બીજા લગ્નના થોડા જ દિવસમાં પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવનને સારા સમાચાર મળ્યા છે. દિલ્હીની ફેમિલી કોર્ટે તેની પૂર્વ પત્ની આયેશા મુખર્જીને ધવનને લગભગ ₹5.7 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રકમ ઓસ્ટ્રેલિયામાં આવેલી મિલકતના વેચાણ સાથે સંબંધિત છે અને ધવન માટે મોટી રાહત સાબિત થઈ છે.શિખર ધવન અને આયેશા મુખર્જીએ 2012માં લગ્ન કર્યા હતા. આયેશા ઓસ્ટ્રેલિયન નાગરિક છે અને લગ્ન દરમિયાન ધવન ત્યાં રહેતો હતો. તેમના સંબંધ દરમિયાન બંનેએ ઓસ્ટ્રેલિયામાં એક ઘર પણ ખરીદ્યું હતું.2023માં બંનેએ છૂટાછેડા લીધા અને ત્યારથી ઓસ્ટ્રેલિયામાં રહેલી મિલકત તથા પુત્ર ઝોરાવર અંગે કોર્ટ કેસ ચાલી રહ્યા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ગર્ગે આ મામલે ચુકાદો આપ્યો છે.
ન્યાયાધીશે જણાવ્યું કે ધવન અને આયેશા વચ્ચેના નાણાકીય સમાધાન માટે તૈયાર કરેલા દસ્તાવેજો ખોટા અને અનિવાર્ય હતા. કોર્ટે આયેશા મુખર્જીને 894397 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ ₹5.7 કરોડ રૂૂપિયા) પરત ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ રકમ ધવનના ફાયનાન્સિયલ હિત માટે ઓસ્ટ્રેલિયન મિલકત વેચાણમાંથી પ્રાપ્ય છે. ઉપરાંત, કોર્ટે આ રકમ પર 9% વાર્ષિક વ્યાજ ચુકવવાનો પણ નિર્દેશ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ધવન અને આયેશા વચ્ચેના વૈવાહિક વિવાદોની સુનાવણી માટે ઓસ્ટ્રેલિયન કોર્ટનો અધિકારક્ષેત્ર નથી. આયેશાને ઓસ્ટ્રેલિયન કોર્ટના એન્ટિ-સુટ આદેશને લાગુ કરવાની મંજૂરી આપવાનું પણ રોકી દેવામાં આવ્યું છે. પત્નીને વધારાના 15% આપવામાં આવ્યા હતા, અને જો તે આ આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તે તેના પરિણામો ભોગવશે. આ મામલો ધવન માટે માત્ર નાણાકીય નહીં, પરંતુ માનસિક રીતે પણ મોટી રાહત લાવ્યો છે.
