Uncategorized
આવતી કાલે PM મોદી અયોધ્યામાં / રામનગરીને મળશે 16 હજાર કરોડની યોજનાઓની ભેટ, સભાને કરશે સંબોધિત
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે, શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન અયોધ્યામાં ‘વિકાસના નવા યુગ’ની શરૂઆત સાબિત થશે. આ અવસર પર દેશને નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળવાની સાથે અયોધ્યાને 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ મળશે.
રામલલ્લાના અભિષેક પહેલા, વડાપ્રધાન મોદી તેમની મુલાકાત દરમિયાન અયોધ્યાને એરપોર્ટ, હાઈવે, રેલ્વે સ્ટેશન અને રેલ્વે લાઈનના ડબલીંગ સહિત અનેક મોટી યોજનાઓ ભેટમાં આપશે. જેમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર સાથે સંબંધિત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ચાર મુખ્ય રસ્તાઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓના કેટલાક પ્રોજેક્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યોગીએ મોદીની અયોધ્યા મુલાકાતને ‘અવિસ્મરણીય ઘટના’ બનાવવા સૂચના આપી છે.
તેના માટે, ગુરુવારે, તેમણે વરિષ્ઠ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી, દયાશંકર સિંહ, અયોધ્યાના મેયર સહિત સ્થાનિક વહીવટીતંત્ર સાથે વર્ચ્યુઅલ બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા કરી છે. વડાપ્રધાનના રોડ શો માટે નક્કી કરાયેલા રૂટ પર સુરક્ષા અને સ્વચ્છતાની સારી વ્યવસ્થા કરવા સૂચના આપતાં તેમણે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન સમગ્ર અયોધ્યા રામમય દેખાય. મઠો અને મંદિરોને શણગારવા. ભવ્ય તોરણો તૈયાર કરવા. સાંસ્કૃતિક જૂથો દ્વારા રસપ્રદ પ્રસ્તુતિઓ કરવી.
તેમણે કહ્યું કે, અયોધ્યાના લોકો પણ વડાપ્રધાનના સ્વાગત માટે ઉત્સુક છે, તેથી તેમને યોગ્ય જગ્યા આપો. વડાપ્રધાનનું ઋષિ-મુનિઓ દ્વારા પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવશે. તેમની સાથે વાતચીત કરો. આ રોડ શો જનતા માટે છે, તેથી જનતાની લાગણીનું સન્માન કરવું જોઈએ. રૂટ પર આવતી વાણિજ્યિક સંસ્થાઓ ખુલ્લી રહેવી જોઈએ. ઉદ્યોગપતિઓને તેમની સંસ્થાઓને સજાવવા માટે પ્રોત્સાહિત કરો.
સભાનું કરશે સંબોધન
સીએમએ કહ્યું કે, વડાપ્રધાન આ ખાસ અવસર પર જનસભાને સંબોધિત કરશે. સભામાં લગભગ 2 લાખ લોકોની ભીડ ઉમટી પડશે. તેથી, ભીડ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સભા સ્થળ અને અન્ય મહત્વના સ્થળોએ તબીબોને તૈનાત કરો. સુરક્ષાના કારણોસર એરિયલ સર્વેલન્સ પણ હોવું જોઈએ. CMએ ટ્રાફિક અંગે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
બે અમૃત ભારત અને છ વંદે ભારત ટ્રેનને બતાવશે લીલી ઝંડી
વડાપ્રધાન શનિવારે સવારે અયોધ્યામાં છ વંદે ભારત અને બે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. તેમાંથી અયોધ્યા-આનંદ બિહાર વંદે ભારત અને દિલ્હી-દરભંગા અમૃત ભારત ટ્રેનોને અયોધ્યા ધામ રેલવે સ્ટેશન અને અન્ય વર્ચ્યુઅલ માધ્યમથી ફ્લેગ ઓફ કરવામાં આવશે. પીએમ અયોધ્યા ધામ સ્ટેશન પર તૈયાર નવી ઇમારતનું ઉદ્ઘાટન પણ કરશે.
લોંચ કરવા માટે પ્રસ્તાવિત યોજનાઓ
1-મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ- 1463
2-અયોધ્યા-જગદીશપુર હાઇવે- 2185
3-જૌનપુર-બારાબંકી રેલ્વે લાઇન ડબલિંગ- 1919
4-મલહૌરથી ડાલીગંજ લાઇન ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશન – 200
5-રામ પથ- 844.93
6-ભક્તપથ- 68.04
7-ધર્મ પથ – 65.40
8-NH-27 બાયપાસથી રામજન્મભૂમિ હાઇવે- 44.98
9-બાડી બુઆ રેલ્વે ઓવરબ્રિજ- 74.25
10-અયોધ્યા રેલ્વે સ્ટેશન પ્રથમ તબક્કો-241
11-રાજર્ષિ દશરથ મેડિકલ કોલેજ- 245.64
(કુલ 31 પ્રોજેક્ટ્સ સહિત).
શિલાન્યાસ માટે પ્રાસ્તાવિક પરિયોજનાઓ
1-ગ્રીન ફીલ્ડ ટાઉનશીપ- 2181
2-વશિષ્ઠ કુંજ નિવાસી યોજના- 300
3-ADA/મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ- 119
4-NH-27 (8 થી 121.6 કિમી) મજબૂતીકરણ અને સુધારણા – 297
5-NH-27 બાયપાસ (121.6 થી 144.02 કિમી) – 218
6-ગુપ્તરઘાટથી સરયૂના રાજઘાટ સુધી નવા ઘાટ અને બ્યુટિફિકેશન – 39.4
7-નયા ઘાટથી લક્ષ્મણ ઘાટ સુધી પ્રવાસી સુવિધાઓનો વિકાસ- 23.29
દીપોત્સવ માટે 8-ગેલેરી- 23.25
9-રામ કી પૈડી, રાજઘાટ, રામ મંદિર કોરિડોર- 22.83
10-ચાર ઐતિહાસિક દરવાજાઓના બ્યુટીફિકેશન અને અન્ય કામો- 15.18
11- CIPET (સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી)-39
અન્ય જિલ્લાઓમાં લોકાર્પણ માટે પ્રસ્તાવિક પરિયોજનાઓ
1-ગટર વ્યવસ્થાનું કામ ઉન્નાવ- 102
2-ટેનરી ક્લસ્ટર જાજમાઉ, કાનપુર- 617
3-130 MLD STP જાજમાઉ ઝોન- 967
4-ખુતાર-લખીમપુર સેક્શન બે લેન રોડ NH-730 (82-140 કિમી) 327
5-રૂમા-ચકેરી-ચંદારી રેલ્વે લાઇન 3- 182
6-ગોસાઈનું બજાર ફોર લેન બાયપાસ (ઘાઘરા બ્રિજથી વારાણસી)-2406.45
7-ત્રિશુંડી પ્રોજેક્ટ-160
Uncategorized
શહેર-જિલ્લામાં દારૂ વેચનારાઓ પર પોલીસની ધોંસ
આઠ દરોડામાં ઈંગ્લિશ દારૂની નાની મોટી 11પ બાટલી ઝડપાઈ: નવ શખ્સોની અટકાયત
જામનગર શહેર તેમજ જિલ્લામાં પોલીસે જુદા જુદા 8 સ્થળોએ દારૂ અંગેના દરોડા પાડી કુલ ઈંગ્લીશ દારૂની નાની મોટી 11પ બોટલ કબજે કરી છે અને આઠ જેટલા શખ્સોની મુદામાલ સાથે ધરપકડ કરી છે.
જામનગર સીટી એ ડિવિઝન પોલીસે દિગ્વિજય પ્લોટ શેરી નંબર 42 માં રજા મેન્શન પાસે રહેણાંક મકાનમાં રેડ પડી હતી. આ દરમિયાન યોગેશ્વર રમણીકલાલ વિઠલાણીના રહેણાંક મકાનમાંથી 3500ની કિંમતની 7 બોટલ તથા 31 ચપલા દારૂ સહિત 6600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે વધુ તપાસ કરતા અશોક ઉર્ફે મિર્ચી ખટાઉભાઈ મંગે નામના શખ્સનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં દારૂની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે કિસાન ચોકમાં આવેલ માલદે ભુવન શેરી નંબર ત્રણમાં રેડ પાડી હતી. આ વેળાએ 12000 ની કિંમતની 24 બોટલ દારૂના જથ્થા સાથે નીકળેલ કરણ ગુલાબભાઈ ડાભી નામના કોડીના દંગા પાસે સોનલ નગર મેઈન રોડ સર્કલ જામનગરમાં રહેતા શખ્સને પકડી પાડ્યો હતો.
આ ઉપરાંત પોલીસે દારૂ સંબંધીત વધુ એક દરોડો કિસાન ચોકમાં નંદા બ્રધર્સ વાળી ગલીમાં પાડ્યો હતો. જ્યાં રવિ અમરીશભાઈ ધેયડા નામના શખ્સના કબજામાંથી 24 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધી હતો.પોલીસે 12 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી આદરી છે. આ ઉપરાંત જામનગર શહેરના વિશ્રામ વાડી વિસ્તારમાં રહેતા ક્રિષ્ના ઉર્ફે એકો મહેન્દ્ર ગોરી ના રહેણાંક મકાનમાંથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો. જોકે આરોપી હાજર મળ્યો ન હતો.
તેજ રીતે દિગ્વિજય પ્લોટ 58 માં આવેલ બાળકોના સ્મશાન પાસેથી સુરેશ ઉર્ફે સુરિયો ગંગારામ જોશી દારૂૂની બોટલ સાથે પકડાયો હતો. જ્યારે દર્શન ઉર્ફે ખેતો હરીશભાઈ ચાંદરાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ આદરી છે. તો નાગર ચકલા પાસે જાહેરમાં દારૂની બાટલી સાથે નીકળેલા કૃણાલ મહેશભાઈ ઝીંઝુવાડીયાને પોલીસે પકડી પાડ્યો હતો.
મેઘપર પોલીસે મોટીખાવડી ગામે આવેલ નાગાર્જુન પેટ્રોલ પંપ પાછળ નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજાની ટ્રાન્સપોર્ટ ની ઓફિસમાં રેડ પડી હતી જ્યાં ત્રણ બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. મેકર પોલીસે નરેન્દ્રસિંહ જાડેજા તેમજ નવલભાઇ ખેરાભાઈ બુજડ નામના બંને શખ્સોની અટક કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સીટીસી ડિવિઝન પોલીસે અંતરાશ્રમ ફાટક પાસે આવાસ કોલોની બ્લોક નંબર 51 માં બીપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયાના મકાનમાં રેડ પડી હતી. જ્યાં તપાસ હાથ ધરતા 9200 ની કિંમતની 23 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પરિસ્થિતિ પારખી આરોપી બીપીન હાજર ન મળતા તેમને ફરારી જાહેર કરાયો છે.
Uncategorized
વડાપ્રધાનની સભા પહેલાં કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ પાંચ આતંકી ઢેર
બારામુલ્લા અને કઠુઆમાં સેનાની કાર્યવાહી, બે જવાનની શહીદીનો બદલો લેવાયો
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આજે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે ઉત્તર કાશ્મીર જિલ્લાના પટ્ટન વિસ્તારમાં ચક ટેપર કરીરીમાં ગોળીબાર શરૂૂ થયો હતો. આ ઓપરેશન હાલ ચાલુ છે.
Uncategorized
શહેરમાં ગાબડારાજ: પ્રજાના કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય
સરકારે પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી..
જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની હાલત દિનપ્રતિદિન વણસતી જાય છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ ઉબડખાબડ બની ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો સ્થિતિ વધુ ગંભીર છે. લોકોને સ્વયંભૂ ખાડા પૂરવાની ફરજ પડી છે. શહેરી વિસ્તારોમાં સરકાર દ્વારા માર્ગોની મરામત માટે નાણા ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ નાણાંનો ઉપયોગ કેટલી હદે થશે તે અંગે શંકાઓ વ્યક્ત થઈ રહી છે.
સરકારી તંત્ર દ્વારા પ્રેસ રિલીઝ અને અન્ય માધ્યમો દ્વારા સતત માહિતી આપવામાં આવે છે, પરંતુ આ માહિતીમાં મોટાભાગે કરાયેલી કામગીરીની વાહવાહી અને આંકડાઓની માયાજાળ જોવા મળે છે. વાસ્તવિક સ્થિતિ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટે લેવામાં આવતા પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને મળતી નથી. મેયર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પંચાયતના પ્રમુખો, કલેક્ટરો વગેરેએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા વાસ્તવિક સ્થિતિ જાહેર કરવી જોઈએ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની માહિતી આપવી જોઈએ.
લોકો સરકારી તંત્ર પાસેથી વાસ્તવિક માહિતી અને કાર્યક્ષમ કામગીરીની અપેક્ષા રાખે છે. લોકો સરકારી તંત્રની ઢીલાશ અને ભૂલો સ્વીકારવા તૈયાર છે, પરંતુ તેને છુપાવવાના પ્રયાસો સામે વિરોધ કરે છે. સરકારી તંત્રને લોકોની અપેક્ષાઓને પૂરી કરવા માટે વધુ પારદર્શી અને જવાબદાર બનવું જરૂૂરી છે. વાસ્તવિક સ્થિતિ સ્વીકારવી અને તેના સંદર્ભમાં તત્કાળ પગલાં લેવા, કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને આપવી અને પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી છે.
પ્રશાસનિક અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરવો જોઈએ. જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની દયનીય સ્થિતિ પાછળ સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર જવાબદાર છે. પ્રજાનાં કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે લોકોએ એક થઈને સરકારને જવાબદાર બનાવવી પડશે.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત16 hours ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
રાષ્ટ્રીય19 hours ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી