વાંકાનેર તાલુકાની મોટા ભાગની ગ્રામ પંચાયતોની ચૂંટણી બિન હરીફ થઈ ચુકી છે ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પ્રયત્નોથી જાલી ગ્રામ પંચાયતના સરપંચ પદના બંને ઉમેદવારો તેમજ આગેવાનો સાથે ચર્ચા કરી ગામમાં સમરસ ચૂંટણી યોજવા અંગે સૂચન કર્યું હતું બાદ ગામમાં એકતાની ભાવના જળવાય રહે તે હેતુથી ગામના આગેવાનો પણ સહમતી દર્શાવી જીતુભાઈના આગ્રહને માન આપી ચૂંટણી સમરસ કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં સરપંચ પદના હરીફ ઉમેદવાર દિનેશભાઈ રાતૈયા એ પોતાની ઉમેદવારી પરત ખેંચતા જાલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મશરૂૂભાઈ સરૈયા બિન હરીફ થયા હતા અને સમરસ ચૂંટણી થતા ગામ લોકોએ પણ હર્ષની લાગણી અનુભવી હતી. આ તકે જાલી ગ્રામ પંચાયત બિન હરીફ કરી સમરસ ચૂંટણી યોજવા પાડધરા પૂર્વ સરપંચ રાજનભાઈ ડૈણિયા, માલધારી સમાજના અગ્રણી ડાયાભાઈ સરૈયા, ઠાકોર સમાજના યુવા અગ્રણી મયુર ઠાકોર, તેમજ ઠાકોર સમાજના યુવા આગેવાન અજીતભાઈ ઠાકોર, રામજીભાઈ સોમાભાઈ,રઘુભાઈ કુકાવા, મગનભાઈ કુકાવા, જેરામભાઈ નંદેસરિયા, સહિતના આગેવાનો હાજર રહયા હતા.
વાંકાનેરના જાલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મશરૂ સરૈયા બિનહરીફ
વાંકાનેર તાલુકાની મોટા ભાગની ગ્રામ પંચાયતોની ચૂંટણી બિન હરીફ થઈ ચુકી છે ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પ્રયત્નોથી જાલી ગ્રામ પંચાયતના સરપંચ પદના બંને ઉમેદવારો…
