નામિબિયા સામે અભિષેક શર્મા ન રમે તો સંજુ સેમસન ઓપનિંગમાં

ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માનું નામિબિયા સામેની મેચમાં રમવું અનિશ્ચિત છે. અહેવાલો અનુસાર, અભિષેક શર્મા બીમાર છે અને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.…

ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માનું નામિબિયા સામેની મેચમાં રમવું અનિશ્ચિત છે. અહેવાલો અનુસાર, અભિષેક શર્મા બીમાર છે અને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેણે દિલ્હીમાં ટીમ ઈન્ડિયા સાથે પ્રેક્ટિસ કરી નથી. બધા ખેલાડીઓએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી, પરંતુ અભિષેક તે ગ્રુપમાં જોવા મળ્યો ન હતો. અહેવાલો સૂચવે છે કે અભિષેક શર્મા પેટની સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને તેથી તે પ્રેક્ટિસ કરી શક્યો નથી. ભારતીય સહાયક કોચ રાયન ટેન ડોશેટે પણ આ મુદ્દા પર મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે.

દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા, ટેન ડોશેટે કહ્યું કે હજુ એક દિવસ બાકી છે અને તેમને આશા છે કે અભિષેક નામિબિયા સામેની મેચ માટે ઉપલબ્ધ રહેશે. ટીમ ઈન્ડિયાના સહાયક કોચના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અભિષેક શર્મા હાલમાં બીમાર છે અને બીજી મેચમાં તેનું રમવું અનિશ્ચિત છે. એ નોંધવું જોઈએ કે અભિષેક શર્મા પહેલી મેચમાં નિષ્ફળ ગયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ સામે પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો.

અમેરિકા સામેની પહેલી મેચ ચૂકી ગયેલો જસપ્રીત બુમરાહ બીજી મેચમાં વાપસી કરવા માટે તૈયાર છે. દિલ્હીમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન બુમરાહ ફિટ દેખાયો હતો. પ્રશ્ન એ છે કે, જો બુમરાહ ફિટ છે, તો શું સિરાજને આગામી મેચ માટે બહાર કરવામાં આવશે, ભલે પહેલી મેચમાં તેનું શાનદાર પ્રદર્શન રહ્યું હોય? ટીમ ઈન્ડિયા માટે બીજા સારા સમાચાર એ છે કે વોશિંગ્ટન સુંદર ટીમમાં જોડાયો છે. આ ખેલાડી ન્યૂઝીલેન્ડ સામેની ઘઉઈં શ્રેણીમાં ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ હવે તે સંપૂર્ણપણે ફિટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *