ગુજરાત
મેઘરાજા ધીમા પડ્યા; સોરઠમાં ખમૈયા કરતા રાહત
નવસારીના જલાલપુરમાં બાળક અને કુકેરીમાં દંપતીનું મોત
બનાસકાંઠાના લાખાણીમાં 11 ઇંચ, નવસારી, વલસાડ, મહેસાણા, દાંતીવાડા-4 ઇંચ, સાવરકુંડલા, પાલિતાણા, જૂનાગઢ, ક્લોલમાં 1 ઇંચ વરસ્યો
રાજ્યમાં સાર્વત્રીક ચોમાસું જામ્યું છે. મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં અનરાધાર હેત વરસ્વયા બાદ ઉત્તર ગુજરાતમાં ગઇકાલથી રાઉન્ડ શરૂ કર્યો છે. અને બનાસકાંઠાના લાખાણી તાલુકામાં 11 ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે અન્ય જિલ્લાઓમાં મેઘરાજાએ વિરામ રાખ્યો હોય તેમ નવસારી, વલસાડ, મહેસાણા, દાંતીવાડા-4 ઇંચ,અને સોરઠમાં જુનાગઢ, સાવરકુંડલામાં 1 ઇંચ તથા ક્લોલ, પાલીતાણામાં 1 ઇંચ વરસદા વરસ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે એનડીઆરએફની ટીમ દ્વારા રાહત બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ વરસાદના પગલે 3 વ્યક્તિના મોત નીપજ્યાનું જાણવા મળેલ છે.
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ બટાસટી બોલાવી ત્રણ ક્લાકમાં 8 ઇંચ સાથે 11 ઇંચ પાણી વરસી જતા અનેક ગામડાઓ તેમજ શહેરો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ભારે વરસાદના પગલે રાહત બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતમાં 1થી 11 ઇંચ વરસાદ વરસી જતા રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ જતા વાહન વ્યવાહરને ભારે અશર પહોંચી હતી. તેવી જ રીતે વરસાદના પગલે ડૂબી જવાથી અને દિવાલ ધરાશાઇ થવાથી ત્રણ વ્યક્તિના મોત નીપજ્યાનું જણાવા મળેલ છે. ગઇકાલે બનાસકાંઠાના લાખાણીમાં અનરાધાર 11 ઇંચ તેમજ નવસારી, વલસાડ, મહેસાણા, દાંતીવાડા 4 ઇંચ, વરસાદ વરસી ગયો હતો. તેમજ સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ અને પોરંબદર જિલ્લામાં ધીમી ધારે અડધાથી 1 ઇંચ વરસાદ વરસ્યાના વાવડ પ્રાપ્ત થયા છે. ગઇકાલે મહેસાણામાં 98મીમી, બહોચરાજી 96મીમી, ચીખલી 94મીમી, દાંતીવાડા 92મીમી, વાવ 79મીમી, મોંડાસા 72મીમી, સીદ્ધપુર 61મીમી, બલાશીનોર 61મીમી, થરાધ 60મીમી અને નસવાડમાં 46મીમી વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદની આગાહીના પગલે વેધર વોચ કમિટીની બેઠક, જિલ્લા તંત્રને એલર્ટ રહેવા સૂચના
રાજ્યમાં ચોમાસુ માહોલ જામ્યા છો. ત્યારે આગામી ચારથી પાંચ દિવસ હજુ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેધર વોચ કમિટીની બેઠક રાહત કમિશ્નરની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં એનડીઆરએફ, સેનાની ત્રણે પાંખો, કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીના અધિકારીઓ ઉપસ્થિત રહી હતી. હવામાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિની સમિક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી 4થી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 2 દિવસ વરસાદની આગાહી છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ચોમાસુ જામ્યુ છે.જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારો માં પાણી ભરાતા ગામો સંપર્ક વિહોણા થયા છે. 20 જેટલા ગામોમાં પાણીને લઈ રસ્તાઓ બંધ થયા છે.આર એન્ડ બી વિભાગના અધિકારીઓ રસ્તાઓને પૂર્વવત કરવા કામગીરી કરી રહ્યા છે. જિલ્લા તંત્ર દ્વારા મળેલ માહિતી મુજબ પાણીનો નિકાલ શરૂ થઈ ગયો છે. જલ્દી ગામો પૂર્વવત થઈ જશે. જો કે જિલ્લા તંત્ર ને એલર્ટ રહવા સૂચના આપવામાં આવી છે.
પ્રાઇવેટ જગ્યા ઉપર હોર્ડિંગ બોર્ડ લગાવવા મનપાની મંજૂરી ફ્રજિયાત
ધી જી.પી.એમ.સી એકટ 1949ની કલમ 244 અનુસાર રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકાની પૂર્વ મંજુરી વિના, ખાનગી મિલ્કત પર કે જાહેર સ્થળોએ કોઇપણ આસામી દ્વારા હોર્ડિંગ બોર્ડ ઉભા કરી શકાતા નથી. ફક્ત રાજકોટ મહાનગરપાલિકાની પરવાનગી મેળવી અને નિયત લાઇસન્સ ફી ભર્યા બાદ જ કોઈ પણ પ્રકારનું હોર્ડિંગ બોર્ડ ઉભુ કરી શકાય છે. કોઇપણ આસામીએ રાજકોટ મહાનગરપાલિકાની પુર્વ લેખિત પરવાનગી સિવાય ખાનગી મિલ્કત પર કે જાહેર સ્થળે હોર્ડિંગ બોર્ડ ઉભા કરવા નહિ અને આ પ્રકારે બોર્ડ ઉભા કરવામાં આવ્યે, મિલકત ધારક તથા બોર્ડ ઉભુ કરનાર એજન્સી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ કોઈપણ રીતે આવા બોર્ડ પડવાથી કોઇપણ વ્યકિત કે વસ્તુને ઇજા, નુકસાન કે જાનહાનિ થયે તેની સંપુર્ણ જવાબદારી જે તે મિલકત માલિક અને બોર્ડ ઉભુ કરનાર એજન્સીની અંગત રહેશે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય11 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો