રાજકોટની પેન્શન ચુકવણા કચેરી કામચલાઉ ધોરણે સ્થળાંતરિત કરાઇ

ગુજરાત રાજ્યની સેવામાંથી નિવૃત થયેલા રાજકોટ જિલ્લાના પેન્શન મેળવતા પેન્શનરો અને કુટુંબ પેન્શનરોનું પેન્શન પેન્શન ચુકવણા કચેરી ખાતેથી કરવામાં આવે છે. હાલ, આ કચેરીના હોરીઝોન્ટલ…

ગુજરાત રાજ્યની સેવામાંથી નિવૃત થયેલા રાજકોટ જિલ્લાના પેન્શન મેળવતા પેન્શનરો અને કુટુંબ પેન્શનરોનું પેન્શન પેન્શન ચુકવણા કચેરી ખાતેથી કરવામાં આવે છે. હાલ, આ કચેરીના હોરીઝોન્ટલ એક્સપાન્શન અને હાલના હયાત બિલ્ડીંગના રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના અનુસંધાને પેન્શન ચુકવણા કચેરી કામચલાઉ ધોરણે તા.31/08/2025 રવિવારના રોજ રાજકોટ ખાતેના જિલ્લા સેવા સદન-2 (બહુમાળી ભવન), રેસકોર્ષ રીંગ રોડ, બ્લોક નં 7/1, 7/2, તથા 7/3 સાતમાં માળે સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવશે. વધુમાં આ કચેરી તા.01/09/2025 સોમવારથી રાબેતા મુજબ નવી જગ્યાએ કાર્યરત થશે. જેની સર્વે અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, સહિત પેન્શન, કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરોએ નોંધ લેવા રાજકોટ પેન્શન ચુકવણા કચેરીના તિજોરી અધિકારીશ્રી પી.એમ.જાડેજાની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *