Connect with us

આંતરરાષ્ટ્રીય

જાદુ ટોના કરતી પુત્રીએ માતાના ટુકડા કરી નાખ્યા, પછી ઓવનમાં બાફીને ખાઇ ગઇ

Published

on

મેલી વિદ્યાના ઝઘડાનું ભયાનક પરિણામ, અમેરિકાની ખોફનાક ઘટના

અમેરિકા જેવો દુનિયાનો સૌથી સુધરેલો અને ભણેલો-ગણેલો દેશ પણ જાદુ-ટોણાથી બાકાત નથી. જાદુ ટોણા કરનારી એક મહિલાએ એવો કાંડ કર્યો કે જાણીને કંપારી છૂટી જાય તેવું છે. આ મહિલાએ પોતાની સગી માતાને મારીને તેના ટુકડા કરી નાખ્યાં હતા અને પછી અમુક ટુકડા ઓવનમાં બાફ્યાં પણ હતા જ્યારે બાકીના કેન્ટૂકી શહેરના છુટાછવાયા વિસ્તારમાં ફેંકી દીધા હતા.


આ મહિલા મેલી વિદ્યાની ઉપાસક હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ટોરિલીના અને તેની માતા ટ્રુડી ફિલ્ડ્સના સંબંધો વણસેલા હતા. પુત્રી ટોરિલીના મેલી વિદ્યા કરતી હતી જેથી અવારનવાર માતાનો તેની સાથે ઝગડો થતો હતો.કેન્ટુકી સ્ટેટ પોલીસને માતાની ભયાનક હત્યાની ત્યારે ખબર પડી કે જ્યારે એક શખ્સે તેમને લાશ પડી હોવાની જાણ કરી હતી. આ પછી પોલીસ બપોરે બ્રિઅરલી રિજ રોડ પર મહિલાના ઘરે પહોંચી હતી અને પૂછપરછ શરુ કરી હતી.


તપાસ દરમિયાન પોલીસે ઘરના પાછળના ભાગમાં એક ભયાનક દ્રશ્ય જોયું.
તેમને લોહીના ડાઘાવાળું ગાદલું અને ટ્રુડી ફિલ્ડ્સનું વિચ્છેદિત શરીર મળ્યું. માતાના અવશેષો ઘાસમાં પડેલા મળ્યા. જ્યારે અધિકારીઓએ ઘરની અંદર તપાસ કરી તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. પોલીસને પાછળના મંડપ પર લોહીથી ખરડાયેલી લાકડી અને શરીરના અન્ય અંગો મળી આવ્યા હતા. પોલીસને ઓવનની અંદર સ્ટેનલેસ સ્ટીલના વાસણમાં રાંધેલા શરીરના અંગો પણ મળ્યા હતા.


પોલીસની બીકથી મહિલા ઘરમાં અંદર છુપાઈ ગઈ હતી અને તેથી પોલીસે ટોરીલેનાને મોડી રાત્રે ઘરની બહાર કાઢવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. જ્યારે તેણી બહાર આવી ત્યારે તેણીના ચહેરા, હાથ અને કપડા પર લોહી હતું.

Sports

ફૂટબોલ સ્ટાર એમબાપ્પે પર બળાત્કારનો આરોપ

Published

on

By

રમતગમત જગતમાં અચાનક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ફૂટબોલર કૈલિયન એમબાપ્પે એક મોટા વિવાદમાં આવી ગયો છે. તેના પર હોટલમાં બળાત્કારનો આરોપ છે. જો કે, દિગ્ગજ ખેલાડીએ આ મામલે પોતાનું મૌન તોડ્યું અને તેને નકલી ગણાવ્યું. પરંતુ બીજી તરફ પોલીસે ઝડપી તપાસ શરૂૂ કરી છે.


એક અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેના પર બળાત્કારનો આરોપ છે. હાલમાં પોલીસ તેમની તપાસ કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ ખબફાાય એ આ સમાચારની નિંદા કરી અને તેને નકલી ગણાવ્યો. અખબારે અહેવાલ આપ્યો છે કે સ્વીડિશ પોલીસ બેંક હોટેલમાં કથિત બળાત્કારની ઘટનાની તપાસ કરી રહી છે, જ્યાં ખબફાાય અને તેના સાથીઓ એક રાત રોકાયા હતા. ખબફાાય એ આ મુદ્દા પર પોતાનું મૌન તોડ્યું છે, અને દાવો કર્યો છે કે તે તેની છબી અને પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ છે, તે પણ બાકી પગાર અંગેની સુનાવણી પહેલા. તે જ સમયે, તેમની ટીમે દાવો કર્યો છે કે સત્ય બહાર લાવવા અને ફ્રેન્ચ ફોરવર્ડની છબી સુધારવા માટે તમામ કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, ધ સનના અહેવાલ મુજબ, ટીમે ડાંકેની ઈજા પર પણ કહ્યું કે તેના પર લાગેલા આરોપો સંપૂર્ણપણે ખોટા અને બે જવાબદાર છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

કેનેડા સામે મોદી સરકારની આક્રમક નીતિ સંપૂર્ણ યોગ્ય

Published

on

By

ભારત અને કેનેડાના સંબંધોમાં ફરી ડખો પડ્યો છે અને ભારતે કેનેડા ખાતેના પોતાના હાઈ કમિશનર સંજય કુમાર વર્માને પાછા બોલાવી લેવાનો નિર્ણય લેતાં બંને દેશોના રાજદ્વારી સંબંધોનો અંત આવી જવાનાં એંધાણ છે. ટેકનિકલી રાજદ્વારી સંબંધોનો અંત આવી જ ગયો છે કેમ કે હાઈ કમિશનર સર્વોચ્ચ રાજદ્વારી છે. ભારતે પહેલાં કેનેડાના ભારત ખાતેના રાજદૂતને ભારત છોડવા કહ્યું ને પછી પોતાના હાઈ કમિશનરને જ પાછો બોલાવી લીધો તેનો મતલબ એ કે, બંને દેશોમાં હવે એકબીજાના ટોચના અધિકારી નથી ને તેનો અર્થ રાજદ્વારી સંબંધોનો અંત જ કહેવાય. કેનેડા ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને મામલે ભારત સામે આંગળી ચીંધ્યા કરે છે.

જૂન 2023માં નિજ્જરની હત્યા પછી કેનેડાએ આક્ષેપ મૂક્યો હતો કે, ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા આ હત્યામાં સામેલ છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા 18 જૂને થઈ પછી કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે, નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. આ આક્ષેપોને ભારતે પાયાવિહોણા ગણાવ્યા હતા. ભારતે એ વખતે પણ કહેલું કે, આ મુદ્દે રાજકારણ રમાઈ રહ્યું છે અને ભારતને નિજ્જરની હત્યા સાથે કંઈ લેવાદેવા નથી.કેનેડા એ પછી પણ આ મુદ્દાનો છાલ છોડવા તૈયાર નથી. હમણાં કેનેડા તરફથી ભારતને એક ડિપ્લોમેટિક કમ્યુનિકેશનમાં ફરી આક્ષેપ કરાયો કે, નિજજરની હત્યાની તપાસમાં બહાર આવ્યું છે કે, ભારતના હાઈ કમિશનર વર્મા અને અન્ય રાજદ્વારી આ હત્યામાં સામેલ હતા. ભારતે રાજદૂત સંજય કુમાર વર્માનો બચાવ કરતા કહેલું કે, આ આક્ષેપો એકદમ હાસ્યાસ્પદ અને ખોટા છે. સંજય કુમાર વર્મા જાપાન અને સુદાનમાં પણ ભારતના રાજદૂત રહ્યા છે અને તેમની સામે આંગળી ચીંધી શકાય એવું કશું નથી.

કેનેડાએ એ છતાં જૂની રેકર્ડ વગાડવાનું બંધ ના કરતાં અકળાઈને ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડામાં આપણા હાઈ કમિશનર સહિતના અધિકારીઓને ભારત પરત બોલાવવાનો ફેંસલો કરીને આકરા તેવર બતાવ્યા છે. વિદેશ મંત્રાલયે સાફ શબ્દોમાં કહ્યું છે કે, કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકાર ભારકીય હાઈ કમિશનર અને અન્ય અધિકારીઓની સુરક્ષા અંગે કોઈ ખાતરી આપવા તૈયાર નથી તેથી અમે તેમને પરત બોલાવી રહ્યા છીએ. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સસંદમાં નિવેદન આપેલું કે, હરદીપસિંહ નિજ્જર કેનેડાનો નાગરિક હતો પણ ભારતે કેનેડાની ધરતી પર તેની હત્યા કરાવીને કેનેડાના સાર્વભૌમત્વનો ભંગ કર્યો છે. નિજ્જર કેનેડાનો નાગરિક હતો એ વાત સાથે સહમત થવામાં આપણને કંઈ વાંધો નથી પણ ટ્રુડો કહે છે એમ નિજ્જર સામાન્ય નાગરિક નહોતો. ભારતમાં નિજ્જર સામે હત્યાઓ કરાવવા સહિતના આતંકવાદને લગતા કેસ હતા. નિજ્જર ભારતના ભાગલા કરવાનો હેતુ પાર પડે એ માટે આતંકવાદ ફેલાવતો હતો.

ભારત સરકારે નિજ્જરને આતંકવાદી જાહેર કરીને દસ લાખ રૂૂપિયાનું ઈનામ જાહેર કરેલું હતું. નિજ્જર ભારતના ભાગલા કરવા માગતો હોય ને આપણે બેઠા બેઠા તમાશો જોયા કરીએ, કેનેડાના સાર્વભૌમત્વની ચિંતા કર્યા કરીએ એ શક્ય નથી. દુનિયાનો કોઈ પણ દેશ પોતાની સુરક્ષા સામે ખતરો હોય ને દેશના ટુકડા કરવા માગતો હોય એવા નમૂનાને ઉપર જ પહોંચાડે. ભારતે પણ એ કર્યું તો તેમાં જરાય ખોટું વનથી. ટ્રુડોને કેનેડાના સાર્વભૌમત્વની એટલી જ ચિંતા હતી તો તેમણે નિજ્જરને પહેલાં રોકવાની જરૂૂર હતી. નિજ્જર કેનેડાની ધરતીનો ઉપયોગ ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે કરતો હતો એ બંધ કરાવવાની જરૂૂર હતી. તેના બદલે કેનેડા નિજ્જરને છાવરતું હતું ને હવે કેનેડા નિજ્જરની હત્યા બદલ છાજિયાં લે, કેનેડાના સાર્વભૌમત્વની વાતો કરે એ ના ચાલે. ભારત અને કેનેડા બંનેના આર્થિક હિતો પરસ્પર જોડાયેલાં છે તેથી કોઈને પણ એકબીજાને અવગણવા પરવડે નહીં. આ કારણે બહુ જલદી બધું પૂર્વવત થઈ જશે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

કેનેડા વિવાદમાં અમેરિકાની એન્ટ્રી; ભારતને સહયોગ આપવા સલાહ

Published

on

By

નિજ્જરની હત્યાની તપાસમાં ભારત સામેના આરોપો ગંભીર ગણાવ્યા, જો કે સત્તાવાર નિવેદનમાં ભારત સામે વિરોધ નોંધાવવાનું ટાળ્યું

ભારત અને કેનેડા વચ્ચેના વિવાદમાં હવે અમેરિકા પણ કૂદી પડ્યું છે. કેનેડાએ ફરી આરોપ લગાવ્યો છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય અધિકારીઓનો હાથ છે. આ સાથે તેણે ભારતના હાઈ કમિશનર સહિત છ રાજદ્વારીઓને પાછા ફરવા કહ્યું. આ આરોપો બાદ કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો છે. કેનેડાએ મંગળવારે કહ્યું કે તેણે ફાઇવ આઇઝ (ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, યુકે અને અમેરિકા)ને આ અંગે જાણ કરી છે. હવે અમેરિકાએ ભારતને તપાસમાં સહકાર આપવા વિનંતી કરી છે. તેમણે કેનેડાના આરોપોને ખૂબ જ ગંભીર ગણાવ્યા હતા.


યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે, અમેરિકા ભારત સાથે સહયોગ માટે આતુર છે. પરંતુ કેનેડિયન હાઈ કમિશનરને હાંકી કાઢવાનો તેમનો નિર્ણય સૂચવે છે કે તેમણે બીજો રસ્તો પસંદ કર્યો છે. જ્યારે કેનેડિયન કેસની વાત આવે છે, ત્યારે અમે સ્પષ્ટ કર્યું છે કે આરોપો અત્યંત ગંભીર છે અને તેને ગંભીરતાથી લેવા જોઈએ, મિલરે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું. અમે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર તેની તપાસમાં કેનેડાને સહયોગ આપે. દેખીતી રીતે, તેણે તે રસ્તો પસંદ કર્યો નથી.


કેનેડાએ ભારત સરકાર, તેના અધિકારીઓ અને ગુપ્તચર એજન્સી આરએડબલ્યુ પર કેનેડિયન નાગરિકોની હત્યાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો બાદ સોમવારે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધુ વધ્યો જ્યારે ભારતે તેના હાઈ કમિશનર સહિત છ રાજદ્વારીઓને પાછા બોલાવવાની જાહેરાત કરી. આ સિવાય છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે કેનેડા દ્વારા ભારતીય અધિકારીઓને નિશાન બનાવવાની વાતને પાયાવિહોણી ગણાવી છે. એમ પણ કહ્યું કે કેનેડાના કારણે તેમની સુરક્ષા જોખમમાં છે.


મિલરે સ્પષ્ટપણે કહ્યું કે તાજેતરના મહિનાઓમાં ભારત સાથે સિનિયર મોસ્ટ લેવલ પર વાતચીત ચાલી રહી છે.
તેમણે કહ્યું કે તણાવ છતાં પણ અમેરિકા ભારતને એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જુએ છે. ખાસ કરીને, બંને દેશો મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સમાન દ્રષ્ટિ ધરાવે છે. તેમણે કહ્યું, ભારત અમેરિકાનું અવિશ્વસનીય રીતે મજબૂત ભાગીદાર બની ગયું છે. જ્યારે પણ બંને દેશો વચ્ચે ચિંતા થાય છે ત્યારે તેઓ ખુલીને વાત કરે છે.

ભારતનું મક્કમ વલણ યથાવત

વિદેશમંત્રાલયે નિવેદન આપતા કેનેડાના આરોપોને નક્રી કાઢ્યા હતાં અને જણાવ્યું હતું કે, ભારતે કેનેડાથી તેના હાઈ કમિશનરને પાછા બોલાવ્યા અને તેના છ રાજદ્વારીઓને નવી દિલ્હીમાંથી હાંકી કાઢ્યા. વડાપ્રધાન ટ્રુડોએ સપ્ટેમ્બર 2023 માં કેટલાક આરોપો કર્યા હોવાથી, કેનેડાની સરકારે અમારી તરફથી ઘણી વિનંતીઓ છતાં, પુરાવાનો એક ટુકડો ભારત સરકાર સાથે શેર કર્યો નથી. આ ઉપરાંત મંત્રાલયે ભારત પ્રત્યે ટ્રુડોની ઐતિહાસિક દુશ્મનાવટને પ્રકાશિત કરી, તેમની ભૂતકાળની મુલાકાતો અને અલગતાવાદી વિચારધારાને પ્રોત્સાહન આપતી વ્યક્તિઓ સાથેના જોડાણોનો ઉલ્લેખ કર્યો. તેઓએ દલીલ કરી હતી કે ટ્રુડોની સરકારે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ અને સમુદાયના નેતાઓને ડરાવવા માટે હિંસક ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓ માટે જગ્યાની સુવિધા આપી છે.

Continue Reading
ગુજરાત3 mins ago

100 કરોડ સામે અડધી મિનિટમાં 495 કરોડનું ભરણું

રાષ્ટ્રીય1 hour ago

નાયબ સિંહ સૈની બનશે હરિયાણાના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય

રાષ્ટ્રીય1 hour ago

ડાબા હાથથી કામ કરતા લોકોને હૃદય અને મગજના રોગોનું જોખમ વધારે,જાણો નિષ્ણાંતો પાસેથી

ગુજરાત1 hour ago

સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી, રાજ્ય સરકાર આ તારીખે કરશે ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચૂકવણી

રાષ્ટ્રીય2 hours ago

સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે આપી દિવાળીની ભેટ, મોંઘવારીના ભથ્થામાં કર્યો વધારો

મનોરંજન3 hours ago

કોણ છે સાઉથના આ સુપરસ્ટાર કે જેની સામે બધા બોલિવૂડ સ્ટાર્સના લગ્ન નિષ્ફળ!,જાણો

કચ્છ3 hours ago

કચ્છના કંડલાની એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકના મોત

રાષ્ટ્રીય3 hours ago

જમ્મુ-કાશ્મીરના સીએમ બન્યા ઓમર અબ્દુલ્લા, બીજી વખત લીધા શપથ, INDIA ગઠબંધનના નેતાઓ રહ્યાં હાજર

ગુજરાત3 hours ago

દિગ્વિજય પ્લોટના કારખાનામાંથી પિત્તળના સળિયા ચોરનાર બે મહિલાને ઝડપી લેતી પોલીસ

ક્રાઇમ3 hours ago

આણદાબાવા ચકલા વિસ્તારમાંથી ક્રિકેટ સટ્ટો રમતો વેપારી ઝડપાયો

ક્રાઇમ23 hours ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

આંતરરાષ્ટ્રીય22 hours ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ગુજરાત23 hours ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત23 hours ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

ગુજરાત2 days ago

ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા રાજકોટમાં માંગ

ગુજરાત23 hours ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

ગુજરાત23 hours ago

ત્રણેય ઝોનમાં 84 આસામી પાસેથી 12.74 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

કચ્છ2 days ago

રાજકોટ માવતર ધરાવતી પરિણીતાએ છૂટાછેડા વગર બીજા લગ્ન કરતા ફરિયાદ

ગુજરાત2 days ago

રોગચાળો બેકાબૂ: ડેેન્ગ્યુએ વધુ બે ભોગ લીધા

ગુજરાત2 days ago

વિવિધ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે લોકોને માહિતગાર કરાશે

Trending