જામનગરના વેપારી પરિવાર સાથે શેરબજારમાં રોકાણના બહાને 62.94 લાખની છેતરપિંડી

  જામનગરમાં ગુરુદ્વારા નજીક એકતા એપાર્ટમેન્ટમાં રહેતા અને શેર બજાર નો વ્યવસાય કરતા દેવેનભાઈ મોહનભાઈ પટેલ નામના વેપારીએ પોતાની સાથે અને પોતાના પરિવારના અન્ય સભ્ય…

 

જામનગરમાં ગુરુદ્વારા નજીક એકતા એપાર્ટમેન્ટમાં રહેતા અને શેર બજાર નો વ્યવસાય કરતા દેવેનભાઈ મોહનભાઈ પટેલ નામના વેપારીએ પોતાની સાથે અને પોતાના પરિવારના અન્ય સભ્ય સાથે રોકાણના બહાને છેતરપિંડી કરવા અંગે તેમજ અન્ય એક વ્યક્તિ સહિત તમામની કુલ 62,94,813 ની રકમ મેળવી લીધા બાદ પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે જામનગર ના ગાંધીનગર નવા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા હિરેન ભરતભાઈ લાખાણી સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી ત્રણ વર્ષ પહેલા હિરેનભાઈ લાખાણી કે જે દેવેનભાઈ પટેલના બિઝનેસ ના પાર્ટનર પારૂૂલબેન સાથે સંપર્કમાં આવ્યો હતો, અને પારૂૂલબેન નો સંબંધી હોવાથી અને પોતે જામનગરની આઈ.સી. આઈ.સી.આઈ. ની સિક્યુરિટી બ્રાન્ચમાં ફરજ બજાવતો હોવાથી શેરબજારના ડિમેન્ટ એકાઉન્ટ ખોલાવવાના બહાને રોકાણ કરાવવાનું શરૂૂ કર્યું હતું, અને કટકે કટકે નાણાં જમા કરાવ્યા હતા, જે રકમ પૈકી શરૂૂઆતમાં સારો નફો બતાવ્યો હતો, અને કેટલૂંક વળતર આપવાની લાલચ આપી હતી.
ત્યારબાદ વધુ રોકાણ કરાવી દેવેનભાઈ અને પરિવાર ની સાથે, તેમજ જામનગરના ઘનશ્યામસિંહ જાડેજા નામના અન્ય એક વ્યક્તિના પણ પૈસા મેળવી લીધા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પોતે લાંબા સમયથી નાણાંની ઉચાપત કરીને ભાગી છૂટ્યો હોવાથી આખરે આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને દેવનભાઈ પટેલ, પારુલ બેન, તેમજ ઘનશ્યામસિંહ વગેરે હિરેન લાખણી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં સિટી બી. ડિવિઝનના મહિલા પી.એસ.આઇ એમ.એમ. મહેતા તમામ મામલા માં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહ્યા છે.

પૈસાની છેતરપિંડી કરીને ભાગી છૂટનાર હિરેન લાખાણી કે જે ગત 11મા મહિનાથી એકાએક લાપત્તા બન્યો છે અને તેના પિતા દ્વારા સૌ પ્રથમ પોતાનો પુત્ર કહ્યામાં નથી, તેવી અખબારમાં જાહેરાત પ્રસિદ્ધ કરાવી હતી. જ્યારે જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાનો પુત્ર ગુમ થઈ ગયો હોવાની પણ ગુમ નોંધ કરાવી હતી.

સાથો સાથ દેવેનભાઈ પટેલ અને ઘનશ્યામસિંહ વગેરે સામે આરોપી ના પિતા ભરતભાઈ લાખાણી એ અરજી કરી હતી, અને પૈસાની ઉઘરાણી અને ત્રાસ અપાતો હોવાનું જણાવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા દેવેનભાઈ અને ઘનશ્યામસિંહ સામે 151 હેઠળ પગલાં પણ ભરી લેવાયા છે. દેવેનભાઈ અને પારુલ બેને હિરેન લાખાણી ને પરિચયના આધારે એક કાર પણ લઈ આપી હતી, જેના હપ્તા હિરેનભાઈ ભરતા ન હતા, અને કાર વાપરતા હતા. જેના હપ્તા ચડત થઈ ગયા હોવાથી દેવેનભાઇએ આ મામલો પણ પોલીસ મથક સુધી પહોંચાડ્યો હતો, અને અરજી કરી હતી. જેમાં આખરે કારનો કબજો હાલ દેવેનભાઈએ પોતાની પાસે લઈ લીધો હતો, પરંતુ કારની ચાવી અને તેના આર.સી.બુક સહિતના કાગળો આપતો ન હતો, અને પોતાની સાથે લઈને ગુમ થઈ ગયો છે.
જે મામલો પણ હજુ પેન્ડિંગ છે, દરમિયાન ગઈકાલે આ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.. પોલીસ હિરેન લાખાણી ને શોધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *