વસુલવા અને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી આ બાબતે પીજીવીસીએલ ના અધિકારી નો સંપર્ક કરતા તેમને પણ આ રટન રટ્યું હતુ ત્યારે એક રૂૂપિયા માટે સામાન્ય ખેડૂતોને હેરાન કરતા આ જાડી ચામડીના અધિકારીની શન ઠેકાણે લાવવા કોઈ પગલા લેવાય છે કે નહિ તેતો આવનારો સમય જ બતાવશે પરંતુ દેશમાં વિજય માલ્યા, નીરવ મોદી જેવા કરોડો રૂૂપિયાના ફૂલેકા ફેરવનાર ઉદ્યોગપાતીઓ ને કોઈ પૂછવા વાળુ નથી ને એક રૂૂપિયા માટે ગામડાના સામાન્ય ખેડૂતને નોટિસ અપાઈ નામદાર કોર્ટમાં બોલાવાય છે ત્યારે સરકાર આ બાબતે કડકાઈ દાખવી એક સજા રૂૂપી એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે તેવી લોક માંગણી જોવા મળી રહી છે.
ગુજરાત
મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન બંધ પડતા અનેક મુસાફરો રઝળ્યા
રફાળેશ્ર્વર-મકનસર વચ્ચે અચાનક ડેમુ ટ્રેન બંધ પડી ગઇ, વંદે ભારત ટ્રેનમાં પણ ચડવા દેવામા ન આવતા મુસાફરોમાં રોષ
આજે વહેલી સવારે મોરબીથી છ વાગ્યે ઉપડેલી મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે બંધ પડી જતા અંદાજે 300થી 400 જેટલા મુસાફરો અટવાઈ ગયા હતા. મોટાભાગના મુસાફરો વાંકાનેરથી ઇન્ટરસિટી સહિતની કનેકટિંગ ટ્રેન પકડવા માટે ડેમુમાં મુસાફરી કરી રહ્યા હોય ડેમુ ખોટવાતા તમામ મુસાફરો રઝળી પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીથી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં કાયમી કોઈને કોઈ ધાંધિયા હોય છે ત્યારે ગુરુવારે વહેલી સવારે 6 વાગ્યે મોરબીથી ઉપડેલી ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે ખટકાઈ જતા વાંકાનેર રેલવે સ્ટેશનથી ઇન્ટરસિટી તેમજ અન્ય લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી માટે નીકળેલા 300થી 400 જેટલા મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા હતા.
બીજી તરફ માંડ કરીને વાંકાનેર પહોંચેલ ડેમુ ટ્રેનના મુસાફરોને અમદાવાદ જવા માટે વંદે ભારત ટ્રેનમાં પણ ચડવા દેવામાં ન આવતા મુસાફરોમાં રોષ વ્યાપી ગયો હતો. મુસાફરોની હેરાનગતિ મામલે વાંકાનેર સ્ટેશન પ્રબંધકે પણ ઉડાઉ જવાબ આપતા આ મામલે ઉચ્ચકક્ષાએ ફરિયાદો કરવામાં આવી હતી.
કચ્છ
રણ મહોત્સવની ટેન્ડર પ્રક્રિયામાં વિલંબથી કચ્છના હોટેલ ઉદ્યોગકારોમાં ચિંતાની લાગણી
ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવા બેઠકમાં વ્યક્ત કરાયો સૂર
કચ્છના ધોરડો ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ટેન્ટ સિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતાં રણોત્સવ આયોજન લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. ભુજ ખાતે આજે કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં રણોત્સવના આયોજન અને ટૂરિઝમ ઉદ્યોગને વિકાસ લગતા જરૂૂરી સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને રણ મહોત્સવના આયોજન સામેના વિઘ્નો દૂર કરવા માંગણી કરાઈ હતી.
કચ્છના ધોરડોના સફેદ રણમાં યોજાતા રણોત્સવે લોકોમાં ભારે આકર્ષણ ઉભું કર્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે. આ વર્ષે રણોત્સવના આયોજન લઈને અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે. ટેન્ટસિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે રણોત્સવના આયોજન અંગે મુંઝવણ ઉભી થઈ છે. કચ્છ હોસ્પિટાલિટી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની ગઈકાલે મહત્વની બેઠક મળી હતી. જેમાં રણોત્સવ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં લાગણી વ્યક્ત કરાઈ હતી કે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અમિતાભ બચ્ચનની સુંદર એડ બનાવીને રાષ્ટ્રીય ફલક પર પ્રસારિત કરવામાં આવી હતી, જેના લીધે કચ્છ સહિત ગુજરાતના પ્રવાસનને ભારે વેગ મળ્યો હતો. પુન: આ જુની એડ ચાલુ કરાવવી તેમજ અન્ય એક નવી એડ કોઈ સેલિબ્રિટી પાસે કરાવીને એને પણ ઈન્ડિયા લેવલે પ્રસારિત કરવામાં આવે અને રણોત્સવ દરમિયાન ગુજરાત ટુરિઝમ દ્વારા દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે, જેથી પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિને માણી શકે.
રણોત્સવ દરમિયાન ટેન્ટસીટીની બહાર આવેલા ગ્રામ હાટ માર્કેટ તેમજ વિવિધ એક્ટિવિટીનો દિવાળીથી પ્રારંભ કરવામાં આવે છે. અગાઉ પાટનગર ભુજ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં કચ્છ કાર્નિવલનું અદભુત આયોજન થતું હતું, જે પુન: ચાલુ કરવા માટે માગ કરી છે. રણોત્સવ દરમિયાન ધોરડો ખાતે ઓછામાં ઓછા પાંચથી છ નવા ઈવેન્ટ અથવા ફેસ્ટીવલ શોનું આયોજન કરવામાં આવે તો પ્રવાસીઓમાં આકર્ષણ ઉભું થઈ શકે તેમ છે.
ગુજરાત
પુત્રના મૃત્યુના કલાકોમાં જ માતાનું હૃદય બેસી ગયું
જામનગરમાં બીમાર પુત્રના મોતના સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડેલી માતાએ પણ અંતિમ શ્વાસ લેતા અરેરાટી મચી ગઈ છે. 24 કલાકમાં જ માતા-પુત્રના મોતના પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાયેલ છે.
મળતી વિગતો મુજબ ડો. બક્ષીના દવાખાના પાસે રહેતા સાવન વસંતભાઇ કનખરા એકાદ વર્ષથી પેરાલીસિસ એટેક બાદ તેઓ પથારીવસ હતા. જેનુ ગઇકાલે નિધન થયું હતું. યુવાને ગઈકાલે આખરી શ્વાસ લીધા બાદ પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.
મૃતક યુવાનની અંતિમવિધિમાં જોડાયા હતા. ભારે રોકકળ વચ્ચે અંતિમક્રિયા કરાયાના ગણતરીની કલાકોમાં મૃતક યુવાનના માતા ભાનુબેન વસંતભાઇ કનખરાને હાર્ટ એટેક આવ્યો હતો. પુત્રના મોતના આઘાતમાં માતાનું હદય થંભી જતાં તેનું પણ કમકમાટીભર્યું મોત થયું હતું.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ