ગુજરાત
રાજકોટમાં ચાંદીપુરાથી વધુ એક મોત, રાજ્યમાં મૃત્યુઆંક 44 થયો
મોટામવા વિસ્તારમાંથી દાખલ થયેલી શ્રમિક પરિવારની બાળકીએ દમ તોડયો, ગુજરાતમાં કુલ 124 શંકાસ્પદ કેસોમાંથી 37ના રિપોર્ટ પોઝીટિવ
ગુજરાતમાં કોરોના જેવી મહામારી બાદ હવે રાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. સાબરકાંઠાથી શરૂ થયેલા આ વાયરસે સમગ્ર ગુજરાતને તેના ભરડામાં લીધું છે. ત્યારે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો દિનપ્રતિદિન વધી રહ્યાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી મોટામવામાં રહેતા પરિવારની 11 વર્ષની બાળકીનું રિપોર્ટ આવે તે પૂર્વે મોત થયું છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હજુ પાંચ બાળકો દાખલ છે જેમાંથી બેના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જ્યારે અન્ય ત્રણના રિપોર્ટ હજુ બાકી છે. ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી 44 બાળકોનો ભોગ લેવાયો છે અને ગુજરાતમાં 124 શંકાસ્પદ કેસો નોંધાયા છે. જેમાંથી 37ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
રાજકોટ સહિત રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો વાળા દર્દીઓની સંખ્યા વધી રહી છે. મુખ્યમંત્રી દ્વારા જિલ્લા અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા/કોર્પોરેશનની મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન તેમજ જાહેર જનતાને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરીથી માહિતગાર કરવા માટે સૂચના આપેલ છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 124 કેસો છે. જે પૈકી સાબરકાંઠા 12, અરવલ્લી 06, મહીસાગર 02, ખેડા 06, મહેસાણા 07, રાજકોટ 05, સુરેન્દ્રનગર 04, અમદાવાદ કોર્પેરેશન 12, ગાંધીનગર 06, પંચમહાલ 15, જામનગર 06, મોરબી 05, ગાંધીનગર કોપેરેશન 03, છોટાઉદેપુર 02, દાહોદ 02, વડોદરા 06, નર્મદા 02, બનાસકાંઠા 05, વડોદરા કોર્પેરેશન 02, ભાવનગર 01 દેવભૂમિ દ્વારકા 01, રાજકોટ કોર્પેરેશન 04, કચ્છ 03, સુરત કોર્પોરેશન 02, ભરૂૂચ 03, અમદાવાદ 01 તેમજ જામનગર કોર્પોરેશન 01 શંકાસ્પદ કેસો મળેલ છે.
આ તમામ પૈકી સાબરકાંઠા 06, અરવલ્લી 03, મહીસાગર 01, ખેડા 03, મહેસાણા 04, રાજકોટ 01, સુરેન્દ્રનગર 01, અમદાવાદ કોર્પેરેશન 03, ગાંધીનગર 01, પંચમહાલ 06, જામનગર 01, મોરબી 01, દાહોદ 01, વડોદરા 01, બનાસકાંઠા 01, દેવભૂમિ દ્વારકા 01, રાજકોટ કોર્પેરેશન 01 તેમજ કચ્છ 01 જીલ્લામાંથી ચાંદીપુરા કુલ 37 કેસ પોઝીટીવ મળેલ છે.
ગુજરાત રાજ્યના ઉપરોક્ત 124 કેસો પૈકી સાબરકાંઠા 02, અરવલ્લી 03, મહીસાગર 02, ખેડા 02, મહેસાણા 02, રાજકોટ 03, સુરેન્દ્રનગર 01, અમદાવાદ કોર્પેરેશન 04, ગાંધીનગર 02, પંચમહાલ 05, જામનગર 02, મોરબી 03, ગાંધીનગર કોર્પેરેશન 02, દાહોદ 02, વડોદરા 01, નર્મદા 01, બનાસકાંઠા 03, વડોદરા કોર્પેરેશન 01, દેવભૂમિ દ્વારકા 01, સુરત કોર્પોરેશન 01 તેમજ જામનગર કોર્પોરેશન 01 એમ કુલ 44 દર્દીઓ મૃત્યુ પામેલ છે.
રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે કુલ પાંચ દર્દીઓ દાખલ છે જેમાંથી બેના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે અને ત્રણના રિપોર્ટ બાકી છે. બે દિવસ પૂર્વે રાજકોટના મોટામવામાં રહેતા શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકીને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો દેખાતાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જેમાં રિપોર્ટ આવે તે પૂર્વે જ બાળકીનું મોત થયું છે. બીજી તરફ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાંથી હજુ પણ ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો વાળા બાળકો દાખલ થઈ રહ્યાં છે.
સરકાર દ્વારા સલામતીના ભાગરૂપે રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને સક્રિય કામગીરી શરૂ કરી છે જેમાં કુલ 4,96,676 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ છે કુલ 1,05,775 કાચા ધરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.કુલ 19,862 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 1624 શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.
પુનાથી NIVની ટીમ ગુજરાત આવી, અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
ચાંદીપુરા વાઈરસે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. જેમાં અત્યાર સુધી 41 બાળકોના મૃત્યુ નીપજ્યાં છે ત્યારે, આ રોગ ના ઉપદ્રવ અને તેના નિયંત્રણ બાબતે ચકાસણી માટે પુનાથી ગઈંટની બે ટીમ મેઘરજના ઢેકવા અને ભિલોડાના મોટા કંથારિયા ગામે આવી હતી.અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા કેસને લઈને પુણેથી કેન્દ્ર સરકારની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જિલ્લાના ભિલોડાના મોટા કંથારિયા અને મેઘરજ તાલુકાના ઢેકવા ગામના વિવિધ વિસ્તારોમાં ટીમ દ્વારા લોહીના સેમ્પલ તેમજ સેન્ડ ફ્લાયના નમૂના લેવાયા હતા. ચાંદીપુરા વાઇરસના કેસ વધતાં અને જે સેમ્પલો પુણે મોકલવામાં આવતાં હતાં તેના રિપોર્ટ પરત આવવા ઘણો સમય લાગતો હોવાથી વાઇરસનાં સેમ્પલ ટેસ્ટિંગ હવે ગાંધીનગરમાં જ થાય તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત
કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત
શહેરના રેલનગરમાં આવાસ ટાઉનશીપમાં રહેતા યુવાને કોઈના દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં તેવી સ્યુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલી ભગીની ટાઉનશીપમાં રહેતા અક્ષય ભીમજીભાઈ સરવૈયા (ઉ.વ.24) નામના યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પ્રનગર પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોિસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસને મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, મારા મોત માટે હું જ જવાબદાર છું તેમ લખેલું હતું.
પ્રાથમિક તપાસમાં મૃતક અક્ષય એક બહેનનો એકનો એક મોટો ભાઈ હતો તે અગાઉ સીટીબસમાં નોકરી કરતો હતો તેના પિતા રીક્ષાચાલક છે. યુવાને આ પગલું શા માટે ભરી લીધું? તે અંગે પરિવારજતો પણ અજાણ હોયપોલીસે આપઘાતનું કારણ જાણ તપાસ હાથ ધરી છે. જ્યારે એકના એકપુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
ગુજરાત
વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું
ત્રણ કરોડની 3000 ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત કરાવાઇ: લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ તોળાતી કાર્યવાહી
કાલાવડ રોડ પર વાગુદડ ગામમાં મહંતયોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશ ધામેલીયા દ્વારા સરકારી ખરાબાની 3000 ચોરસ મીટર જગ્યા ઉપર આશ્રમ બનાવી અને દબાણ કરી કબજો કરવામાં આવ્યો હતો. આ આશ્રમમાંથી તાજેતરમાં જ ગાંજાના છોડવા પણ ઝડપાયા હતા. સરકારી જમીન પર કબજો જમાવતા તંત્ર દ્વારા નોટીસ ફટકારવાામં આવી હતી. નોટીસનો જવાબ નહીં આપતા રાજકોટ કલેકટરના માર્ગદર્શન અને સુચનાથી આજે ત્રણ કરોડની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલ આશ્રમના દબાણ ઉપર બુલડોઝર ફેરવી અને ખુલ્લી કરાવાઇ હતી.
રાજકોટના ભાગોળે આવેલ વાગુદડ ગામે વિવાદિત યોગી ધર્મનાથ સાધુના આશ્રમ આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. રાજકોટ જિલ્લા કલેકટર ની સૂચના મુજબ લોધિકા મામલતદાર તેમજ ફાયરની અને પોલીસને બંદોબસ્ત વચ્ચે યોગી ધર્મનાથ સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું હતું. વાગુદાળ -વાજડીવડનો સર્વે નંબર 32 પર સરકારી જમીન પર આશ્રમ બનાવી લેવામાં આવ્યો હતો જે આજે તંત્ર દ્વારા 3000 ચો. મી જેટલી જમીન ખુલી કરવામાં આવી હતી આ જમીનની બજારની અંદાજિત કિંમત 3 કરોડ રૂૂપિયા જેટલી આંકવામાં આવી હતી અને આગામી દિવસોમાં ફરી કોઈ દબાણ ન કરે તે માટે જમીનને ફરતે આગામી દિવસોમાં બાઉન્ડ્રી દિવાલ બાંધવામાં આવશે
પરમહંતયોગી ધરમ નાથ ઉર્ફે જીજ્ઞેશ ધામેલીયા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ અનુસંધાને આગામી દિવસોમાં કલેક્ટર તંત્ર દ્વારા સાધુ સામે લેનગ્રેબિંગની ફરિયાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે. આગામી દિવસોમાં મામલતદાર દ્વારા લેનગ્રેબિંગ કમિટીને આ અંગે ભલામણ કર્યા બાદ સરકાર તરફથી ફરિયાદી બને અને મહંત સામે ફરિયાદ નોંધાય તેવી સુત્રોમાં ચર્ચા થઇ રહી છે. કલેકટર તંત્ર જિલ્લામાં રહેલા બે હજારથી વધુ ધાર્મિક દબાણ પર નોટીસો આપવામાં આવી છે. અને ટૂંક સમયમાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે
ગુજરાત
રાજકોટ શહેર-જિલ્લાના 22 નાયબ મામલતદારોની બદલી
બે વર્ષથી એક જ જગ્યાએ રહેલા નાયબ મામલતદારો બદલ્યા
દિવાળીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકર પ્રભવ જોશી દ્વારા દિવાળી પહેલા નાયબ મામલતારોને બદલી કરવામાં આવી છે. એક સાથે રાજકોટ શહેર અને ગ્રામ્યના 22 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. એક જ જગ્યાએ બે વર્ષથી પણ વધુ સમય રહેલા નાયબ મામલતારોની બદલી કરવામાં આવી છે.
જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા ગઈકાલે 22 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી હતી. મુખ્યત્વે ઘણા સમયથી ખાલી જગ્યાઓ પડેલી જગ્યા ઉપર બદલી કરવામાં આવી છે તેમજ અન્ય તે મહેસુલ પુરવઠા દબાણ સહિતની જગ્યાઓ બે વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા નાયબ મામલેદારોની બદલી જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે ત્યારે દિવાળી પહેલા બદલી કરવામાં આવતા જ નાયબ મામલતારોને દિવાળી પણ બગડી છે.
આગામી દિવસોમાં નાયબ મામલતદારોના પ્રમોશન પણ આવી શકે છે અને રાજકોટ જિલ્લાના છ જેટલા નાયબ મામલતદારને મામલતદારના પ્રમોશન તેવી શક્યતાઓ છે. તે પહેલા કલેકટર દ્વારા નાયબ મામલતદારોની બદલીનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો છે.
કલેકટરો સાથે રેવન્યુ સચિવની રેવ્યૂ બેઠક
રાજકોટ સહિત રાજ્યભરના કલેકટરો સાથે રેવન્યુ સચિવ દ્વારા આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેવન્યુ અને દબાણો અંગે માહિતી મેળવવામાં આવી હતી તેમજ વિવિધ કલેકટરો અને કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયમાં સરકારી જમીનો ખુલ્લી કરવા અંગેની પણ માહિતીઓ કલેકટર પાસેથી રેવન્યુ સચિવએ મેળવી હતી.
-
ક્રાઇમ19 hours ago
ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ
-
રાષ્ટ્રીય16 hours ago
બહુચરાઈ હિંસાના આરોપીઓ આવ્યા સામે,મુખ્ય આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર,નેપાળ ભાગી રહ્યા હતા
-
આંતરરાષ્ટ્રીય2 days ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
રાષ્ટ્રીય2 days ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
ગુજરાત2 days ago
મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર
-
ગુજરાત2 days ago
શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં
-
ગુજરાત2 days ago
શાકભાજીના કચરામાંથી ખાતર બનાવતા પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર દેસાઇ
-
ગુજરાત2 days ago
શહેરમાં લટકતા જોખમી 1270 બોર્ડ-બેનરો ઉતારતી મનપા