મધ્યપ્રદેશના હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર શખ્સને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ

રાજકોટ શહેરના પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમ દ્વારા મધ્યપ્રદેશના ગ્વાલીયર પોલીસ મથક વિસ્તારના હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર શખ્સને રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમે પકડી લીધો…

રાજકોટ શહેરના પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમ દ્વારા મધ્યપ્રદેશના ગ્વાલીયર પોલીસ મથક વિસ્તારના હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર શખ્સને રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમે પકડી લીધો હતો. હાલ તેમને મધ્યપ્રદેશ પોલીસને સોંપવામાં આવ્યો છે.બનાવની વધુ વિગતો અનુસાર પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ અમૃતભાઇ મકવાણા, ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ચૌહાણ, સિરાજભાઇ ચાનીયા, રોહીતભાઇ કછોટ, કુલદિપસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ઝાલા, શાંતુબેન મુળિયા, દોલતસિંહ રાઠોડ સહિતનો સ્ટાફ નાસતા ફરતા આરોપીને પકડવા પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમીના આધારે મધ્યપ્રદેશના ગ્લાલીયરના સિરોલ પોલીસ મથક વિસ્તારના પ્રયાસના ગુનામાં ફરાર થયેલા અરવિંદ શ્રીરાજેન્દ્રસિંહ પરિહાર (રહે. 306 ઓરેન્જ વુડસ સીરોલ જી. ગ્વાલીયર રાજય મધ્યપ્રદેશ) ને ઝડપી લીધો હતો. તેમજ આરોપીને મધ્યપ્રદેશ પોલીસને સોંપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *