પાક સૈનિકોએ ખૈબર પખ્તુનમાં 13 આતંકવાદીઓના ઢીમ ઢાળ્યા

પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વાના બારા અને બન્નુ જિલ્લામાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહીમાં ફિત્ના અલ-ખ્વારીજના 13 આતંકવાદીઓને ઠાર માર્યા. પ્રાંતમાં વધતી આતંકવાદ અને આતંકવાદ વિરોધી…

પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વાના બારા અને બન્નુ જિલ્લામાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહીમાં ફિત્ના અલ-ખ્વારીજના 13 આતંકવાદીઓને ઠાર માર્યા. પ્રાંતમાં વધતી આતંકવાદ અને આતંકવાદ વિરોધી પ્રયાસો વચ્ચે ઉપદ્રવોની સાફસુફી ચાલુ હોવાનું એજન્સીએ જણાવ્યું હતું. પાકિસ્તાની સુરક્ષા દળોએ ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બે અલગ અલગ કાર્યવાહીમાં આ ઓપરેશન પાર પાડયું હતું. ફિત્ના અલ-ખ્વારીજ એ એક શબ્દ છે જેનો ઉપયોગ રાજ્ય પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓ માટે કરે છે.

ખૈબર જિલ્લાના બારા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પહેલા ગુપ્તચર-આધારિત ઓપરેશન (IBO) માં, સુરક્ષા દળોએ 10 આતંકવાદીઓને ઠાર માર્યા. બન્નુ જિલ્લામાં હાથ ધરવામાં આવેલા બીજા એક IBOમાં, સુરક્ષા દળો દ્વારા ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા.

ખૈબર પખ્તુનખ્વામાં છેલ્લા એક વર્ષમાં આતંકવાદી હુમલાઓમાં વધારો જોવા મળ્યો છે. સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ (ઈછજજ) ના વાર્ષિક સુરક્ષા અહેવાલ 2025 અનુસાર, ખૈબર પખ્તુનખ્વામાં ગયા વર્ષે હિંસામાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો કારણ કે “2024 માં 1,620 થી વધીને 2025 માં 2,331 લોકો માર્યા ગયા હતા.

આતંકવાદના પુનરુત્થાનને કારણે, ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં જ્યાં હુમલાઓ ઘણીવાર સુરક્ષા કર્મચારીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓને નિશાન બનાવે છે, રાજ્યએ આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવી છે. 15 માર્ચે, સુરક્ષા દળોએ લક્કી મારવતમાં પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *