ગુજરાત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રદ્ધાભેર ઉજવાશે શ્રાવણ મહિનો
દેવાધી દેવ મહાદેવના પર્વ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ આજથી થયો છે. ભારતના હિન્દુ કેલેન્ડરમાં શ્રાવણ માસએ શિવનો માસ તેમજ અતિ પવિત્ર માનવામાં આવે છે. શિવ આરાધના માટે ઉત્તમ મનાતા આ શ્રાવણ માસની શરૂૂઆત અને પૂર્ણાહુતિ બંને સોમવારે જ થનાર છે. ત્યારે 72 વર્ષ પછી આ યોગ આવ્યો છે. જેને અનુલક્ષીને ખંભાળિયા સહિતના શિવ ભક્તોમાં ઉજવણીના માહોલ વચ્ચે આનંદની લહેર જોવા મળી રહી છે.
1952 પછી પહેલીવાર આ યોગ આવ્યો છે. જેમાં 5 ઓગસ્ટ ને સોમવારથી શ્રાવણ માસ શરૂૂ થશે અને 3 સપ્ટેમ્બરના રોજ 30 દિવસ પછી સોમવારે જ પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થશે. સામાન્ય રીતે દરેક માસમાં 4 સોમવાર હોય પણ આ વખતે પાંચ સોમવાર છે. શિવજીનો અતિપ્રિય વાર સોમવાર કે જે ચંદ્રનો વાર ગણાય છે તથા 12 જ્યોતિર્લિંગમાં પહેલું પણ સોમનાથ છે. આ વખતના શ્રાવણ માસમાં અતિ મહત્વના ત્રણ યોગ અમૃત સિદ્ધ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ તથા પ્રીતિયોગનો ત્રિવેણી સંગમ પણ છે.
શ્રાવણ માસને સિદ્ધ માસ પણ કહે છે. શિવભક્તો દ્વારા એક લોટો જળ ચડાવીને પ્રસન્ન થતા ભોળાનાથને રિઝવવા માટે લોકો દ્વારા વિશિષ્ટ યજ્ઞ, ઘીની મહાપૂજા, શિવપુરાણ, શિવ કવચ, શિવ ચાલીસા, શિવ મહામંત્ર, મહામૃત્યુંજય જાપ, શિવ તાંડવ સ્ત્રોતથી પૂજા તેમજ વાંચન કરવામાં આવે છે.
આ વખતે શ્રાવણ માસમાં જ ગુરુ ચંદ્રનો ગજ કેસરી યોગ થનાર છે. ત્યારે છેક 72 વર્ષ પછી સોમવારે શરૂૂ થઈને સોમવારે પૂર્ણ થનાર શ્રાવણ માસને આવકારવા શિવ ભક્તો પણ તત્પર બન્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લો દેવોની ભૂમિ છે. અહીં ભગવાન દ્વારકાધીશ, હરસિધ્ધિ માતાજી, શનિદેવનું જન્મ સ્થળ હાથલા, નાગેશ્વર મહાદેવ, સહિતના દેવોનો વાસ છે. અહીં મોટી સંખ્યામાં પુરાણોમાં તેનો ઉલ્લેખ છે તેવા પાંડવોએ ત્યારે અજ્ઞાતવાસ કર્યો, તે સમયના 5,000 વર્ષ પ્રાચીન શિવ મંદિરો પણ આવેલા છે.
ખંભાળિયા શહેરમાં ખામનાથ મહાદેવ કે જે તેની ઘી ની મહાપૂજા તથા વિશિષ્ટ દર્શન માટે પ્રસિદ્ધ છે. ઘી નદીના કાંઠે ત્રણ શિવલિંગ વાળા રામનાથ મહાદેવ ઉપરાંત શહેરમાં શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ, તેલી નદીના કાંઠે બિરાજતા સુખનાથ મહાદેવ, ટેકરી પર બિરાજતા જડેશ્વર મહાદેવ, શક્તિનગરમાં ભવ્ય મેળો યોજાય છે તે શીરેશ્વર મહાદેવ, ગ્રામ્ય પંથકમાં રામનગરમાં અખંડ ધુણા વાળા બાલનાથ મહાદેવ, ભાતેલમાં સ્ટેશન માસ્તર વતી ફરજ બજાવેલા ઐતિહાસિક ભોળેશ્વર મહાદેવ, દાત્રાણા પંથકમાં દંતેશ્વર મહાદેવ કે જે છઠ્ઠી સદીમાં બનેલું પ્રાચીન શિવ મંદિર છે.ભાણવડ પાસે પાંડવોના અજ્ઞાતવાસના સમયના ઈન્દ્રેશ્વર મહાદેવ તથા બરડા ડુંગરમાં બિરાજતા કિલેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ, બિલનાથ મહાદેવ, ગોપના ડુંગર પર બિરાજતા ગોપનાથ મહાદેવ, બજાણા ગામના કાશી વિશ્વનાથ મહાદેવ, સો ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા કોટા ગામના કોટેશ્વર મહાદેવ, વડત્રા ગામે ધિંગેશ્વર મહાદેવ, મોડપર પાસે તુંંગેશ્વર મહાદેવ, સોડસલા ગામે નાગનાથ મહાદેવ, ભરાણા ગામે ધીંગેશ્વર મહાદેવ, ખંભાળિયાના મહાદેવ વાડાના શિવ મંદિરો કે જ્યાં પવિત્ર શ્રાવણ માસમાં સવા લાખ બિલિપત્ર ચડે છે. ત્યારે સોમવારથી પવિત્ર શ્રાવણ માસ શરૂૂ થતો હોય, શિવ ભક્તો આ અંગેની તૈયારીઓમાં લાગી ગયા છે. તમામ શિવ મંદિરોમાં આખો શ્રાવણ માસ દર્શન, પૂજા તથા યજ્ઞના ધર્મમય આયોજનો થશે.
ગુજરાત
ખંભાળિયા તાલુકાના નાના અસોટા ગામે જાતરના મેળામાં જુગારના છ દરોડા, 22 શખ્સો ઝડપાયા
ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાતરના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુદા જુદા સ્થળોએ છ ફિલ્ડમાં રમાતા જુગારમાં 22 શખ્સોને ઝડપી લઇ ગુના નોંધાયા હતા.
ખંભાળિયા નજીક આવેલા નાના આસોટા ગામે વર્ષે ભાદરવા મહિનામાં વાછરા ડાડાના મેળા (જાતર)નું આયોજન કરવામાં આવે છે. અહીં નાના આસોટા તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળામાં આવે છે. આ વર્ષે પણ યોજાયેલા જાતર (મેળા)ના આયોજન દરમિયાન અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા જરૂૂરી બંદોબસ્ત તેમજ પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.
ગઈકાલે સોમવારે ખંભાળિયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા આ જાતરમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલી બાતમીના આધારે જુદા જુદા ફિલ્ડમાં જુગાર રમતા સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં છ સ્થળોએથી 22 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ સ્થળે બે ફિલ્ડમાંથી અશ્વિન અરજણ પરમાર, દુલા દેવા જામ, અરજણ સવદાસ સિંધવ, જીવન લાલજી મકવાણા, ભીમા કરસન ભુંડિયા, કિશોર મેઘા બથવાર અને કિશોર મોહન ઓળકીયા નામના સાત શખ્સોને કુલ રૂૂપિયા 21,950 ના મુદ્દામાલ સાથે જ્યારે દેશુર નારુ હરગાણી, ખેરાજ બલુ પતાણી, ગોવિંદ સોમા ચૌહાણ, બહાદુરસિંહ હમીરજી જાડેજા, ભરત પરબત મકવાણા, ઈમ્તિયાઝ ઉમર રૂૂંજા, રમેશ રજાક કાપડી, ભરત નાનજી ડગરા, મના ઝુમા પરમાર, જીતુ નથુ ગોહિલ અને દિનેશ સિદિક ચૌહાણ નામના 11 શખ્સોને પોલીસે રૂૂપિયા 12,970 ના મુદ્દામાલ સાથે જ્યારે છઠ્ઠા ફિલ્ડમાંથી ધના રાયદે કારીયા, કેશુનાથ રણછોડનાથ ગોહિલ, વેજા ભીમા મોઢવાડિયા અને દેરાજ ભીમા પતાણી નામના ચાર શખ્સોને કુલ રૂૂપિયા 18,650 ના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા હતા.
આ દરોડા દરમિયાન કુલ 6 ફિલ્ડમાંથી 22 પત્તાપ્રેમીઓને કુલ રૂૂપિયા 63,570 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. બી.જે. સરવૈયા પી.એસ.આઈ. આર.આર. ઝરુ, હેમંતભાઈ નંદાણીયા, આર.પી. મેવાડા, ભરતભાઈ જમોડ, સામતભાઈ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા, મહિદિપસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા અને અરજણભાઈ આંબલીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
જાહેરમાં રમાતા જુગાર શખ્સો પર પોલીસે દરોડાની કાર્યવાહી કરતા થોડો સમય દોડધામ મચી જવા પામી હતી. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ જાતરમાં જુદા જુદા સ્થળે જામેલી જુગાર ફિલ્ડની મહેફિલમાં પણ પોલીસે જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં જુગારીઓ મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. જેનું આ વર્ષે પુનરાવર્તન થયું હતું અને પોલીસે દરોડા દરમિયાન જામેલી ફિલ્ડના રંગમાં ભંગ પાડ્યો હતો.
ગુજરાત
અગલે બરસ તું જલ્દી આના: વિઘ્નહર્તાને ભાવિકોની ભાવભરી વિદાય
રાજકોટ સહિત ગુજરાતભરમાં દસ દિવસ ધૂમ મચાવ્યા બાદ આજે વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદાએ ભાવભરી વિદાય લીધી હતી. રાજકોટ શહેરમાં આજે સવારે ઠેર-ઠેર ગણપતિ વિસર્જન યાત્રા નિકળી હતી અને ભક્તોએ ‘ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ જલ્દી આના’ના નારા સાથે દાદાને ભાવભેર વિદાય આપી હતી. શહેરની આસપાસ આઠ સ્થળે મહાનગરપાલિકા દ્વારા ઊભા કરવામાં આવેલા કૃત્રિમ કુંડોમાં ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સમયે મહાનગરપાલિકાએ ક્રેન અને તરવૈયાઓ સહિતની વ્યવસ્થા તૈનાત રાખી હતી. તેમજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. (તસવીર : મુકેશ રાઠોડ)
અમરેલી
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા રહેતી એક સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે કૌટુંબિક ભાઇએ જ એકલતાનો લાભ લઇ છરી બતાવી નદીના પટમા લઇ જઇ દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.
સગીરા પર દુષ્કર્મની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા નદીના પટમા બની હતી. અહી રહેતી એક સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ઼ હતુ કે તે બિમાર હોય મજુરીકામે ગઇ ન હતી અને ઘરે એકલી હતી ત્યારે તેના મોટાબાપુના દીકરા ભાઇ અબ્દુલ દિનમહમદ ઝુણેજા તેના ઘરે આવ્યો હતો.આ શખ્સે તેને છરી બતાવી બળજબરીપુર્વક સાથે લઇ ગયો હતો. આ શખ્સે નદીના પટમા તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ કે.બી.જાડેજા ચલાવી રહ્યાં છે.
-
રાષ્ટ્રીય23 hours ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય24 hours ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત19 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત20 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય20 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ધાર્મિક18 hours ago
ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે