દાંડિયા ઓછા રમજો, બહેન-દીકરીઓનું ધ્યાન રાખજો: ઇન્દ્રભારતી બાપુ

ગરબામાં વિધર્મીઓને એન્ટ્રી પર પ્રતિબંધ મુકવા કરેલી માંગણી આગામી નવરાત્રીના તહેવારને લઈને રાજકોટમાં મહંત ઇન્દ્ર ભારતી બાપુએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે નવરાત્રીમાં દાંડિયારાસ…

ગરબામાં વિધર્મીઓને એન્ટ્રી પર પ્રતિબંધ મુકવા કરેલી માંગણી

આગામી નવરાત્રીના તહેવારને લઈને રાજકોટમાં મહંત ઇન્દ્ર ભારતી બાપુએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
તેમણે નવરાત્રીમાં દાંડિયારાસ ઓછો રમવા અને બહેનો-દીકરીઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું છે. તેમણે વિધર્મીઓ દ્વારા ગરબાના પવિત્ર વાતાવરણને દૂષિત કરવાના પ્રયાસો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આયોજકોને સઘન તપાસ કરવા અને વિધર્મીઓની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવા અપીલ કરી હતી તેમણે નવરાત્રીના પવિત્ર પર્વમાં સુરક્ષા અને પવિત્રતા જાળવવાની જરૂૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

મહંત ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું કે નવરાત્રીના ગરબાના આયોજનોમાં વિધર્મીઓ ચાંદલા લગાવીને, હાથ પર ટેટુ બનાવીને અને નકલી આધારકાર્ડ સાથે પ્રવેશ કરી શકે છે. તેમણે આ બાબતે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે આવા તત્વો ગરબાના પવિત્ર માહોલને ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે. બાપુએ યુવાધનને અપીલ કરી હતી કે પહેલાં લોકો બહેનો-દીકરીઓ માટે માથાં આપી દેતા હતા, હવે માત્ર ધ્યાન રાખવાની જરૂૂર છે, જેથી તેઓ સુરક્ષિત રહે.

મહંત ઇન્દ્ર ભારતી બાપુએ ગરબાના આયોજકોને ખાસ વિનંતી કરી છે કે તેઓ ગરબાના સ્થળો પર પ્રવેશ માટે સઘન તપાસ કરે અને વિધર્મીઓની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકે. આ નિવેદનથી નવરાત્રીના પવિત્ર પર્વમાં સુરક્ષા અને પવિત્રતા જાળવવાની જરૂૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *