ગુજરાત
બાંગ્લાદેશમાં થયું તે ભારત માટે નોટિસ; સંત સંમેલનમાં ધ્રુજારો
અમદાવાદમાં શંકરાચાર્યજીની હાજરીમાં યોજાયેલ સંત સંમેલનમાં હિંદુઓ ઉપર થતા અત્યાચારો સામે વ્યક્ત કરાઇ ઉગ્ર નારાજગી
મુસ્લિમોએ પણ બાંગ્લાદેશમાંથી શિક્ષા લેવી જોઇએ કે તેઓ કયાં સુરક્ષિત છે: શંકરાચાર્યજી
અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા શકિત હોલ ખાતે સંત સમેલન યોજાયું હતું. આ સંમેલન દ્વારકા શારદાપીઠાધિશ્વર જગદગુરૂૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં અખિલ ગુજરાત સંત સંમેલનમાં અવિચલદાસજી-સારસા, મુકતાનંદબાપુ-ચાંપરડા, શેરનાથ બાપુ-જૂનાગઢ, દિલિપદાસજી મહારાજ-જગન્નાથ મંદિર, અમદાવાદ, આચાર્ય કૃષ્ણમણીજી-જામનગર, મહામંડલેશ્વર પરમાત્માનંદજી શિવાનંદ આશ્રમના સહિતના વિવિધ સાધુ સંતો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય એસ. પી સ્વામી અને પારસી સમાજના ધર્મગુરુ પણ હાજર રહ્યા હતા.
જેમાં દ્વારકા શારદાપીઠાધિશ્વર જગદગુરૂૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યું હતું કે, વાત ન્યાય અને અન્યાયની છે. કોઈ દેશમાં રાજકીય ઉથલ પાથલ થાય છે, ત્યાં બહુમતી અને લઘુમતી વિશે વિચારવું પડે છે. બાંગ્લાદેશમાં લઘુમતી અને હિન્દુઓનો શું દોષ છે. લઘુમતીઓનો શું દોષ છે. હિંદુઓની હત્યા થઈ રહી છે, લૂંટફાંટ થઈ રહી છે. દુષ્કર્મ થઈ રહ્યા છે આ ક્યો ધર્મ છે. બાંગ્લાદેશમાંથી આવેલા જે લોકો ભારતમાં રહે છે.
એવા મુસ્લિમોએ પણ શિક્ષા લેવી જોઈએ કે તેઓ ક્યાં સુરક્ષિત છે. હિન્દુઓએ પણ શિક્ષા લેવી જોઈએ કે બાંગ્લાદેશ જેવી સ્થિતિ આપણા દેશમાં બને તો ભગવાન કરે કે આવી સ્થિતિ આપણા દેશમાં ક્યારેય ન બને.આપણા દેશમાં તો તમામનું સ્વાગત થયું છે.સરકારો પણ ભરણ પોષણ કરતી રહી અને હજુ પણ કરે છે. બાંગ્લાદેશમાં જ્યારે હિન્દુઓએ એક થઈ રેલીઓ કાઢી ત્યારે એ હિન્દુઓ સાથે વાત કરવા માટે ત્યાંની સરકાર બોલાવી રહી છે. પણ આપણે પણ એક થવું પડશે.નવી પેઢીમાં પણ હિન્દુત્વનો પ્રવેશ થાય એ માટે કામ કરવું પડશે.જે સંગઠનોમાં હિન્દુ ધર્મની રક્ષા કે પૂજા ન થતી હોય એવા સંગઠનો સામે પણ લડવાનું છે.આપણે ધર્મ પરિવર્તન સામે લડવાનું છે.જે મુસ્લિમો હિન્દુઓ પર અત્યાચાર કરી રહ્યા છે તેમની સામે પણ લડવાનું છે.
સંત સ્મેલનમાં નિજાનંદ સ્વામિજીએ જણાવ્યું કે,બાંગ્લાદેશ ઘટના આંદોલન થયું એમાં ધ્યાન ખેંચે કે ભારત માટે નોટિસ છે.કેમકે બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ ભારતમાં પણ ઊભી થઈ શકે છે.રેડ કોર્નર નોટિસ છે સમાન બાંગ્લાદેશની ઘટના ગણાવી. એવી જ રીતે અગ્નિ અખાડા સભાપતિ મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું કે,વિશ્વની મહાસત્તાઓને એક થવા સંત સમાજનું આહ્વાન કરીએ છીએ.બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ થઈ રહેલા અત્યાચાર મામલે અવાજ ઉઠાવવા સંત સમાજની અપીલ કરી રહ્યા છીએ.સ્ત્રીઓ સામે અત્યાચાર અને જે પ્રકારે સ્થિતિ સર્જાઈ છે તે બદલ અવાજ ઉઠાવવાની જરૂૂર છે. અમે અહીંયાથી તમામ દેશ અને આગેવાનોને અપીલ કરીએ છીએ.
અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, હિન્દુ સમાજ પર ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સૌ સંતો ચિંતિત છે. હિન્દુઓને ન્યાય મળવો જોઈએ. સંતો આગળ આવ્યા છે. હિન્દુ સમાજને ઉભો કરવાનો છે અને સમાજને અપીલ છે કે સૌ સંગઠિત થાઓ. સમાજ એક હશે તો ધર્મની રક્ષા કરી શકીશું. સરકાર પણ સાથે રહી કામ કરે તેવી વાત મૂકી હતી. યોજાયેલા સંમેલનમાં પ્રસ્તાવ પણ પારીત કરવામાં આવ્યા હતાં. બંગલાદેશમાં હિંદુઓ પર થયેલા અત્યાચાર અંગે સાધુઓ ચિતા વ્યક્ત કરીને હિન્દુ સમાજ એક બનવા અંગે અપીલ પણ કરી હતી.
હિંદુઓને એક હાથમાં ગીતા અને બીજા હાથમાં તલવાર લેવાનો સમય
જૂનાગઢમાં શંકરાચાર્ય નરેન્દ્રનંદ સરસ્વતીજીનું આહવાન
જૂનાગઢના ભવનાથમાં ચાતુર્માસ કરવા આવેલા શંકરાચાર્યએ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારમાં ઉથલપાથલ મચતા હિંદુઓ પર અત્યાચાર મુદ્દે તેમજ હિંસા થવા પર પ્રતિક્રિયા આપી છે. હિંદુઓએ એક હાથમાં ગીતા અને બીજા હાથમાં તલવાર લઈ વિધર્મીઓ વિરૂૂદ્ધ જાગવાનું આહ્વાહન કર્યું છે. બાંગ્લાદેશમાં અનામત દૂર કરવાની માગ સાથે શરૂૂ થયેલા આંદોલનમાં હિંદુઓનો ભોગ લેવાઈ રહ્યો છે. જૂનાગઢના ભવનાથ મંદિર સ્થિત કાશીથી ચાતુર્માસ કરવા આવેલા જગતગુરુ શંકરાચાર્ય અનંત વિભૂષિત નરેન્દ્રનંદ સરસ્વતીએ હિંદુૃઓને નપુંસક ન બનવા કહ્યું હતું.શંકરાચાર્યએ જણાવ્યુ કે, બાંગ્લાદેશમાં 10 હજાર હિંદુઓના ઘર સળગાવ્યા છે. હિંદુઓએ હવે એક હાથમાં ગીતા અને બીજા હાથમાં તલવાર લેવાનો સમય આવી ગયો છે. તેમણે બાંગ્લાદેશનો વિરોધ કરતા કહ્યું કે બાંગ્લાદેશના પીએમ કઠપૂતળી છે. તેમજ આઈએસઆઈ અને જમાતીઓને યમરાજાની સેવામાં મોકલવા જોઈએ અને શેખ હસીનાને ભારતની બહાર મોકલી દેવા જોઈએ તેમ કહી હિંદુઓના લોહીમાં જોશ પેદા કરવાનો પ્રયત્ન કર્યો હતો. હિંદુઓએ અલગ દેશની માગ કરવી જોઈએ.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ