રાષ્ટ્રીય
કરદાતાઓ આનંદો, જૂના જીએસટી લેણા પર વ્યાજ અને દંડ ચૂકવવો નહીં પડે
જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) દ્વારા કરદાતાઓને સરકારે મોટી રાહત આપી છે. નાણાકીય વર્ષ 2017-18, 2018-19 અને 2019-20 માટે જીએસટી ડિમાન્ડ નોટિસ મેળવનારા કરદાતાઓ હવે વ્યાજ અને દંડ વિના તેમની બાકી ચૂકવણી કરી શકશે. જો કે, શરત એ છે કે ટેક્સ-ડિમાન્ડ નોટિસ નોન-ફ્રોડલ કેટેગરીની હોવી જોઈએ. આ માટે સરકાર દ્વારા નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. આ યોજના 1 નવેમ્બરથી જીએસટી કરદાતાઓ માટે લાગુ થશે.
આ જીએસટી મુક્તિ યોજના સરકાર દ્વારા સામાન્ય બજેટ-2024 માં જાહેર કરવામાં આવી હતી. આને સરકાર દ્વારા ટેક્સ વિવાદો ઘટાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. જીએસટી કાયદાની નવી કલમ 128અ હેઠળ સરકાર દ્વારા આ રાહત આપવામાં આવી છે, જે જીએસટી સત્તાવાળાઓને કરદાતાઓ પર પાલન દબાણ ઘટાડવા માટે છૂટછાટ રજૂ કરવાની મંજૂરી આપે છે.
જીએસટી કાઉન્સિલની 53મી બેઠકના નિર્ણય મુજબ, તેનો ઉદ્દેશ્ય એવા વિવાદોને ઉકેલવાનો છે કે જ્યાં કાયદાની ગેરસમજ અથવા અર્થઘટનને કારણે ઉદ્દભવેલી કર જવાબદારીઓને કારણે ટેક્સ ડિમાન્ડ નોટિસ આપવામાં આવી છે. આ મુક્તિનો લાભ મેળવવા માટે, જીએસટી ડિમાન્ડ નોટિસમાં બાકી રકમ 31 માર્ચ, 2025 સુધીમાં ચૂકવવાની રહેશે.એકવાર તમે સંપૂર્ણ બાકી ચૂકવણી કરી લો. તેની સાથે સંકળાયેલા વ્યાજ અને દંડની રકમ માફ કરવામાં આવશે અને તમારી પતાવટ પૂર્ણ થઈ જશે. આ છૂટછાટ ફક્ત નાણાકીય વર્ષ 2017-18 થી 2019-20 સુધીની જીએસટી ડિમાન્ડ નોટિસ માટે છે, જે નોન-ફ્રોડ કેટેગરી છે. જો કોઈને આ સમયગાળા દરમિયાન છેતરપિંડીના કારણે જીએસટી ડિમાન્ડ નોટિસ મળી હોય, તો તેને આ યોજનાનો લાભ મળશે નહીં.
રાષ્ટ્રીય
ભાજપ બિન જાટ, કોંગ્રેસ જાટ પર નિર્ભર: દલિતો કિંગ મેકર
ઓબીસી વોટ બેંક સાથે પંજાબીઓના મત મળે તો ભાજપને ભાંગડા, કુમારી સેલજા ફેક્ટર નડે નહીં તો કોંગ્રેસ પાર્ટીને બલ્લે-બલ્લે
મહાભારત અને પાણીપતની ઐતિહાસિક લડાઈની ભૂમિ ગણાતા હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનું ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જીતની હેટ્રિક ફટકારીને ભાજપ પોતાના 10 વર્ષ જૂના કિલ્લાને બચાવવા માટે રાજકારણના દરેક હથિયારનો ઉપયોગ કરી રહી છે. દાયકાઓથી ચાલી રહેલા સત્તાના દુષ્કાળને ખતમ કરવા માટે કોંગ્રેસ પોતાના તરખાટમાંથી આક્ષેપો સાથે વચનોના તીર કાઢીને દાવ લગાવી રહી છે પરંતુ સત્ય એ છે કે ચૂંટણી માત્ર જાતિના સમર્થન સુધી જ સીમિત છે. જ્યારે ભાજપ બિન-જાટ મતો પર ગણતરી કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ જાટ મતોના સંપૂર્ણ સમર્થનની આશા રાખી રહી છે.
આવી સ્થિતિમાં સત્તાની ચાવી લગભગ 21 ટકા દલિત મતો પર રહેલી છે. બંને મુખ્ય પક્ષો તેમના સમર્થક મતોના વિભાજનને ટાળીને દલિતોનું સમર્થન મેળવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે. મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે, પરંતુ તેમના સિવાય ચૌટાલા પરિવાર ચૌધરી દેવીલાલના વારસાને લઈને બે અલગ-અલગ પક્ષોમાંથી ચૂંટણી લડીને પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી સહિત અનેક નાના પક્ષો પણ પોતાનું અસ્તિત્વ બતાવવા ચૂંટણી લડી રહ્યા છે.હરિયાણામાં ચાર મહિના પહેલા યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને 10માંથી માત્ર પાંચ બેઠકો મળી હતી ત્યારે તેને ફટકો પડ્યો હતો. કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં પાંચ બેઠકો જીતીને પુનરાગમન માટે આશાવાદી છે.
બળવાને કારણે બગડેલા સમીકરણો સાથે બંને પક્ષો સંઘર્ષ કરી રહ્યા છે. કેટલીક બેઠકો પર બળવાખોરો પણ મજબૂત દેખાય છે. રાજ્યની તમામ 90 બેઠકો પર 5 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી માટેનો પ્રચાર ચૌપલા, પંચાયતો અને મંડીઓમાં ચરમસીમાએ છે, પરંતુ ચૂંટણી પ્રચારનો ઘોંઘાટ શેરીઓમાં દેખાતો નથી.ભાજપે બિનજાટ રાજનીતિ કરીને ઓબીસીને પોતાની સાથે રાખવાની રણનીતિ અપનાવી છે. જાટો માટેની ટિકિટ 20થી ઘટાડીને 16 કરવામાં આવી હતી. બિન-જાટ મતદારોમાં પણ ભાજપનો આ નારો સફળ થતો જણાય છે. રોહતક વિસ્તારના કલાનૌર વિધાનસભા મુખ્યાલયના અરુણ અરોરા કહે છે કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પંજાબીઓ રહે છે. ભાજપે ભલે બહુ સારું કામ ન કર્યું હોય, પરંતુ આપણું અસ્તિત્વ બચાવવા આપણે તેની સાથે ચાલવું પડશે.
ભાજપ દલિત મતો ચોરી કરવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા કુમારી સેલજાના અપમાનનો મુદ્દો ઉઠાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની ચૂંટણી સભાઓમાં કોંગ્રેસમાં આંતરિક વિસંવાદિતાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. હાલમાં તેની અસર રોહતક પટ્ટામાં જમીન પર દેખાતી નથી પરંતુ અંબાલા-કુરુક્ષેત્રમાં તેની અસર જોવા મળી શકે છે. ચૂંટણીના પરિણામોથી જ વાસ્તવિકતા બહાર આવશે.
કોંગ્રેસે 90માંથી 28 બેઠકો પર જાટ સમુદાયના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. સરકાર બનાવવા માટે, કોંગ્રેસ અનુસૂચિત જાતિ માટે અનામત 17 બેઠકો સાથે વિધાનસભાની આ એક તૃતીયાંશ બેઠકો પર સંપૂર્ણ જોર લગાવી રહી છે.
પરંતુ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડા અને કોંગ્રેસ મહાસચિવ કુમારી સેલજા વચ્ચેના અણબનાવને કારણે નુકસાન થવાની પણ સંભાવના છે. રાષ્ટ્રીય નેતાઓના પ્રયાસોને કારણે રાહુલ ગાંધીની સભામાં હુડ્ડા અને શૈલજા મંચ પર એકસાથે જોવા મળ્યા છે, પરંતુ જમીની સ્તર પર તેની અસરનું મૂલ્યાંકન કરવું સરળ નથી. જ્યારે પક્ષ ઉંઉંઙ-અજઙ અને ઈંગકઉ-ઇજઙ ગઠબંધન દ્વારા જાટ અને દલિત મતોના વિભાજનને રોકવા માટે સજાગ છે, ત્યારે તે 100 યાર્ડના મફત પ્લોટ અને જૂની પેન્શન યોજના જેવી જાહેરાતો દ્વારા બિન-જાટ મતોમાંથી સમર્થન મેળવવાની પણ આશા રાખે છે.
કઈ જાતિના કેટલા ટકા મતદારો?
જાટ -25-30%
દલિત -21%ત
પંજાબી -8%
બ્રાહ્મણ -8%
આહિર -5.25%
વૈશ્ય -5%
રાજપૂત -3.50%
સૈની -3%
મુસ્લિમ -4%
રાષ્ટ્રીય
કાનપુરમાં ફરી ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર, ટ્રેક પરથી સિલિન્ડર મળ્યું
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોટી દુર્ઘટના લગભગ ટળી ગઈ હતી. ગોવિંદપુરી રેલ્વે સ્ટેશન પાસે ટ્રેક પર આગનો ગેસ સિલિન્ડર પડેલો જોવા મળ્યો હતો. આ પછી હંગામો થયો હતો. રવિવારે સવારે મુંબઈથી કાનપુર આવી રહેલી 12534 પુષ્પક એક્સપ્રેસના ડ્રાઈવર એસકે ભસીનને ગેસ સિલિન્ડર પર નજર પડી. તેણે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી. કંટ્રોલને મેસેજ કર્યો. આ ઘટના બાદ રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.
ડ્રાઈવરે જાતે ગેસ સિલિન્ડર ચેક કર્યું. જાણવા મળ્યું કે આ રેલવે સેફ્ટી સિલિન્ડર છે, જેનો ઉપયોગ ટ્રેનોમાં આગથી બચવા માટે થાય છે. ડ્રાઈવરે સિલિન્ડર પોતાની કેબિનમાં રાખ્યો અને કાનપુર સેન્ટ્રલ ખાતે આરપીએફને સોંપી દીધો.
પુષ્પક એક્સપ્રેસના ડ્રાઈવર એસકે ભસીનના જણાવ્યા અનુસાર, પુષ્પક એક્સપ્રેસ ભીમસેનથી કાનપુર સેન્ટ્રલ તરફ જઈ રહી હતી. ગોવિંદપુર સ્ટેશન પહોંચવા જ હતી ત્યાં જ 400 મીટર દૂર ટ્રેક પર એક સિલિન્ડર દેખાયો. તેણે કોઈ પણ વિલંબ કર્યા વિના પહેલા ટ્રેન રોકી. તે સમયે સવારના 4:14 વાગ્યા હતા. તેણે ટ્રેન રોકી અને કંટ્રોલને જાણ કરી. આ પછી જ્યારે સહાયક ડ્રાઈવર પાસે સિલિન્ડરની તપાસ કરવામાં આવી તો સિલિન્ડર પર ઈશ્યુની તારીખ લખેલી હતી.
આરપીએફએ કેરેજ અને બેગેજ વિભાગને સિલિન્ડર આપી દીધા છે. સિલિન્ડર પડવા અંગે સત્ય જાણવા માટે રેલવેએ ત્રણ સભ્યોની ટીમ બનાવી છે. કાનપુર સેન્ટ્રલના ડેપ્યુટી સીટીએમ આશુતોષ સિંહે કહ્યું કે ટ્રેક પર મળી રહેલા સિલિન્ડર અંગે સંયુક્ત તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય
સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવા પહોંચ્યું સ્પેસ એકસ ડ્રેગન કેપ્સ્યુલ
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બૂચ વિલ્મોર ઘણા મહિનાઓથી અવકાશમાં અટવાયેલા છે.હવે તેમને પૃથ્વી પર પાછા લાવવા માટે નાસા અને સ્પેસએક્સનું ક્રૂ-9 મિશન શરૂૂ કરવામાં આવ્યું છે. નાસાના નિક હેગ અને રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ સુનીતા અને બૂચને પાછા લાવવા માટે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં મુસાફરી કરીને રવિવારે સફળતાપૂર્વક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા. ત્યાં તમામે હેગ અને ગોર્બુનોવનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ફાલ્કન 9 રોકેટ શનિવારે કેપ કેનાવેરલ, ફ્લોરિડાથી બપોરે 1:17 વાગ્યે ઉપડ્યું હતું, જ્યારે ડ્રેગન અવકાશયાન પર ક્રૂ-9 મિશન રવિવારે સાંજે 5:30 વાગ્યે આઇએસએસ પાસે પહોંચ્યું હતું. ડોકીંગ પૂર્ણ થયા પછી, નાસાના અવકાશયાત્રી નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાંડર ગોર્બુનોવ સાંજે 7:00 વાગ્યા પછી સ્ટેશન પર ઉતર્યા અને સ્પેસ સ્ટેશન પર સવાર તેમના સાથીદારોને ગળે લગાવ્યા હતા. જેના પર નાસાના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર પેમ મેલરોયે એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું કે આજનો દિવસ શાનદાર હતો.
જ્યારે હેગ અને ગોર્બુનોવ ફેબ્રુઆરીમાં સ્પેસ સ્ટેશનથી પાછા ફરશે, ત્યારે તેઓ બે અવકાશયાત્રી બૂચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ પાછા લાવશે . જે બોઈંગ દ્વારા ડિઝાઈન કરાયેલ સ્ટારલાઈનરમાં સમસ્યાને કારણે સમયસર પૃથ્વી પર પાછી આવી શક્યા ન હતા.જ્યારે તેઓ ત્યાં માત્ર આઠ દિવસ રોકાવાના હતા, ત્યારે ફ્લાઇટ દરમિયાન સ્ટારલાઈનરમાં ખામી સર્જાયા બાદ નાસાને યોજના બદલવાની ફરજ પડી હતી.
-
રાષ્ટ્રીય13 hours ago
શેરબજારમાં હાહાકાર, રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
-
ક્રાઇમ10 hours ago
સાવરકુંડલા તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણી ઉપર ખડસલીમાં ખૂની હુમલો
-
આંતરરાષ્ટ્રીય9 hours ago
સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવા પહોંચ્યું સ્પેસ એકસ ડ્રેગન કેપ્સ્યુલ
-
રાષ્ટ્રીય11 hours ago
શેરબજારમાં ભાદરવે ભૂકંપ: સેન્સેક્સમાં 1308 અને નિફ્ટીમાં 382 પોઈન્ટનું ગાબડું
-
ક્રાઇમ16 hours ago
હાયરે કળયુગ..!! કપાતર પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધી જીવતી સળગાવી, પોલીસે કરી આરોપીઓની ધરપકડ
-
ગુજરાત10 hours ago
ગોંડલ ગણેશની જામીન અરજીની સુનાવણીમાં તા.4 ઓકટોબરની મુદત
-
ગુજરાત10 hours ago
દાહોદમાં બાળકીની હત્યાના વિરોધમાં છાત્ર-આપનું પ્રદર્શન
-
ગુજરાત10 hours ago
રાજકોટ જિલ્લામાં દિવાળી પહેલાં સરકારી જમીનો પર મેગા ડિમોલિશન