ગુજરાત
સૌરાષ્ટ્રભરમાં હુસૈની માહોલ વચ્ચે મોહરમ પર્વ નિમિત્તે તાજિયા-જુલૂસ યોજાયા
કરબલાના મેદાનમાં સત્ય માટે હઝરત ઇમામ હુસેન અને તેના 72 સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મનાવવામાં આવતા મોહરમ પર્વમાં મંગળવારે સાંજના તાજીયા પડમાં આવ્યા હતા. છેલ્લા દસ દિવસથી સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર ઇમામ હુસૈનની યાદીમાં સબિલો, આમ ન્યાઝ, જાહેર લંગર, તકરીર, મહેફીલ સહિતના પ્રોગ્રામોનું મુસ્લિમ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું. બુધવારે રાત્રે ઠેર-ઠેર કલાત્મક તાજીયા જુલુસ સાથે શહેર અને ગ્રામિણ વિસ્તારમાં નિકળ્યા હતા.
વાંકાનેર
મહોરમ નિમિત્તે છેલ્લા દસ દિવસથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઠેર ઠેર ઇમામ હુસૈનની યાદીમાં સબિલો, આમ ન્યાઝ, જાહેર લંગર, તકરીર મહેફીલ સહિતના પ્રોગ્રામોનું મુસ્લિમ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંગળવારે રાત્રે કલાત્મક તાજીયા જુલુસ સાથે શહેર ભરમાં નિકળ્યા હતા, જે બાદ પુન: બુધવારે બપોરથી તાજીયા વિશાળ ઝુલુસ સાથે શહેરભરમાં ફરી રહ્યા હતા, જે રાત્રીના શહેરના ગ્રીન ચોક ખાતે પહોંચ્યા બાદ ધાર્મિક વિધિ સાથે પૂર્ણ થયા. આ સમગ્ર ઉજવવામાં વાંકાનેર વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આસ્થાભેર જોડાયા હતા.
પ્રભાસ પાટણ
જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગાર દ્રારા મહોરમ તહેવાર સબબ અત્રેના જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે જે અંગે પ્રભાસ પાટણમાં ઝુલુસ નિકળનાર રૂૂટ પર સર્વેલન્સ દ્વારા નજર રાખવા સુચના આપવામાં આવેલ હોય તે અનુસંધાને આજરોજ પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેકટર પટેલ દ્વારા પ્રાઇવેટ ડ્રોન ભાડે કરાવી ડ્રોન દ્વારા મહોરમ તહેવાર સબબ નિકળનાર ઝુલુસના રૂૂટ પર ડ્રોન ઉડાડી ડ્રોનથી સમગ્ર રૂટ તેમજ પ્રભાસ પાટણ શહેરના વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
બગસરા
બગસરામાં દર વર્ષની માફક આ વર્ષે પણ મોહરમ પર્વ નિમિત્તે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ તથા નવનિયુક્ત વેપારી મહામંડળ પોલીસ અધિકારી સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક કરી સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ લોકો આ મોહરમ પર્વ નિમિત્તે ચા નાસ્તા નું આયોજન કરવામાં આવ્યું હતું બગસરામાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક મોહરમ પર્વ જેમાં હિન્દુ ભાઈઓ પોતાના રોજ ધંધા રોજગાર બંધ રાખીને પણ આ મોહરમ પર્વ નિમિત્તે બનાવવામાં આવે છે અથવા કોઈપણ રીતે મદદરૂૂપ થઈ અને ભાઈચાર અને એકતા વધુ મજબૂત થાય તેના માટે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે સમગ્ર બગસરા ના હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો નવનિયુક્ત વેપારી મહામંડળ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખો તેમજ સમગ્ર બગસરા મોહરમ પર્વ નો બંદોબસ્ત જાળવવા માટે જેના સીરે જવાબદારી સોંપી છે તેવા ડીવાયએસપી સોલંકી પી.આઈ સાલુખે પીએસઆઇ ગઢવી પોલીસ સ્ટાફ સહિતના હાજર રહ્યા હતા.
વેરાવળ
જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગાર દ્રારા મહોરમ તહેવાર સબબ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે જે અંગે વેરાવળ શહેરના ઝુલુસ નિકળનાર રૂૂટ પર ટેકનીકલ સર્વેલન્સ દ્વારા નજર રાખેલ જેમાં સીટી પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી સહીતના સ્ટાફે ડ્રોન દ્વારા મહોરમ તહેવાર સબબ નિકળેલ ઝુલુસના રૂૂટ પર ડ્રોનથી સમગ્ર રૂૂટ તેમજ શહેરના કોમી-તંગદીલી ધરાવતા વિસ્તારોમાં સાંપતી નજર રાખવામાં આવી હતી.
સલાયા
સલાયામાં હંમેશા હિન્દુ મુસ્લિમ બને સમુદાયના લોકો શાંતિ પૂર્વક અને ભાઈ ચારાથી રહે છે. જેનું ઉદાહરણ મોહરમ માં જોવા મળે છે અહી હિન્દુ પરિવારો પોતાની શ્રદ્ધા અને ભક્તિ મુજબ મોહરમ દરમ્યાન મુસ્લિમ ભાઈઑ માટે કેમ્પનું આયોજન કરે છે જેમાં સરબત,મીઠાઈ,ચા વગેરે આપે છે અને સમગ્ર વિશ્વને ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડે છે. એવા જ સલાયાના હિન્દુ આગેવાન અને લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઇ લાલ પરિવાર દ્વારા પણ મોહરમની આસુરાની રાતના મુસ્લિમ ભાઈઓ માટે નીયાઝ એ હુશેન (નિ:શુલ્ક) ચાનું આયોજન કરાઇ છે જેમાં હજારો લોકો આસ્થાભેર ચા પીવે છે અને એક બીજા ભેટી અને મોહરમ નાં પવિત્ર દિવસો મનાવે છે. આ આયોજનમાં મુસ્લિમ ધર્મગુરુ અબુડાડા પણ પધાર્યા હતા.
દેવભૂમિ દ્વારકા
રાજયના અન્ય શહેરોની જેમ દ્વારકામાં પણ હજારો મુસ્લીમ બિરાદરોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે મહોરમ પર્વની ઉજવણી કરાઇ હતી.જેમાં રંગબેરંગી લાઈટીગથી શણગારેલ કલાત્મક તાજીયાના ઝુલુસ નિકળ્યા હતા.આયોજક કમીટી તથા સ્વયંસેવકો દ્વારા મુસ્લીમ બિરાદરોમાં ઠંડા પીણા,શરબત,દૂધની વાનગી બનાવી દાન પુણ્ય કરાયા હતા.
રાણપુર
મોહરમ પર્વના તહેવાર નિમિત્તે સમગ્ર દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં વર્ષોથી મોહરમ પર્વ નિમિત્તે ભવ્ય તાજીયા ઝુલુસ કાઢવામાં આવે છે અને આસપાસના પંથકના હજારો લોકો આ તાજીયા જૂલુસ જોવા માટે ઉમટી પડે છે ત્યારે આજરોજ મોહરમ પર્વ નિમિત્તે રાણપુર શહેરમાં ભવ્ય તાજીયા જુલુસ નીકળ્યા હતા. આંબલીયા ચોરા, કાકરીયા ચોરા તેમજ દેસાઇવોરા ચોરા આ ત્રણેય સ્થળેથી તાજીયા ના ભવ્ય જુલુસ નીકળ્યા હતા મોટી સંખ્યામાં લોકો તાજીયા જૂલુસ જોવા માટે ઉમટી પડ્યા હતા હિંન્દુ -મુસ્લિમ કોમીએકતા સાથે રાણપુર શહેરમાં ભવ્ય તાજીયા જૂલુસ નીકળ્યા હતા જેમાં રાણપુર શહેર સહિત રાણપુર પંથકના હજારો લોકો આ તાજીયા જોવા માટે ઉમટી પડ્યા હતા સાથે લોકમેળો પણ યોજાયો હતો જ્યારે મોહરમ પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત અને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઠેર-ઠેર સરબત, છાસ, નાસ્તો, ચણા-બટેકા,રગડો,સેવખમણી સહીત વિવિધ નાસ્તાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ.શાંતિપૂર્ણ રીતે રાણપુર શહેરમાં મોહરમ પર્વની તાજીયા જુલુસની ઉજવણી કરવામાં આવી હતી.
ગોંડલ
ગોડલ માં સુન્ની મુસ્લિમ જમાત અને શહીદે કરબલા કમિટી દ્વારા દર વર્ષે યોજાતા ત્યાગ અને બલિદાન ના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલાત્મક તાજીયા ગત રાત્રે પડમાં આવ્યા હતા 29 આસુરા ના નમાઝ અદા કરી અને કરબલા ના શહીદોને અંજલી અર્પણ કરવામાં આવી હતી 17 જુલાઈ એ બપોર બાદ 5:00 વાગ્યે વિશાળ જુલુસ ચોરડી દરવાજા થી પ્રસ્થાન થયું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અને નગરપાલિકા ના પ્રમુખ, ઉપ પ્રમુખ અને સદસ્યો, મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઇને પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તાજિયામાં વિવિધ આશરે નાના મોટા 23 જેટલા કલાત્મક તાજીયા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું તાજીયા યા હુસેનના નારા સાથે પડમાં આવ્યા હતા મુસ્લિમો આંસુરા ના નમાઝ અદા કરી અને કરબલાના શહીદોને ને ઇમામ હુસેનને એમના પરિવારજનોને અંજલી અર્પણ કરી હતી.]
મોટી પાનેલી
ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજરોજ પવિત્ર મહોરમ નિમિતે મુસ્લિમ સમાજ દ્વારા કલાત્મક તાજીયા નું સુંદર કલાકૃતિ તૈયાર કરવામાં આવેલશહીદે કરબલાની યાદ અપાવતા તાજીયા ને આજે પળમાં લાવવામાં આવેલ જે નિમિતે હિન્દૂ સમાજના આગેવાનો સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહી તાજિયાના દર્શન કરેલ સાથેજ તાજીયાને શ્રીફળ અને પળીની પ્રસાદી અર્પણ કરેલ આ તકે સમસ્ત મુસ્લિમ સમાજ વતી પ્રમુખ ઇશાકભાઈ સોરાએ આગેવાનોને આવકારી સરબતથી સ્વાગત કરવામાં આવેલ મોટી પાનેલીમાં વર્ષો વર્ષ દરેક તહેવારમાં ભાઈચારા ની પવિત્ર ભાવના જોવા મળે છે.
ધોરાજી
ધોરાજી ખાતે મોહરમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી સૈયદ સીરાજી માતમની કયુમ બાવા એ બનાવેલ ચાંદીની સેજ મુબારક આકર્ષણનું કેન્દ્ર બની હતી અને સૈયદ રુસ્તમ તાજીયા માતમના અને કયુમ બાવા ની સેજ માં હજારો હિન્દુ મુસ્લિમો એ શ્રીફળ વધેરી અને મન્નત ચડાવી હતી બપોરે 4 વાગ્યે સૈયદ રુસ્તમ માતમના જાવિદ્ બાપુ રુસ્તમ વાલા અને સૈયદ બશીર મિયા બાપુ રુસ્તમ વાલાની ઉપસ્થિતિમાં 100 જેટલા તાજીયા નું વિશાળ જુલૂસ નીકળ્યું હતું જે ખ્વાજા સાહેબ દરગાહ ખાતે પૂર્ણ થયું હતું.
ગુજરાત
ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર
રેસિડેન્સમાં 0.9 અને 36 મીટરના રોડ પરના બિલ્ડિંગમાં એફએસઆઈમાં વળતર અપાશે, સરકારે નોટિફિકેશન જાહેર કરતા મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી
રાજકોટ શહેરને ગ્રીન અને હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્માર્ટસીટી ખાતે પ્રથમ ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટની આવાસ યોજના બનાવવામાં આવી હતી.
ત્યાર બાદ બિલ્ડરો આ યોજના તરફ આકર્ષાય તે માટે સરકારે નોટીફીકેશન જાહેર કરી ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ બનાવનારને રેસીડેન્સમાં અને 36 મીટરના રોડ ઉપર એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. ટીપી વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં એક પણ ગ્રીનબિલ્ડીંગ પ્રોજેક્ટ કાર્યરત નથી. પરંતુ એફએસઆઈમાં વળતર મળવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટ મુકાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
રાજકોટમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવાની દિશામાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારના નોટિફિકેશનના આધારે ગ્રીન બિલ્ડિંગ બનાવનારાઓને પેઈડ એફ.એસ.આઈ.માં વળતર આપવામા આવનાર છે. રાજય સરકારે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ હાથ ઉપર લીધો છે અને રાજયના દરેક મહાનગરોમાં આવા બિલ્ડિંગો બને તે માટે પ્રોત્સાહક યોજના બહાર પાડી છે.
રાજય સરકાર દ્વારા કુદરતી લાઈટના મહતમ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ, વપરાયેલા પાણીનો ફરી ઉપયોગ, ગ્રીન એનર્જી પ્રોડકશન વિગેરેને ડિઝાઈનમાં આવરી લેવાયા છે. આ તમામ બાબતો સાથે બનતી ઈમારતોને ગ્રીન બિલ્ડિંગનો દરજ્જો મળી જશે. આ માટે ત્રણ એજન્સીઓ પણ નિયુક્ત કરાઈ છે.
આએજન્સીઓ ગ્રીન બિલ્ડિંગ બનશે તેનું મોનિટરીંગ કરી પ્રમાણપત્ર આપશે અને તેના આધારે વળતર આપવામા આવશે. રાજકોટમાં હાલ કોઈ આવી ઈમારત બની નથી પણ મહાપાલિકા દ્વારા આવી ઈમારતો માટે ઓફર આવશે તો નોટિફિકેશન પ્રમાણે વળતર આપવામાં આવનાર હોવાનું ટી.પી. શાખાના સૂત્રોએ કહયું હતું. સૂત્રોના જણાવાયા પ્રમાણે નોટિફિકેશન લાગુ કરતા પહેલા સરકારે સુચનો પણ મંગાવેલા છે. રેસીડેન્સ પ્લાન્ટમાં 0.9ની પેઈડ અપ એફ.એસ.આઈ. હોય તો તેમાં ડિસ્કાઉન્ટ મળશે.
36 મીટરના રસ્તા ઉપરના બિલ્ડીંગોમાં 4 સુધીની પેઈડ એફ.એસ.આઈ. અપાતી હોયછેઅને તેમાં વળતર અપાશે તેમ ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીનબીલ્ડીંગ પ્રોજેક્ટને વેગ આપવા માટે બિલ્ડીંગ બનાવનારાઓને પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રીનબીલ્ડીંગ રહેણાક અથવા કોમર્શીયલ બનાવવામાં આવે ત્યારે સોલાર પાવર, વોટર, હાર્વેસ્ટિંગ અને પાણીના કુલ વપરાસને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. તે સિવાય પ્રોજેક્ટમાં વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર અને અન્ય મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. આ પ્રોજેક્ટમાં ખર્ચ વધુ થતો હોય સરકાર દ્વારા નિયમોમાં સુધારણા હાથ ધરી પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.
ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.
ગુજરાત
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ
લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં દુષ્કર્મ ગુજાર્યુ
રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત16 hours ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
રાષ્ટ્રીય19 hours ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી