અઠવાડિયામાં બે દિવસ સુનાવણી કરાશે, પુરવઠા વિભાગના 10 વિવાદી કેસો પણ ચાલશે
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા મહેસૂલ વિભાગના 600 જેટલા પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ કરવા માટે અઠવાડિયામાં બે દિવસનું ખાસ બોર્ડ શરૂૂ કરવામાં આવ્યું છે. આજે બપોર બાદ 40 કેસોની સુનાવણી હાથ ધરવામાં આવશે, જ્યારે આવતીકાલે બપોર બાદ 30 કેસોની સુનાવણી થશે. આ ઉપરાંત, કલેક્ટરે પુરવઠા વિભાગના 10 જેટલા કેસોને પણ હાથ પર લીધા હોવાનું જાણવા મળ્યું છે.
પુરવઠા વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કલેક્ટર દ્વારા હાથ પર લેવાયેલા 10 કેસોમાં કેટલાક કેસો વિવાદિત દુકાનદારોના હોવાનું પુરવઠા વિભાગના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું.
