ગુજરાત
સરખેજ ભારતી આશ્રમની લડાઇ સમાજ સુધી પહોંચી
ઋષિભારતીબાપુને 2021થી ટોર્ચર કરાતા હોવાનો આરોપ, પોતાના ઉપર લાગેલા તમામ આરોપો ફગાવ્યા
આ વિવાદ જમીનનો નહીં અસ્તિત્વનો છે, વ્યક્તિગત જીવનનો વિવાદ છે: ક્ષત્રિય અને કોળી સમાજનું સમર્થન માગતાં ઋષિભારતી
અમદાવાદના સરખેજના ભારતી આશ્રમનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ આશ્રમ પર આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ મહારાજ દ્વારા કબ્જો કરવામાં આવ્યો. હરિહરાનંદ ભારતીએ ઋષિભારતી બાપુને શિષ્ય તરીકે બરખાસ્ત કર્યા હતા. ત્યારે હવે આ વિવાદ વધુ વકરતાં આ મુદ્દે ચર્ચા કરવા માટે અમદાવાદના સનાથલ સ્થિત લંબેનારાયણ આશ્રમમાં ચર્ચા ચાલી રહી છે.
ત્યારે હવે અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમની લડાઈ હવે સમાજ સુધી આવી પહોંચી છે. હવે ઋષિ ભારતી અને હરિહરાનંદ વચ્ચેના વિવાદમાં ગુજરાતના વજનવાળા સમાજોની એન્ટ્રી થઈ છે. ઋષિ ભારતીએ અમદાવાદના સનાથલ ગામના ક્ષત્રિય અને કોળી આગેવાનોનું સમર્થન માંગ્યું. અગાઉ વિશ્વેશ્વર ભારતીએ વિવિધ અખાડાઓના સંતો સાથે બેઠક કરીને સમર્થન માગ્યું હતું. ત્યારે હવે આ આખા વિવાદ વચ્ચે દશનામ જૂના અખાડાએ ઋષિ ભારતીનું સમર્થન કર્યું છે. મહામંડલેશ્વર પદ અંગે દશનામ જૂના અખાડાએ સ્પષ્ટતા કરી છે. દશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય મહામંત્રી હરિગીરી બાપુએ નિવેદન આપીને કહ્યું કે મહામંડલેશ્વર પદ પર ઋષિ ભારતી હતા, છે અને રહેશે. સાથે જ વિશ્વેશ્વરી ભારતી માતાજી પણ મહામંડલેશ્વર પદે હોવાનો હરિગીરી બાપુએ ખુલાસો કર્યો છે.
આજે પોલીસ અને બાઉન્સર્સની ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમદાવાદના લંબેનારાયણ આશ્રમમાં ઋષિ ભારતીના સમર્થનમાં બેઠક ચાલી રહી છે. ઋષિ ભારતીના સમર્થનમાં પૂર્વાશ્રમના સમાજના લોકો અમદાવાદમાં ભેગા થયા છે. આ બેઠકમાં વિશ્વેશ્વર ભારતી માતાજી પણ હાજર છે. ગુરુ-શિષ્યના વિવાદ પછી પહેલીવાર વિશ્વેશ્વર ભારતી માતાજી સામે આવ્યા છે. જણાવી દઈએ કે આ સમગ્ર વિવાદમાં ભરતી માતાજી પર પણ આરોપો લાગ્યા છે. ત્યારે વિશ્વેશ્વરી ભારતીએ તેમના પર લાગેલા તમામ આક્ષેપો ફગાવી દીધા છે. દરમિયાન તેઓ રડી પડયા હતા.
હરિહરાનંદ ભારતી બાપુએ ટ્રસ્ટીઓને બોલાવીને કરેલા શક્તિ પ્રદર્શન પછી હવે ઋષિ ભારતીનો વારો છે. ઋષિ ભારતીને 2021થી ટોર્ચર કરતા હોવાનો ભક્તોએ આરોપ લગાવ્યો છે. સરખેજ ભારતી આશ્રમ વિવાદ અંગે ઋષિ ભારતીએ ખુલાસો કર્યો છે. અને પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. ઋષિ ભારતીએ કહ્યું કે 2008થી 2021 સુધી મેં ભારતી બાપુની સેવા કરી છે. જે વિવાદ છે તે જમીનનો નથી, અસ્તિત્વનો છે. આ મારા વ્યક્તિગત જીવનનો વિવાદ છે. જે આરોપ લગાવ્યા તેના જવાબ આપતો રહ્યો છું. આજે બધા સમાજના સેવકો આવ્યા છે, અમે બોલાવ્યા નથી જાતે આવ્યા છે, આક્ષેપની સ્પષ્ટતા કરવા આ બેઠક છે.
હરિહરાનંદ બાપુને ઋષિ ભારતીએ પ્રશ્ન કર્યા કે બાપુ સ્વર્ગવાસ થયા ત્યાર બાદ જૂનાગઢનો પ્રશ્ન કેમ ન થયો. કેમ કે ત્યાં તેમના સમાજના લોકો છે. માત્ર સરખેજને લઈને વિવાદ ઉભો કર્યો. આટલો ભેદભાવ શા માટે કરે છે. લંબે નારાયણ આશ્રમ પણ અમારો છે. સાથે જ તેમણે કહ્યું કે ભગવાન ગુરુજીને બુદ્ધિ આપે. આ જગ્યા અન્યની છે. ગામના ક્ષત્રિય સમાજ થકી આ આશ્રમ બનાવ્યો છે. વિશ્વેશ્વરી ભારતી માતાજીને સમાજે બેસાડ્યા છે. તમારો જે ટ્રસ્ટમાં હિસ્સો નથી ત્યાં હક કરવા જાઓ છો. હંમેશા મારા પ્રયાસ એવા રહ્યા કે ભારતી આશ્રમ બાપુએ જે ઉદ્દેશ્ય સાથે બનાવ્યો તે વિશેષ વટવૃક્ષ બને. આશ્રમમાં જાતિવાદ કેમ થાય છે.
ઋષિ ભારતીએ કહ્યું કે જે રૂૂમ બતાવ્યો તે માતાજીનો રૂૂમ હતો. માતાજીના રૂૂમને મારો કેવી રીતે બતાવી શકે. સાથે જ વિશ્વેશ્વરી ભારતી માતાજીના રૂૂમ અંગે તેઓએ કહ્યું કે રૂૂમનો પ્રશ્ન આવ્યો તે માતાજીએ ખુલાસો કર્યો. સ્ત્રી કે પુરુષ હોય બંનેની ગરીમા હોય. આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવા તે યોગ્ય નથી. બાપ થઈ દીકરીને અપમાનિત કરો તે યોગ્ય નથી.
લોકો સાથે એક આત્માનો સબંધ છે. મારા ભક્તોની ભાવના હશે તેની સાથે છું. મારા સેવકો જે નિર્ણય લેશે તે આખરી રહેશે. મેં આશ્રમ છોડ્યો ન હતો, હું બહાર હતો. હું સીએમને મળવા અને અન્ય કાર્યક્રમમાં હતો. પછી જો જાઉં તો સંઘર્ષ થાય, જે સંઘર્ષ ઇચ્છતો નથી એટલે ન ગયો.
વિશ્ર્વેશ્ર્વરી ભારતી ઘ્રુસ્કે ઘ્રુસ્કે રડી પડયા
બાપ ઉઠીને દીકરીને બદનામ કરે તે કેટલું યોગ્ય
ઋષિભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી પર ઘણા આરોપ લગાવવામાં આવ્યા છે. ત્યારે આ મુદ્દે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસા આપવામાં આવ્યા હતા. ભારતી આશ્રમમાં સાધુની મર્યાદા વિરુદ્ધના કૃત્યો આશ્રમમાં થતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે વિશ્વેશ્વરી ભારતી લંબે નારાયણ આશ્રમમાં પહોંચ્યા હતા અને રડતાં રડતાં તમામ ખુલાસા કર્યા હતા.
વિશ્વેશ્વરી ભારતીએ ખુલાસા કર્યા હતા કે, મારી ઉપર એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે માતાજીને એક દીકરી છે. આ એકતા છે. એ નાની હતી એના પપ્પા ગુજરી ગયા છે. એના મમ્મીએ બીજા લગ્ન કર્યા છે. આ એક નિરાધાર બાળક છે. જેનું હું ધ્યાન રાખું છું. મેં કોઈ ખરાબ કાર્ય જીવનમાં કર્યું નથી. તેમજ ગુરુજી પણ મારા માટે પિતા સમાન જ છે. કપડાંનો જે વિવાદ છે તે મારા જ કપડાં છે. કારણ કે હું એક લેડીઝ છું તો મારે કપડાંની જરૂૂર પડે છે. મેં અત્યારે પણ આની અંદર લેગિંઝ પહેરેલી છે અને કપડાં પહેરેલા છે.
આ મામલે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું સાધ્વી થઈ છું તો આશ્રમમાં મારો રૂૂમ ના હોય તો બીજે ક્યાં હોય? જે રમકડાની વાત છે તો એ સ્વીકારું છે કે એ અમારી એકતાના છે. અમારા ભક્તોએ ગિફ્ટમાં આપેલા છે. હું કોઈ ખરાબ કામ કરતી નથી. પ્રોપર્ટીનો વિવાદ અલગ છે. હરિહરાનંદ બાપુ મારા બાપ છે. બાપ ઉઠીને દીકરી ઉપર આવા આરોપ લગાવે એ કેટલું યોગ્ય છે.એ રૂૂમ મારો જ છે. ઋષિભારતીનો નથી.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ