રાષ્ટ્રીય
UPના ગોંડામાં મોટી ટ્રેન દુર્ઘટના: ચંદીગઢ એક્સપ્રેસના 10-12 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા, 5ના મોત, અનેક લોકો ઘાયલ
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી આજે ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. બપોરે 3 વાગ્યાની આસપાસ ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસની 3 એસી સહિત 15 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ એક્સપ્રેસ ટ્રેન ચંદીગઢથી ડિબ્રુગઢ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટના જિલ્લાના ઝિલાહી અને મોતીગંજ રેલ્વે સ્ટેશનના ત્રણ કિલોમીટરની વચ્ચે થઈ હતી. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ અકસ્માતમાં 5 મુસાફરોના મોત થયા છે. લગભગ 27 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મળ્યા બાદ અકસ્માત સહાયક ટ્રેન પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ગોંડામાં ડિબ્રુગઢ ટ્રેન દુર્ઘટનાની નોંધ લીધી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપી છે. સીએમ યોગીએ અધિકારીઓને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ પણ આપ્યો છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી. હાલમાં ગોંડા જિલ્લા પ્રશાસન અને ગોરખપુર રેલવે વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.
સીએમ ઓફિસે ટ્વિટ કર્યું છે કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માને ઉત્તર પ્રદેશમાં ડિબ્રુગઢ-ચંદીગઢ એક્સપ્રેસના પાટા પરથી ઉતરી જવાની ઘટના અંગે માહિતી આપવામાં આવી છે. તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આસામ સરકાર સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છે. રાહત કાર્યને ઝડપી બનાવવા માટે લખનૌ, બલરામપુર, શ્રાવસ્તી અને સિદ્ધાર્થનગરથી ચાર SDRF ટીમોને ગોંડા મોકલવામાં આવી છે. ગોંડા પોલીસની સાથે રેલવે પોલીસ ફોર્સ પણ ઘટના સ્થળે હાજર છે અને રાહત કાર્યમાં લાગેલી છે.
ઘટના સ્થળના ફોટો-વિડિયો પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે જે કોચ પલટી ગયો તે એસી કોચ છે. આવી સ્થિતિમાં જો મુસાફરો અંદર ફસાયેલા હોય તો ઘાયલ અને મૃતકોની સંખ્યા વધી શકે છે. હાલમાં સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે પહોંચીને જિલ્લા વહીવટીતંત્ર અને રેલવે ટીમને રાહત કાર્યમાં મદદ કરી રહ્યા છે. એસી કોચની બારીઓના કાચ તોડીને પણ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મુસાફરોને ટ્રેનમાંથી બહાર કાઢીને પાટા પર સુવડાવવામાં આવી રહ્યા છે.
ટ્રેન દુર્ઘટનાને લઈને હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે. પૂર્વોત્તર રેલવેના લખનૌ ડિવિઝન દ્વારા ડિબ્રુગઢ એક્સપ્રેસના પાટા પરથી ઉતરી જવા અંગે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. કોમર્શિયલ કંટ્રોલ- 9957555984, ફર્કેટિંગ (FKG)- 9957555966, મરિયાની (MXN)- 6001882410, સિમલગુરી (SLGR)- 8789543798, તિન્સુકિયા (NTSK)- 9957555959, DiG5975959, DiG597595966
ઉત્તર પ્રદેશના રાહત કમિશનર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે અકસ્માતમાં 27 મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. 40 સભ્યોની મેડિકલ ટીમ ઘટનાસ્થળે હાજર છે. નાના ઇજાગ્રસ્ત મુસાફરોને સ્થળ પર તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. 15 એમ્બ્યુલન્સ સ્થળ પર હાજર છે. વધુ મેડિકલ ટીમો અને એમ્બ્યુલન્સ આવી રહી છે.
રાષ્ટ્રીય
આતિશી બનશે દિલ્હીના નવા CM,વિધાયક દળની બેઠકમાં લેવાયો અંતિમ નિર્ણય
આતિશી દિલ્હીના આગામી મુખ્યમંત્રી હશે. સીએમ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ધારાસભ્યો આ માટે સંમત થયા હતા. આતિશી દિલ્હીની ત્રીજી મહિલા સીએમ હશે. આ પહેલા દિવંગત સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અગાઉ, આમ આદમી પાર્ટી (AAP)ની રાજકીય બાબતોની સમિતિ (PAC)ના નેતાઓએ દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ સૂચવ્યું હતું. ગઈ કાલે(16 સપ્ટેમ્બર) PACની બેઠક યોજાઈ હતી.
આતિશી પાસે કેજરીવાલ સરકારમાં છ મહત્વના વિભાગો છે. જેમાં શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, પ્રવાસન અને શક્તિ મંત્રાલયનો સમાવેશ થાય છે.
અરવિંદ કેજરીવાલે રવિવારે (15 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ પછી તેઓ સાંજે લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને મળશે અને રાજીનામું સોંપશે.
21 માર્ચે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી સીબીઆઈ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ કેસમાં તેમને 13 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. તેને ઈડી કેસમાં પહેલા જ જામીન મળી ચૂક્યા છે. તે 13 સપ્ટેમ્બરે જ તિહાર જેલમાંથી બહાર આવ્યો હતો.
આ પછી, રવિવારે AAP કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે, તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી. તેણે કહ્યું કે હું લિટમસ ટેસ્ટ આપવા માંગુ છું. તેમણે કહ્યું હતું કે, “જ્યાં સુધી લોકો તેમને ઈમાનદારીનું પ્રમાણપત્ર નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે નહીં.”
મનોરંજન
કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાન દુલ્હન બની
બ્રાઇડલ લૂકમાં વીડિયો શેર કર્યો
બ્રેસ્ટ કેન્સર સ્ટેજ 3ની સારવાર લઈ રહેલી હિના ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હિના ખાન બ્રાઈડલના લુકમાં જોવા મળી રહી છે. તેમણે રેમ્પ વોક પણ કર્યું હતું.
ટીવી સ્ટાર હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. તેમ છતાં તેમણે કામમાંથી બ્રેક લીધો નથી. હાલમાં અભિનેત્રી પોતાની હેલ્થને લઈ ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે હેલ્થ અપટેડ શેર કરતી રહી છે.
એક બાજુ કીમોથેરાપીની સારવાર ચાલી રહી છે, તો બીજી બાજુ તેમણે પોતાનું કામ પણ ચાલું રાખ્યું છે. હવે અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે. બ્રાઈડલ લુકમાં હિના ખાન કોન્ફિડન્સ સાથે વોક કરી રહી છે. આ જોઈ ચાહકો પણ ખુશ થયા છે. તેમણે હેવી જ્વેલરી અને બ્રાઈડલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો છે. આ વીડિયો શેર કરી એક નોટ પણ લખી છે.
Sports
બાંગ્લાદેશને હળવાશથી ન લેતા, ટીમ ઈન્ડિયાને ગાવસ્કરે આપી ચેતવણી
ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરથી બે ટેસ્ટ મેચ માટે બાંગ્લાદેશની યજમાની કરી રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ આ ટેસ્ટ સિરીઝ માટે ઘણો પરસેવો પાડી રહી છે.
પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈના ખઅ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બાંગ્લાદેશની ટીમે હાલમાં જ પાકિસ્તાન વિરૂૂદ્ધ પાકિસ્તાનમાં બે મેચની ટેસ્ટ સિરીઝ જીતી હતી. ત્યારે સુનીલ ગાવસ્કરે રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશને કોઈપણ રીતે હળવાશમાં લેવાની ભૂલ ન કરવાની ચેતવણી આપી છે. બે વર્ષ પહેલા ઢાકામાં રમાયેલી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ભારતને મુશ્કેલી મૂકી હતી, જો કે શ્રેયસ અય્યર અને આર અશ્વિને મળીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી અને બાંગ્લાદેશને ભારત સામે તેની પ્રથમ ટેસ્ટ જીત નોંધાવતા અટકાવ્યું હતું.
ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું છે કે, નપાકિસ્તાનમાં રમાયેલી બંને ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવીને બાંગ્લાદેશે બતાવ્યું કે તેમની પાસે કેટલી તાકાત છે. આટલું જ નહીં બે વર્ષ પહેલા જ્યારે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો ત્યારે પણ આ ટીમે ભારતને ટક્કર આપી હતી. હવે પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ તેમનું મનોબળ વધી ગયું છે અને હવે તે ભારતને પણ હરાવવા માંગશે. ગાવસ્કરે આગળ કહ્યું કે, તેમની પાસે કેટલાક સારા ખેલાડીઓ છે અને કેટલાક યુવા ક્રિકેટરો પણ પ્રભાવિત કર્યા છે, જેઓ વિપક્ષનો સામનો કરવાથી ડરતા નથી.
હવે જે પણ ટીમ તેમની સામે રમશે, તેમને(બાંગ્લાદેશ) હળવાશમાં નહીં લે, કારણ કે તેઓ જાણે છે કે બાંગ્લાદેશે પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવ્યું છે. ત્યારે આ સિરીઝ જોવા જેવી રહેશે.
-
રાષ્ટ્રીય24 hours ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય1 day ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત20 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત20 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય20 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ધાર્મિક18 hours ago
ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે