ગુજરાત
ધો.9 અને 11માં હવે પ્રશ્ર્નોનો રેશિયો 70:30નો રહેશે
70 ટકા વર્ણનાત્મક અને 30 ટકા હેતુલક્ષી પ્રશ્ર્નો પૂછાશે, પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે ચાલુ શૈક્ષણિક સત્રથી ધો.9 અને 11ની પરીક્ષાના માળખામાં મહત્ત્વના ફેરફાર કરવાની જાહેરાત કરાઇ છે. હવે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાની જેમ ધો.9 અને 11માં પણ જનરલ વિકલ્પ આપવામાં આવશે. એટલે કે, સમગ્ર પ્રશ્નપત્રમાં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો અને 70 ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછવામાં આવશે.
હાલમાં 20 ટકા હેતુલક્ષી પ્રશ્નો અને 80 ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછવામાં આવે છે. નવી પદ્ધતિ લાગુ થવાથી ગણતરીના માર્કસથી નાપાસ થતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે. બોર્ડ દ્વારા નવી દાખલ કરવામાં આવેલી પરીક્ષા પદ્ધતિની અસર ધો.9 અને ધો.11માં અભ્યાસ કરતાં અંદાજે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓને થશે.
દેશમાં નવી શૈક્ષણિક પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. જેના અનુસંધાનમાં શૈક્ષણિક વર્ષ 2024-25 શરૂૂ થયા બાદ ત્રણ મહિના પછી હવે આગામી દિવસોમાં સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા આવવાની તૈયારી છે ત્યારે બોર્ડ દ્વારા ધો.9 અને 11માં પ્રશ્નપત્રો-પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. ધો.9 અને 11માં હવે 80ના બદલે 70 ટકા વર્ણનાત્મક અને 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો રહેશે. આ ઉપરાંત તમામ વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પના બદલે હવે જનરલ વિકલ્પ આપવામાં આવશે. બોર્ડ દ્વારા ગત વર્ષથી ધો.10 અને 12માં આ પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. હવે ધો.9 અને 11માં પણ એકસૂત્રતા રહે તે માટે નવી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. ધો.11ના સાયન્સ,કોમર્સ સહિતના તમામ પ્રવાહમાં નવી પદ્ધતિ લાગુ કરવામાં આવશે. સંસ્કૃત પ્રથમા અને મધ્યમામાં પણ નવી પદ્ધતિ પ્રમાણે જ પરીક્ષા લેવામાં આવશે.
ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા તેમજ અંગ્રેજી પ્રથમ અને દ્વિતિય ભાષા, હિન્દી પ્રથમ અને દ્વિતિય ભાષા અને સંસ્કૃત પ્રશ્નપત્ર પરિરૂૂપ અને ગુણભાર અને નમૂના પ્રશ્નપત્ર તૈયાર કરીને જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલી આપવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં લેવાનારી પરીક્ષા નવા પરિરૂૂપ પ્રમાણે જ લેવામાં આવશે. સ્કૂલોમાં ધો.11માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, આર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, નામાના મૂળતત્ત્વો, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી સહિતના તમામ વિષયોના નમૂના પ્રશ્નપત્રો નવી પદ્ધતિ પ્રમાણે જ તૈયાર કરવામાં આવ્યા છે. બાકીના વિષયો જેવા કે વોકેશનલ વિષયોના પરિરૂૂપ હવે પછી જાહેર કરવામાં આવશે.
આગામી પરીક્ષા અને હવે પછી લેવાનારી તમામ પરીક્ષાઓ નવા પરિરૂૂપ પ્રમાણે જ લેવાશે. જેના કારણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ધો.10 અને 12ની પરીક્ષામાં ફાયદો થશે.
જનરલ અને આંતરિક વિકલ્પ શું છે
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે પછી ધો.9 અને 11માં જનરલ વિકલ્પની જોગવાઇ લાગુ કરવામાં આવી છે. અત્યાર સુધી આંતરિક વિકલ્પ આપવામાં આવતા હતા. એટલે કે, જૂની પદ્ધતિમાં એક પ્રશ્નના વિકલ્પમાં અન્ય એક પ્રશ્ન આપવામાં આવતો હતો. જેમાં વિદ્યાર્થીઓએ બે પૈકી કોઇપણ એક પ્રશ્નનો જવાબ લખવાનો રહેતો હતો. હવે જનરલ વિકલ્પ(ઓપ્શન)માં પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે, જે પૈકી કોઇપણ બે કે ત્રણ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. આમ, જનરલ વિકલ્પને કારણે વિદ્યાર્થીઓ મર્યાદિત તૈયારી કરીને પણ નિર્ધારિત પ્રશ્નોના જવાબ લખી શકશે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ