Connect with us

આંતરરાષ્ટ્રીય

ન્યૂયોર્કના રોચેસ્ટર પાર્કમાં ગોળીબાર, એકનું મોત

Published

on

મીટિંગ દરમિયાન ઘટના, 6 ઘાયલ, એક ગંભીર

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ સામાન્ય છે. હવે ન્યૂયોર્કના રોચેસ્ટર પાર્કમાં ફાયરિંગના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે છ લોકો ઘાયલ થયા છે. રોચેસ્ટર પોલીસે જણાવ્યું હતું કે રોચેસ્ટર ફર્સ્ટના જણાવ્યા અનુસાર, 20 વર્ષીય વ્યક્તિને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે ફાયરિંગમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો.


આ ઘટના રવિવારે સાંજે 6.20 વાગ્યાની આસપાસ બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે અપસ્ટેટ ન્યુ યોર્ક સિટીમાં અન્ય પાંચ પીડિતોને નાની ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેપલવુડ પાર્કમાં એક મોટી મીટિંગ ચાલી રહી હતી. ત્યારે એક અજાણ્યા બંદૂકધારીએ બધા પર ગોળીબાર કર્યો હતો. ફાયરિંગ બાદ પાર્કમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે આ ફાયરિંગમાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. આ પૈકી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર મીટિંગ દરમિયાન ગોળીબાર કરનાર વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ નથી.

આંતરરાષ્ટ્રીય

લંડન ફેશન વીકની શાનદાર ઉજવણી

Published

on

By

ફેશન જગતમાં અવનવી ઇવેન્ટ અને વીકની ઉજવણી કરવામાં આવતી હોય છે. આવી જ જાણીતી ઉજવણી એટલે લંડન ફેશન વીક જેમાં અવનવી શૈલી અને બેકસ્ટેજ દૃશ્યો ફેશન જગત માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ભારતમાં મુસ્લિમો ઉપર અત્યાચાર, ઇરાનના સુપ્રીમ લીડરનો આરોપ

Published

on

By

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ સોમવારે (16 સપ્ટેમ્બર) ભારત પર મુસ્લિમો પર દમન કરવાનો આરોપ લગાવ્યો હતો. ખામેનીએ પયગંબર મોહમ્મદની જન્મજયંતિ નિમિત્તે વિશ્વભરના મુસ્લિમોને એક થવાનું આહ્વાન કરતા સંદેશમાં ભારત, ગાઝા અને મ્યાનમારમાં મુસ્લિમો પર થતા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.


X પરની તેમની પોસ્ટમાં આયાતુલ્લા અલી ખમેનીએ કહ્યું, ઇસ્લામના દુશ્મનોએ હંમેશા અમને ઇસ્લામિક ઉમ્મા તરીકેની અમારી સામાન્ય ઓળખથી ઉદાસીન બનાવવાનો પ્રયાસ કર્યો છે. જો આપણે મ્યાનમાર, ગાઝા, ભારત અથવા બીજે ક્યાંય પણ મુસ્લિમોનો સામનો કરી રહેલા વેદનાથી અજાણ હોઈએ તો આપણે આપણી જાતને મુસ્લિમ માની શકીએ નહીં.


હવે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેનીના આ કથિત આરોપ પર ભારતની પ્રતિક્રિયા પણ આવી છે. ભારતના વિદેશ મંત્રાલયે આ આરોપોનો કડક શબ્દોમાં જવાબ આપ્યો છે અને ખમેનીના નિવેદનની નિંદા કરી છે.


વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, અમે ભારતમાં લઘુમતીઓ વિશે ઈરાનના સર્વોચ્ચ નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની સખત નિંદા કરીએ છીએ. આ ખોટી માહિતી પર આધારિત છે અને અસ્વીકાર્ય છે. લઘુમતીઓ પર ટિપ્પણી કરતા દેશોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અન્ય લોકો વિશે કોઈપણ ટિપ્પણી કરતા પહેલા તેમના પોતાના રેકોર્ડ તપાસે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

PM મોદીના અમેરિકા પ્રવાસ પહેલા ન્યૂયોર્કના સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, સ્પ્રેથી લખ્યા અપશબ્દો

Published

on

By

વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ પહેલા ન્યુયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અને ભારત વિરોધી સૂત્રો લખવાની સામે આવી છે. મેલવિલેમાં સ્થિત મંદિરના રસ્તાઓ અને મંદિરની બહાર સાઈન બોર્ડને સ્પ્રે કરીને તેના પર અપશબ્દો લખવામાં આવ્યા છે.

તોડફોડની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ભારતીય કોન્સ્યુલેટે તેની સખત નિંદા કરી છે અને તેને ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું છે. આ સાથે ગુનેગારો સામે કાર્યવાહી કરવા માટે અમેરિકન સત્તાવાળાઓ સમક્ષ મામલો ઉઠાવવામાં આવ્યો છે. તેમજ BAPSએ શાંતિની અપીલ કરી છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ થોડા દિવસો બાદ ઘટના સ્થળની નજીક યોજાનાર છે.

“મેલ્વિલે, ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અસ્વીકાર્ય છે. એમ્બેસી સંબંધિત લોકોના સંપર્કમાં છે અને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે,” ભારતીય કોન્સ્યુલેટે સોમવારે એક્સ પોસ્ટમાં લખ્યું હતું.

લોંગ આઇલેન્ડમાં ફોક કાઉન્ટીમાં નાસો વેટરન મેમોરિયલ કોલિઝિયમથી લગભગ 28 કિલોમીટર દૂર મેલવિલે શહેર આવેલું છે. આ જ સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે એક મોટા સમુદાયના કાર્યક્રમને સંબોધિત કરશે. પીએમ મોદી 21, 22 અને 23 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રવાસે હશે.

તે જ સમયે, હિંદુ અમેરિકન ફાઉન્ડેશને એક એક્સ-પોસ્ટમાં લખ્યું છે કે હિંદુ સંસ્થાઓ દ્વારા તાજેતરમાં મળેલી ધમકીઓ પછી, ન્યાય વિભાગ અને હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે મંદિર પરના હુમલાની તપાસ કરવી જોઈએ. કારણ કે આ સપ્તાહના અંતમાં નજીકના નાસાઉ કાઉન્ટીમાં એક વિશાળ ભારતીય સમુદાયની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઘટના અંગે, ભારતીય મિશનએ અધિકારીઓ સાથે મામલો ઉઠાવ્યો છે તેની માહિતી આપી હતી.”

Continue Reading
આંતરરાષ્ટ્રીય1 min ago

લંડન ફેશન વીકની શાનદાર ઉજવણી

ગુજરાત3 mins ago

અગલે બરસ તું જલ્દી આના: વિઘ્નહર્તાને ભાવિકોની ભાવભરી વિદાય

અમરેલી5 mins ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત7 mins ago

કચ્છની કંપનીમાંથી બે ટન કાર્ટિસ મળ્યા

રાષ્ટ્રીય8 mins ago

લિકર કેસમાં સીબીઆઇ, ઇડી પાસે પુરાવા જ નથી?

ગુજરાત10 mins ago

રાજકોટમાં નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા પ્રૌઢા સહિત ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત

ગુજરાત13 mins ago

લાલપુર ચોકડી પાસે માનસિક અસ્વસ્થ યુવકનો ડમ્પર હેઠળ ઝંપલાવી આપઘાત

ક્રાઇમ16 mins ago

ચોટીલાના નાની મોલડીના પ્રૌઢની હત્યાનો ભેદ ખુલ્યો: યુવતી અને બે સગીર ભાઇઓની ધરપકડ

ગુજરાત18 mins ago

ભાજપના નેતાઓના વન ટુ વન ક્લાસ લેતા મોદી

ગુજરાત19 mins ago

જાણીતા તબીબનાં યુવાન પુત્રનું બીમારીના કારણે મોત

રાષ્ટ્રીય23 hours ago

ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો

રાષ્ટ્રીય24 hours ago

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા

રાષ્ટ્રીય1 day ago

‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાત19 hours ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી

ગુજરાત19 hours ago

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

રાષ્ટ્રીય1 day ago

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી

રાષ્ટ્રીય20 hours ago

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

ધાર્મિક18 hours ago

ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

ગુજરાત19 hours ago

રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા

મનોરંજન19 hours ago

અક્ષય કુમારને ‘હેરા ફેરી 3’ બનાવવા માટે ડિરેક્ટરે પાડી ના, જાણો શું મૂકી શરત

Trending