ઓમાનમાં ભારતીય જહાજ પર ઇરાનનો હુમલો, 3 નાવિકોના મોત

60,000 ટનનું MKD વ્યોમ ઓઇલ ભરીને નીકળ્યું હતું, 20થી વધુ ઘાયલ ઈઝરાયલ અને અમેરિકાના હુમલા અને સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુ બાદ, ઈરાને ઓમાનની દરિયાઈ…

60,000 ટનનું MKD વ્યોમ ઓઇલ ભરીને નીકળ્યું હતું, 20થી વધુ ઘાયલ

ઈઝરાયલ અને અમેરિકાના હુમલા અને સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુ બાદ, ઈરાને ઓમાનની દરિયાઈ સરહદમાં જહાજો પર હુમલો કર્યો. ઓછામાં ઓછા ત્રણ ભારતીયોના મોત થયા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા. ઓમાનમાં ભારતીય દૂતાવાસે આ વાતની પુષ્ટિ કરી. દૂતાવાસે જણાવ્યું કે MKD વ્યોમમાં સવાર ત્રણ ભારતીયોના મોત થયા. ભારતીયોને જહાજમાંથી બહાર કાઢવા માટે ઓમાની વહીવટીતંત્ર સાથે મળીને પ્રયાસો ચાલી રહ્યા છે.

નોંધનીય છે કે MKD વ્યોમે માર્શલ ટાપુઓનો ધ્વજ લહેરાવ્યો હતો. તે મસ્કતથી લગભગ 52 નોટિકલ માઈલ દૂર હતું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે બાકીના 21 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઓમાનમાં ભારતીય દૂતાવાસે MKD VYOM નામના જહાજમાં સવાર ભારતીય ક્રૂ મેમ્બરના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

સરકારી ઓમાન ન્યૂઝ એજન્સી અનુસાર, ટક્કરથી મુખ્ય એન્જિન રૂૂમમાં વિસ્ફોટ થયો હતો અને ત્યારબાદ આગ લાગી હતી, જેમાં એક ક્રૂ મેમ્બરનું મોત નીપજ્યું હતું. તેમાં જણાવાયું છે કે મેરીટાઇમ સિક્યુરિટી સેન્ટર સાથે સંકલનમાં, ટેન્કરના 21 ક્રૂ મેમ્બર, જેમાં 16 ભારતીયો, ચાર બાંગ્લાદેશી અને એક યુક્રેનિયનનો સમાવેશ થાય છે, તેમને પનામા-ધ્વજવાળા વાણિજ્યિક જહાજ ખટ સેન્ડ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ઓમાન ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે ઓમાનનું રોયલ નેવી જહાજ ક્ષતિગ્રસ્ત ટેન્કરના સ્થાનનું નિરીક્ષણ કરી રહ્યું છે અને તે વિસ્તારમાંથી પસાર થતા જહાજોને જરૂૂરી નેવિગેશનલ ચેતવણીઓ આપી રહ્યું છે. ટેન્કર 59,463 મેટ્રિક ટન કાર્ગો લઈ જઈ રહ્યું હતું. એક દિવસ પહેલા, હોર્મુઝ સ્ટ્રેટમાં બીજા એક ઓઇલ ટેન્કર પર હુમલો થયો હતો. ટેન્કર, ખટ સ્કાયલાઇટ પર થયેલા હુમલામાં ચાર ક્રૂ મેમ્બર ઘાયલ થયા હતા. ક્રૂ મેમ્બરમાં ભારત અને ઈરાનના નાગરિકોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *