રાજકોટ જિલ્લામાં મોટી સંખ્યામાં લોકોએ રાશનકાર્ડના ઈકેવાયસી નહીં કરાવતા પૂરવઠા તંત્ર દ્વારા 53 હજાર નાગરિકોને ઈકેવાયસી માટે નોટીસો પાઠવવામાં આવી છે.
કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ, રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસીફરજિયાત કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 37 લાખથી વધુ રેશનકાર્ડ મેમ્બર હોવા છતાં, હજુ પણ મોટી સંખ્યામાં લોકોએ આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી.
પુરવઠા વિભાગ દ્વારા આવા 53 હજારથી વધુ NFSA રેશનકાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ એવા લોકોને મોકલવામાં આવી છે જેમણે છેલ્લા છ મહિનાથી રાશન લીધું નથી અથવા જેમણે હજુ સુધી ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી નથી. પુરવઠા વિભાગે આ તમામ રેશનકાર્ડ ધારકોને વહેલી તકે ઈ-કેવાયસીની કામગીરી પૂર્ણ કરવા આદેશ કર્યો છે.તમામ NFSA રેશનકાર્ડ કાર્ડ ધારકોને તાત્કાલિક ઈ-કેવાયકામગીરી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. અને જો આગામી દિવસમાં ઈ-કેવાય નહીં કરવામાં આવે તો તેમના સામે કાર્યવાહી પણ કરવાના આવશે.
ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા લાંબા સમયથી ઈકેવાયસી માટે લોકજાગૃતિ ઝુંબેશ ચલાવાઈ રહી છે. આમ છતાં હજુ અસંખ્ય લોકોએ ઈકેવાયસી કરાવેલ નથી.
