મોરબીના નવલખી રોડ ટ્રેક પર ટ્રેન હેઠળ આવી જતા આધેડનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આજે એક આધેડનું ટ્રેન નીચે આવી જતા મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ…

મોરબીના નવલખી રોડ ઉપર આજે એક આધેડનું ટ્રેન નીચે આવી જતા મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં નવલખી રોડ ઉપર રોકડિયા હનુમાન મંદિર અને બહુચર ફાર્મ સામે આવેલ રેલવે ટ્રેક ઉપર આજે કાંતિભાઈ દેવજીભાઈ સરવૈયા ઉ.વ.52 નામના આધેડ ટ્રેન નીચે આવી ગયા હતા. આ કરુણ ઘટનામાં આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું બનાવને પગલે ટ્રેન થોડા સમય માટે થંભી ગઈ હતી. સ્થાનિકો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. હોસ્પિટલ ખાતે રેલવે પોલીસ અને સગા સંબંધીઓ પહોચ્યાં હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *