ગુજરાત
પદાધિકારીઓનું દળકટક રામનાથપરામાં ત્રાટક્યું, મંદિરમાં સફાઇ કરાવી ફોટા પડાવ્યા, રોડ ઉપર ગંદકીના ગંજ યથાવત્
શહેરમાં સતત પાંચ દિવસ સુધી મુસળદાર વરસાદ વરસતા શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. આજીડેમ ઓવરફ્લો થતા નદીના પાણીની સાથો સાથ કચરો-કાદાવ રામનાથ મહાદેવ મંદિરમાં ભરાઇ જતા પદાધિકારીઓ સહિતનો કાફ્લો આજે સ્થળ ઉપર પહોંચ્યો હતો અને પર્યાવરણ વિભાગ સહિતના અધિકારીઓને સુચના આપી રામનાથ મહાદેવ મંદિરની સાફ સાફઇ શરૂ કરાવી હતી. પરંતુ મંદિરની આસપાસના વિસ્તારોમાં ખડકાયેલા ગંદકીના ગંજ યથાવત જોવા મળ્યા હતા અને આ ગંદકી ફોટો પડાવવા માટે ગયેલા પદાધિકારીઓના ધ્યાને ન આવી હોય તેમ ફક્ત મંદિર પરીસરની સફાઇના આદેશ આપી કાફ્લો પરત ફરીયો હતો. જેની નોંધ અનેક ભક્તોએ લઇ મંદિરની આજુબાજુના કચરા મુદ્દે કચવાટ વ્યક્ત ર્ક્યો હતો.
ભારે વરસાદના પગલે આજીડેમ ઓવરફ્લો થતા ધસમસતા નીર નદીના પટ્ટમાં ફરી વળ્યા હતા. વર્ષોથી નદીના પટ્માં ઠલવાતો કચરો અને ગંદા પાણી પ્રવાહ સાથે ભળી નદીની વચ્ચો વચ્ચ બીરજમાન રામનાથ મહાદેવ મંદિરમાં એકઠા થયા હતા. દર વર્ષે આજી નદીના પાણી દ્વારા મહાદેવને જલાભિષેક થતો હોય છે જેના કારણે ભક્તોમાં અનેરો ઉત્ત્સાહ જોવા મળતો હોય છે. પરંતુ પાણી ઓસરી ગયા બાદ મંદીરની દુર્દસા જોઇને ભક્તોના હૃદય દ્રવી ઉઠતા હોય છે. જેના કારણે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે મંદિરની સાફસાફઇ દર વર્ષે કરવામાં આવતી હોય છે.
ફક્ત મંદિર જ સાફ હોવું જોઇએ તેવી નીતિ આપનાવી અધિકારીઓ અને પદાધિકારીઓ સ્થળ મુલાકાત લઇ ફોટોસેશન કરી પરત ફરી જાય છે. તેવુ આ વખતે પણ જોવા મળ્યું છે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓનો કાફ્લો આજે રામનાથ મહાદેવ મંદિર ખાતે સવારમાં પહોંચી ગયો હતો. સાથ રહેલા પર્યાવરણ વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને મંદિરની સફાઇ કરવાના આદેશ આપી પરત ર્ફ્યો હતો. પરંતુ મંદિરની આજુબાજુમાં જામેલી ગંદકી આ લોકોને નજરમાં ન આવી હોય તેવું ભક્તોને લાગ્યું હતું.
રાજકોટ શહેરમાં તા.24/08/2024થી તા.28/08/2024 દરમ્યાન પડેલ ભારે વરસાદને કારણે આજી-1 ડેમ ઓવરફલો થતાં આજી નદીમાં ઘોડાપુર આવેલ. આ પુરના કારણે આજી નદીમાં આવેલ સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં મોટા પ્રમાણમાં કચરો આવતા મંદિર પરિસરમાં ગંદકી થયેલ હતી.
ગત તા.30/08/2024થી મંદિર પરિસર આસપાસ પાણીના વહેણ ધીમા પડતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે મંદિર પરિસરની સંપૂર્ણ સઘન સફાઈ કરવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમો કાર્યરત કરવામાં આવેલ. આ ટીમમાં 50 સફાઈ કર્મચારીઓ, 2-જે.સી.બી. અને ડમ્પર દ્વારા મંદિર પરિસર આસપાસ આવેલ કચરાના ઢગલા, ગાંડી વેલ, પ્લાસ્ટિક વગેરે સહિત 50 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ.
આ સઘન સફાઈ ઝુંબેશ કામગીરીની રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, વિધાનસભા-69ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુ, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉઘરેજા, પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવ, પૂર્વ શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, સંજયસિંહ રાણા, જીતુભાઈ કાટોડીયા, વિનુભાઈ સોરઠીયા, અગ્રણી જીતુભાઈ મહેતા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, પર્યાવરણ ઈજનેર નીલેશભાઈ પરમાર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ-કમર્ચારીઓ વગેરેએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ પદાધિકારીઓ દ્વારા જરૂૂર જણાયે સફાઈ કર્મચારીઓ તથા સાધન સામગ્રી વધારી આ સફાઈ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.
પરંતુ મંદિરની આજુબાજુ લાગેલા ગંદકીના થર સાફ કરવાની સૂચના આપતા જોવા મળ્યા ન હતા. પરિણામે પર્યાવરણ વિભાગના અધિકારીઓ જ પોતે નિર્ણય લઇ મંદિરની આજુબાજુની ગંદકી સાફ કરે તેવું ભક્તજનો કહી રહ્યા હતા. કારણ કે, આદેશ આપતી વખતે બધુ જ કહેવું ફરજિયાત હોતું નથી જેના પરિણામે અનેક વખત અધિકારીઓને સંભાળવું પડતું હોય છે. આથી સંભાવત મંદિરની આજુબાજુનું કચરો પણ પર્યાવરણ વિભાગ સાફ કરશે. તેવું લાગી રહ્યું છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત