દિગ્જામ સર્કલ ઝૂંપડપટ્ટીમાં દારૂના ધંધાર્થીઓ વિરૂદ્ધ પોલીસનું મેગા કોમ્બિંગ

જામનગર શહેરના દિગજામ સર્કલ સહિતના આસપાસના વિસ્તારોમાં દેશી દારૂૂ ની પ્રવૃત્તિ અંગે અનેક ફરિયાદો મળતી હોવાથી આજે જામનગર શહેરની પોલીસની મોટી ટીમ દ્વારા મેઘા સર્ચ…

જામનગર શહેરના દિગજામ સર્કલ સહિતના આસપાસના વિસ્તારોમાં દેશી દારૂૂ ની પ્રવૃત્તિ અંગે અનેક ફરિયાદો મળતી હોવાથી આજે જામનગર શહેરની પોલીસની મોટી ટીમ દ્વારા મેઘા સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેથી દેશી દારૂૂના ધંધાર્થીઓ તેમજ અન્ય ગુનેગારોમાં ભારે નાશ ભાગ મચી ગઈ હતી.શહેર વિભાગના ડી.વાય. એસ.પી. જે એન ઝાલાની રાહબરી હેઠળ એલસીબી ના પીઆઇ અને તેઓની ટીમ, ઉપરાંત એસઓજી શાખાના પીઆઇ અને તેમની ટીમ, પેરોલ ફર્લો ના સ્ટાફ ઉપરાંત શહેરના સિટી એ. ડિવિઝન અને બી. તેમજ સી. ડિવિઝન ના તમામ પોલીસ સ્ટાફ વગેરેને સાથે રાખીને અલગ અલગ ટુકડીઓ બનાવી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો, અને સામુહિક રીતે દરોડા પાડવામાં આવ્યા હતા.

પોલીસ ના આ મેગા ઓપરેશનને લઈને ગુન્હેગારોમાં ભારે નાશ ભાગ મચી ગઈ હતી. પોલીસ દ્વારા કેટલાક ઝુપડા વગેરે સ્થળ પરથી દેશી દારૂૂ નો જથ્થો અથવા તો તેને લગતી સામગ્રી વગેરે કબજે કરી લેવામાં આવી હતી, જ્યારે કેટલાક દારૂૂના ધંધાર્થીઓને પોલીસે સકંજામાં લઈ લીધા છે, તેમ જ કેટલાક મહિલા સહિતના દારૂૂના ધંધાર્થીઓ ભાગી છુટ્યા હોવાથી પોલીસ દ્વારા તેઓને શોધવા માટેની કવાયત ચાલી રહી છે.

 

ઉદ્યોગનગરમાં દેશી દારૂનો ખુલ્લેઆમ કારોબાર
જામનગર શહેરમાં દેશી દારૂની હાટડો સામે પોલીસે હાથ ધરેલી કાર્યવાહીમાં અનેક હાટડો પર દરોડા પાડીને મોટી માત્રામાં દેશી દારૂ ઝડપી પાડ્યો છે. જોકે, શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા દિગ્વિજય પ્લોટ 49 રોડ શંકર ટેકરી ઉદ્યોગ પાછળના ઝૂંપડાઓમાં દેશી દારૂ બનાવવાના અને વેચાણના ધંધાને પોલીસ અત્યાર સુધી પકડી શકી નથી.આ વિસ્તારમાં સંખ્યાબંધ ઝૂંપડાઓમાં દેશી દારૂ બનાવવાનું કામ ચાલતું હોવાની અને હજારો કારીગરોને આ ઝૂંપડાઓ દ્વારા દેશી દારૂ પૂરો પાડવામાં આવતો હોવાની ચર્ચાઓ છે. આ દેશી દારૂના વેચાણથી અનેક લોકોના જીવન બરબાદ થઈ રહ્યા છે. આ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ ચાલતું હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાથી લોકોમાં ભારે રોષ છે. લોકોનું માનવું છે કે, પોલીસ આ વિસ્તારમાં દરોડા પાડીને દેશી દારૂના ધંધા પર અંકુશ લગાવે તો જ આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય.આ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ એક ગંભીર સમસ્યા બની ગયું છે. આનાથી ન માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે છે પરંતુ લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે. આથી, જામનગર પોલીસે આ વિસ્તારમાં દેશી દારૂના વેચાણ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. લોકોની માંગ છે કે, પોલીસ આ વિસ્તારમાં ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડે અને દેશી દારૂ બનાવતા અને વેચતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે. આ સાથે જ, પોલીસે આ વિસ્તારમાં ગસ્ત વધારવી જોઈએ જેથી દેશી દારૂનું વેચાણ અટકાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *