ખાંભા નજીક આશ્રમમાં સાધુની જટા કાપનાર સાધુને ઝડપી લીધો

ખાંભામાં રાજધાની ચોકડી પાસે આવેલા ખોડિયાર આશ્રમમાં સૂતેલા સાધુને અહી આવેલા બે અન્ય સાધુએ તુ બિન હિન્દુ છો તેમ કહી જટા કાપી નાખ્યાના કેસમા હળવદથી…


ખાંભામાં રાજધાની ચોકડી પાસે આવેલા ખોડિયાર આશ્રમમાં સૂતેલા સાધુને અહી આવેલા બે અન્ય સાધુએ તુ બિન હિન્દુ છો તેમ કહી જટા કાપી નાખ્યાના કેસમા હળવદથી એક શખ્સને ઝડપી લીધો છે. ખાંભા નજીક આવેલા ખોડિયાર આશ્રમમાં સૂતેલા ભગુડાના એક આશ્રમના અર્જુનગીરી વાળા નામના સાધુને બે અજાણ્યા સાધુએ તુ ફર્જી સાધુ છો અને તુ બિન હિન્દુ છો તેમ કહી મારમારી જટા કાપી નાખી હતી. ગત 12મી તારીખે બનેલી આ ઘટના અંગે બંનેએ વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તેમજ 21 હજારની લૂંટ પણ કરવામાં આવી હતી.જે અંગે સાધુએ ખાંભા પોલીસમા ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ખાંભા પોલીસે હળવદથી અર્જુનગીરી નામના સાધુને ઝડપી લીધો હતો. હળવદ વિસ્તારના અર્જુનગીરી અને બ્રિજેશગીરી હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ અહીં દોડી ગઈ હતી. હજુ બીજો આરોપી ફરાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *