જામનગર શહેર ના રણમલ તળાવ ગેટ નંબર – 2 નજીક એક કાર ચાલક એ વિધાર્થી ને ઠોકર મારી હતી ને બાદ મા કાર ચાલક નાસી ગયો હતો.ઇજા ગ્રસ્ત વિધાર્થી ની આવતીકાલ થી પરીક્ષા શરૂૂ થનાર છે.
આ બનાવ ની વિગત એવી છે કે ધો.10 માં અભ્યાસ કરતો મુસ્તાક મજીદભાઇ ખલીફા નામના યુવાન આજે તળાવ ની પાળે થી સ્કૂટર લઈ.ને પસાર થતો હતો ત્યારે અજાણ્યા કાર ચાલકે તેને ઠોકર મારી હતી જેમાં ઘાયલ વિધાર્થી ને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો. આ બનાવ અંગે ઈજા ગ્રસ્ત યુવક મુસ્તાક ખલીફા ના પરિવાર દ્વારા પોલીસ માં ફરિયાદ નોંધાવવાની ની તજવીજ હાથ ધરવામાં આવી છે.
