લંડનમાં સાઉદી શાહી પરિવારના પ્રિન્સનું મોત, દારૂ-ડ્રગ્સના ઓવરડોઝથી થયાનો ખુલાસો

વિશ્વભરમાં રાજવી પરિવારોનો ગ્લેમર અને વૈભવ ઘણીવાર લોકોને મોહિત કરે છે, છતાં પડદા પાછળની વાસ્તવિકતા આઘાતજનક અને દુ:ખદ હોઈ શકે છે. સાઉદી રાજવી પરિવાર સાથે…

વિશ્વભરમાં રાજવી પરિવારોનો ગ્લેમર અને વૈભવ ઘણીવાર લોકોને મોહિત કરે છે, છતાં પડદા પાછળની વાસ્તવિકતા આઘાતજનક અને દુ:ખદ હોઈ શકે છે. સાઉદી રાજવી પરિવાર સાથે જોડાયેલી એક સનસનાટીભરી વાર્તા પ્રકાશમાં આવી છે, જેનાથી બધા સ્તબ્ધ થઈ ગયા છે. 29 વર્ષીય સાઉદી રાજકુમાર અબ્દુલ્લા બિન ફહદ બિન અબ્દુલ્લા બિન અબ્દુલ્લાઝીઝ બિન જલાવી અલ સઉદ – જેનું લંડનની એક અતિ-વૈભવી હોટેલમાં મૃત્યુ થયું હતું – ના રહસ્યમય મૃત્યુ પાછળનું સાચું કારણ હવે બહાર આવ્યું છે. બ્રિટનની એક અદાલતમાં આ મામલે થયેલી સુનાવણીમાં જે ખુલાસા થયા છે, તેણે દરેકને ચોંકાવી દીધા છે. બ્રિટનની ‘ઇનર વેસ્ટ લંડન કોરોનર કોર્ટ’માં આ હાઇ-પ્રોફાઇલ કેસની સુનાવણી કરવામાં આવી હતી. અદાલતમાં સુનાવણી દરમિયાન જે તથ્યો સામે આવ્યા, તેના અનુસાર પ્રિન્સ અબ્દુલ્લાએ અગાઉ 19 નવેમ્બરે લંડનના પોશ વિસ્તાર કેન્સિંગ્ટનમાં સ્થિત પ્રખ્યાત ‘મેરિયટ હોટલ’માં એક અઠવાડિયા માટે રૂૂમ બુક કરાવ્યો હતો. આ લક્ઝરી હોટલના એક રૂૂમનું ભાડું પ્રતિ રાત્રિ આશરે 600 યુરો (ભારતીય ચલણમાં લગભગ 55 હજાર રૂૂપિયાથી વધુ) હતું.

હોટલના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા જાણવા મળ્યું કે પ્રિન્સને તેમના મૃત્યુથી ઠીક એક સાંજ પહેલા હોટલની બહાર ફરતા અને સિગારેટ પીતા જોવામાં આવ્યા હતા. તેઓ બિલકુલ સામાન્ય લાગી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ પાછા પોતાના રૂૂમમાં ગયા અને ક્યારેય બહાર આવ્યા નહીં. જ્યારે લાંબા સમય સુધી તેમનો કોઈ પત્તો ન લાગ્યો અને તેમણે રૂૂમનો દરવાજો ન ખોલ્યો, ત્યારે હોટલના સ્ટાફે સુરક્ષા કારણોસર અંદર જઈને જોયું, જ્યાં પ્રિન્સ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

આ કેસની તપાસ કરી રહેલી બ્રિટિશ અદાલતમાં જ્યારે પોસ્ટમોર્ટમ અને વિસરા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા, ત્યારે મોતના અસલી કારણનો ખુલાસો થયો. 29 વર્ષીય પ્રિન્સ અબ્દુલ્લાનું મોત કોઈ સાજીશ કે હત્યાના કારણે થયું નહોતું, અને ન તો આ કોઈ આત્મહત્યાનો મામલો હતો.

તપાસ અહેવાલ મુજબ, મૃત્યુનું વાસ્તવિક કારણ વધુ પડતા દારૂૂ, પાર્ટી ડ્રગ્સ અને શક્તિશાળી પ્રિસ્ક્રિપ્શન દવાઓનું ઘાતક મિશ્રણ હતું. પદાર્થોના આ ખતરનાક મિશ્રણનો તેમના શરીર પર એટલો ગંભીર પ્રભાવ પડ્યો કે તેમની સિસ્ટમ નિષ્ફળ ગઈ. બધા પુરાવા અને જુબાનીઓની તપાસ કર્યા પછી, કોર્ટે આ ઘટનાને ‘દુર્ભાગ્ય’ આકસ્મિક મૃત્યુનો કેસ ગણાવ્યો છે. કોર્ટે તારણ કાઢ્યું છે કે આ કોઈ પૂર્વયોજિત કાવતરાનું પરિણામ નથી પરંતુ ડ્રગના ઓવરડોઝને કારણે થયેલ દુ:ખદ અકસ્માત હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *