ત્રણ આવાસ યોજનામાં ભાડે આપેલા છ આવાસ સીલ કરતી મહાપાલિકા

વિનોબા ભાવે, મહારાણા પ્રતાપ અને જીજાબાઇ આવાસ યોજનામાં ચેકિંગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભૂતિયા અને ભાડે આપેલા આવાસો ઝડપવાની ચાલી રહેલ ઝૂંબેશ અંતર્ગત ત્રણ ટાઉનશીપમાંથી વધુ…

વિનોબા ભાવે, મહારાણા પ્રતાપ અને જીજાબાઇ આવાસ યોજનામાં ચેકિંગ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભૂતિયા અને ભાડે આપેલા આવાસો ઝડપવાની ચાલી રહેલ ઝૂંબેશ અંતર્ગત ત્રણ ટાઉનશીપમાંથી વધુ 6 ભાડે આપેલા આવાસ સીલ કરવામાં આવ્યા છે. વિનોબા ભાવે ટાઉનશીપમાં 4 અને શ્રી મહારાણા પ્રતાપ આવાસ યોજનામાં એક-એક આવાસનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ આવાસ યોજના અંતર્ગત અલગ-અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે.

જે પૈકી શ્રી વિનોબાભાવે ટાઉનશીપ ભગવતીપરા, શ્રી મહારાણા પ્રતાપ ટાઉનશીપ રેલનગર તથા શ્રી જીજાબાઈ ટાઉનશીપ – રૈયાધાર પાસે આવેલ આવાસ યોજનામાં ફિલ્ડ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અન્વયે મૂળ લાભાર્થીના સ્થાને અન્ય આસામી રહેતા હોવાનું માલુમ પડેલ હોય તેવા છ આવાસ વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *