ગુજરાત
સુરતથી સૌરાષ્ટ્ર: ખાનગી ટ્રાવેલર્સો દ્વારા ઉઘાડી લૂંટ
હીરા ઉદ્યોગમાં લાંબા વેકેશન અને જન્માષ્ટમીના તહેવારોના કારણે કારીગરોનો વતન તરફ ધસારો
ખાનગી બસોના ભાડા ડબલ કરી દેવાયા, વિરોધ નોંધાવે તે મુસાફરોને બસમાં નો એન્ટ્રી
સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના કારણે લાંબુ વકેકેશન તથા જન્માષ્ટમીના તહેવારોના પગલે સુરતમાં વસતા લાખો સૌરાષ્ટ્રવાસીઓએ વતનમાં જવા ધસારો કરતાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ ઉઘાડી લુંટ શરૂ કરી છે અને સુરતથી મહારાષ્ટ્ર, રાજસ્થાન ઉપરાંત સૌરાષ્ટ્રનાં બસ ભડામાં બમણો વધારો ઝીંકી દીધો છે.
સુરતમાંથી હાલ દરરોજ હજારો કામદારોએ રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા સૌરાષ્ટ્રમાં વતનભણી ધસારો કરતાં બસ ઓપરેટરો દ્વારા તેનો ભરપુર ગેરલાભ લેવામાં આવી રહ્યો છે.
સુરતના કતારગામ અને વરાછા વિસ્તારમાંથી દરરોજ 500 કરતાં વધુ બસ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લા અને અલગ અલગ તાલુકા માટે ઉપડતી હોય છે. અહીંયા પણ આ જ પ્રકારનો નજારો જોવા મળે છે. સાંજ પડતાની સાથે લોકો મોટી સંખ્યામાં બસો માટે પહોંચતા હોય છે અને સીઝન આવતા રહ્યા પણ ટિકિટોના ભાવના થતા હોય છે, પણ મજબૂરી એવી છે કે સરકારી બસ તેમને નજીકના જિલ્લા અથવા તાલુકામાં છોડતી હોય છે, જ્યારે ખાનગી બસો તેમના માદરે વતન એટલે કે તેમના ગામ સુધી તેમને ઉતારતી હોય છે. જેને લઇને લોકોને ટિકિટ ભલે મોંઘી પડતી હોય પણ આ લેવાનું વધુ પસંદ કરે છે.
સુરતથી રાજસ્થાન, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર જનારો મોટો વર્ગ હોય છે. દરરોજ 500 કરતાં વધુ લક્ઝરી બસો દ્વારા લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે. સામાન્ય દિવસોમાં બસનું ભાડું 600થી 1500 રૂૂપિયા હોય છે પણ, સીઝન આવતાની સાથે જ બસ સંચાલકો ભાડું 1200થી 3000 રૂૂપિયા વસુલી તહેવારમાં બસ સંચાલકો લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યાં છે.
મુસાફરોએ કહ્યું કે સામાન્ય દિવસોમાં રાજસ્થાનની 1400 રુપિયા ટિકિટ છે, પરંતુ હાલ તેનો ભાવ 2400 રુપિયા થઈ ગયો છે. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતમાં રોજેરોટીની તલાશમાં અલગ અલગ રાજ્યના લોકો આવીને વસેલા છે જોકે તહેવારો આવતાની સાથે સુરતમાં રહેતા લોકો પોતાના સંબંધીઓને ત્યાં અથવા પોતાના વતન જવા માટે નીકળતા હોય છે આ તકનો સૌથી વધુ લાભ સુરતમાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો લઈ રહ્યા છે. કારણ કે તહેવાર પોતાની સાથે જ તમામ ટ્રાવેલ્સના સંચાલકો પોતાની ટિકિટ નો ભાવ બમણો કરી દીધો છે. જો કે તહેવાર અને તેમાં પણ પોતાના મળવા જવાનું હોવાને લઈને સુરતમાં રહેતા લોકો ડબલ ભાવ આપીને પણ પોતાના વતન જતા હોય છે.
જોકે આડા દિવસોમાં આ બસનું ભાડું 600 થી લઈને 1500 રૂૂપિયા હોય છે પણ સીઝન આવતાની સાથે જ આપ બસ સંચાલકો ભાડું ₹1200 થી લઈ 3000 રૂૂપિયા કરી દેતા હોય છે, લોકોને મજબૂરી એ છે કે તહેવાર અને તેમાં પણ પોતાના વતન જવું હોય છે ત્યારે આ પ્રકારના પૈસા ખર્ચતા હોય છે.
દરરોજ અહીંયાથી હજારોની સંખ્યામાં મુસાફરો પોતાના માદરે વતન જતા હોય છે અને તહેવાર અથવા તો પોતાના સામાજીક કામ પતાવી સુરત પરત કરતા હોય છે. જોકે આ બસ સ્ટેશન પર મળેલા ઘણા બધા મુસાફરોએ પોતે લૂંટાતા હોવાની વાત કબૂલી હતી. જ્યારે બસના સંચાલકો આ વાતને નકારી રહ્યા છે.
બસમાં ઠાંસી ઠાંસીને મુસાફરો ભરાય છે, કેરિયર ઉપર પણ સવારી
જોકે આ તમામ બસના સંચાલકોની ઓફિસ સુરતના અલગ અલગ વિસ્તારોમાં છે અને પીકપ પોઇન્ટ માત્ર એક જગ્યા પર છે એટલે કે અહીંયા બુકિંગની કોઈ વ્યવસ્થા છે નહીં, જેને લઈને સંચાલકોને પકડવા પણ મુશ્કેલ થયું હતું. અહીંયા એ પણ જોવા મળ્યું હતું કે, લક્ઝરી બસના સંચાલકો માણસોને તો બસમાં ઠાંસી ઠાંસીને ભરે છે સાથે બસની ઉપર ગુડ કેરિયર પણ મોટા પ્રમાણમાં લઈ જતા હોય છે એટલે કે ડબલ કમાણી કરતા જોવા મળે છે.
હીરા ઉદ્યોગમાં 10 દી’નું વેકેશન, અમુક કારખાનાઓને તાળાં
યુક્રેન રશિયાના લાંબા યુધ્ધના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં હાલ મંદી પ્રવર્તે છે અને પ્રથમ વખત હીરા ઉદ્યોગમાં દસ દિવસનું લાંબુ વેકેશન જાહેર થયું છે. આ ઉપરાંત અમુક કારખાનાઓને તો તાળા મારી દેવામાં આવ્યા છે અને ફરી ખુલે ત્યારે જાણ કરશું તેવું જણાવી કારીગરોને છુટ્ટા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે હીરાના કારીગરોએ વતન તરફ જવા જબરો ધસારો કર્યો છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ