ગુજરાત
ગુજરાતમાં અધિકારીઓની બદલીનો દોર યથાવત…10 IAS અધિકારીઓની સાગમટે કરાઇ બદલી
રાજ્યના આઇએએસ અધિકારીઓની બદલીનો દોર યથાવત છે. ત્યારે ગાંધીનગર વહીવટી વિભાગ દ્વારા ગુજરાતનાં 10 આઈએએસની બદલી કરવામાં આવી છે. જેમાં કલેક્ટરોનો સમાવેશ થાય છે.
ગત અઠવાડિયે જ IAS અને IPS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં 18 IAS અધિકારીઓની જવાબદારી બદલવામાં આવી હતી.
જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ
બી. જે. પટેલને ગાંધીનગરના DDO તરીકે નિમણૂક કરવામાં આવી છે.
કે. ડી. લાખાણીને શ્રમ વિભાગના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
એસ. ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે
- એક. કે. મોદીને નર્મદાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
- એન. એન. દવેને વલસાડના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
- રતનકંવર ગઢવીચારણની બદલી સાબરકાંઠા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
- સુજીત કુમારને ભાવનગર મનપાના મ્યુનિ. કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
- શ્વેતા તિઓટિયાને GUVNLના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
- એન. વી. ઉપાધ્યાયને કો ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
- લલિત નારાયણ સિંહ સંધુને સમગ્ર શિક્ષા અભિયાનમાં પોસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાત
પોલીસે દેશી દારૂના ધંધાર્થીનો પીછો કરતાં ફિલ્મી દૃશ્યો સર્જાયા
બૂટલેગર સ્કૂટર સાથે પટકાઈ પડ્યો, દારૂની કોથળીઓ તૂટી જતાં સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પ્રસરી
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાંથી સ્કૂટરમાં દેશી દારૂનો જથ્થો લઈને જઈ રહેલા બુટલેગરનો પોલીસે પીછો કરતાં ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા. ભાગી રહેલો સ્કૂટર ચાલક એકાએક માર્ગ પર પડ્યો હતો, અને તેની દારૂની કોથળીઓ માર્ગ પર ફૂટી જતાં સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પ્રસરી હતી. પોલીસે ઇજાગ્રસ્ત બનેલા બુટલેગરની અટકાયત કરી લઈ તેનું સ્કૂટર તથા બાકી રહેલો દેશી દારૂૂ કબજે કર્યો છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગરનો સીટી સી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ખોડીયાર કોલોની વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યો હતો, જે દરમિયાન એસવીઇટી કોલેજ નજીકના ભાગમાં રહેતો રવિ બચુભાઈ દેગામા નામનો એક દારૂનો ધંધાર્થી પોતાના એક્સેસ સ્કૂટર ની ડેકીમાં તેમજ આગળના ભાગમાં દેશી દારૂની કોથળીઓનો જથ્થો લઈને જાહેરમાં નીકળી રહ્યો હતો.
પોલીસે જેનો પીછો કરવાનો પ્રયત્ન કરતાં બુટલેગર રવિના ભાગવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા, અને પોતાના સ્કૂટર સાથે સ્લીપ થયો હતો, અને તેને સામાન્ય ઇજા થઈ હતી.
ઉપરાંત દેશી દારૂૂની કેટલીક કોથળીઓ તૂટી ગઈ હતી અને માર્ગ પર દેશી દારૂ ઢોળાયો હોવાના કારણે આસપાસના વિસ્તારમાં દેશી દારૂની દુર્ગંધ પ્રસરી હતી. જેથી રાહદારીઓ, વાહનચાલકો, તેમજ સ્થાનિક દુકાનદારો પરેશાન થયા હતા.
સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે બુટલેગર રવિ દેગામાની અટકાયત કરી લીધી હતી, અને તેનું સ્કૂટર તથા બચી ગયેલો દેશી દારૂ કબજે કર્યો હતો, અને સીટી સી. ડિવિઝન પોલીસમાં મથકે લઈ જઈ તેની પ્રાથમિક સારવાર કર્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાત
ધોરાજીના વેપારીનો લાલપુર બાયપાસ પાસે ડમ્પર હેઠળ પડતું મૂકી આપઘાત
જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે ધોરાજીના વેપારી યૂવાને માનસિક અસ્થિરતાના કારણે ડમ્પર હેઠળ પડતું મૂકી દઈ આપઘાત કરી લીધો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના વતની સંજય બાબુભાઈ જેઠવા નામના મોચી જ્ઞાતિના 48 વર્ષના વેપારી યુવાને ગઈકાલે લાલપુર બાયપાસ નજીક રોડ પરથી પસાર થઈ રહેલા જી.જે. -10 ટી.ટી. 8079 નંબરના ડમ્પરની હેઠળ પડતું મૂકી દેતાં તેના પરથી ડમ્પર ના ટાયર ફરી વળ્યા હતા, અને બનાવના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. માનસિક અસ્થિરતાના કારણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ દિપક ભાઈ જેઠવાએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
અલિયાબાડા પાસે નદીમાં નહાવા પડેલા બાળકનું પિતાની નજર સામે મોત
માછલીઓને મમરા ખવડાવતી વખતે બનાવ બન્યો
જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતો 12 વર્ષનો એક બાળક પોતાના પિતા અને નાની બહેન સાથે અલિયાબાડા નજીક આવેલી નદીમાં નાહવા માટે પડ્યો હતો, અને ડૂબી જવાથી તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જેથી પરિવારમાં ભારે માતમ છવાયો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા અને મૂળ અલિયા ગામ ના રહેવાસી અયુબખાન મોગલ કે જેઓ પોતાના 12 વર્ષના પુત્ર એજાજખાન તથા નાની પુત્રીને લઈને ઇદનો તહેવાર હોવાથી અલિયાબાડા પોતાના વતન નજીક દરગાહે દર્શને ગયા હતા.
ત્યારબાદ નજીકમાં જ આવેલી નદીમાં માછલીને મમરા નાખ્યા હતા, અને ત્યારબાદ અયુબ ખાન અને તેનો પુત્ર એજાજ વગેરે પાણીમાં નાહવા માટે પડ્યા હતા. ત્યારે 11.30 વાગ્યાના અરસામાં પુત્ર ઇજાજખાન ઊંડા પાણીમાં ચાલ્યો જતાં તેના પિતા અને નાની બહેનની નજર સમક્ષ નદીના પાણીમાં ડૂબી ગયો હતો.
જેથી પિતા અને બહેન વગેરે ભારે બુમાબુમ કરી હતી, પરંતુ એજાજ નો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ આસપાસના વિસ્તારના તરવૈયાઓ તેમજ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીમાં શોધખોળ કર્યા પછી તેઓના હાથમાં એજાજનો મૃતદેહજ હાથમાં આવ્યો હતો. જેના મૃત્યુને લઈને પરિવારમાં ભારે માતમ છવાયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ ચાવડા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને બાળકના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય23 hours ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય23 hours ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત19 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત19 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય19 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ધાર્મિક18 hours ago
ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે