ખંભાળિયાના ઝાકસીયા ગામે તળાવમાં ડૂબી જતા આધેડનું મૃત્યુ

ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામે એક આધેડનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યાનો બનાવો સામે આવ્યો છે. આ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના…

ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામે એક આધેડનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યાનો બનાવો સામે આવ્યો છે. આ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં આવેલા એક તળાવમાં બુધવારે બપોરના સમયે નહાવા માટે ઉતરેલા હમીરભાઈ લખમણભાઈ ખૂટી (રહે. નાના આસોટા) નામના આશરે 55 વર્ષના આધેડ એકાએક પાણીમાં ડૂબી જતા આ અંગે સ્થાનિકો દ્વારા 112 નંબર ઉપર જાણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને ખંભાળિયા ફાયર વિભાગના અધિકારી મીતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનોએ ઘટના સ્થળે પહોંચી અને લાંબી જહેમત બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા હમીરભાઈ ખૂટીના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવાની કામગીરી કરી હતી. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ જુઠાભાઈ લખમણભાઈ ખુટી (રહે. નાના આસોટા) એ ખંભાળિયા પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *