ગુજરાત
ફૂડ શાખાનું સઘન ચેકિંગ: દૂધ-મીઠાઇ-તેલના નમૂના લેતું તંત્ર
ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ: 203 સ્થળે તેલની તપાસ કરાઇ: 80 કિલો બળેલા તેલનો નાશ
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દૂધની ડેરીઓ, મીઠાઈના દુકાનો, તેલના મિલો, બેકરીઓ, મસાલાના વેપારીઓ અને ડ્રાયફ્રુટના વેપારીઓ પાસેથી ખાદ્ય ચીજોના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થોની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.
જામનગરમા મહાનગર પાલિકા ની ફુડ શાખા દ્વારા ખાદ્ય ચીજો નાં નમૂના લેવામાં આવ્યા હતા. અને પૃથક્કરણ માટે લેબ માં મોકલાયા હતા.જામનગર માં તા. 3-10-ર0ર4 ના દૂધ અને દૂધની બનાવટના સેમ્પલો લેવામાં આવ્યા હતાં જેમાં માહી ડેરી (સરૂૂ સેક્શન રોડ) માંથી દૂધ, શ્રી મોમાઈ ડેરી (પેલે રોડ) માંથી દૂધ, શ્રી અંબિકા ડેરી ફાર્મ (બંદર રોડ) માંથી પલાઈ, મહાવીર આઈસ્ક્રીમ (બેડેશ્વર) માંથી દૂધ કોલ્ડ્રીક્સ, શ્રી લક્ષ્મી ડેરી (વાલસુરા રોડ) માંથી દહીં, જય ભવાની ડેરી (બેડીબંદર રોડ) માંથી પનીર, ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ (પટેલ કોલોની) માંથી આઈસ્ક્રીમ, શ્રી અંબિકા ડેરી ફાર્મ (બેડીબંદર રોડ) માંથી બદામ મિલ્ક શેઈક, શ્રી લક્ષ્મી ડેરી (વાલસુરા રોડ) માંથી મિક્સ દૂધ, જય ભવાની ડેરીમાંથી માખણ અને ક્રિષ્ના એન્ટરપ્રાઈઝમાંથી શિખંડ, તથા તા. 4 ના બરફી, મીઠાઈના પણ 14 નમૂના લેવામાં આવ્યા હતાં. જેમાં એમપી શાહ ઉદ્યોગનગરમાં શિવ શક્તિ ડેરી એન્ડ સ્વીટ અને અંબિકા ડેરી પ્રોડક્ટમાંથી મીઠોમાવો અને બરફીના નમૂના લેવામાં આવ્યા હતાં. કિરીટ ફરસાણમાંથી બરફી અને મીઠો માવો ઓમ પટેલ પેંડાવાલામાંથી મીઠો માવો અને બરફી, લીમડાલાઈનની ધારેશ્વર ડેરીમાંથી બરફી અને મીઠો માવા, યમિસ માંથી મીઠો માવો અને બરફી તથા પારસ સ્વીટ-ફરસાણમાંથી બરફી અને મીઠો માવાના નમૂના લેવાયા હતાં.
તા. 6 ના ખાદ્યતેલના નમૂના 14 સ્થળેથી લેવાયા હતાં. જેમાં કમલેશ કુમાર છગનલાલ પટેલ, ધનવંતી ટ્રેડર્સ બેડેશ્વરની પટેલ ઓઈલ મીલ, રઈઝ એગ્રો, શ્રીજી ટ્રેડર્સ, જે.પી. ઓઈલ ઈન્ડ., ક્રિષ્ના ઓઈલ ઈન્ડ, શ્રી રામ ઓઈલમીલ અને ચાર ચાર મેગા પોલમાંથી તેલના નમૂના લેવાયાછે.
તા. 7 ના માં બેકરી પ્રોડક્ટ્સના 14 સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાં શિવ શક્તિ બેકરીની નાન ખટાઈ, શિવમ બેકર્સમાંથી ક્રિમ રોલ, લક્ષ્મી બેકર્સમાંથી નાન ખટાઈ, શિવ દર્શન બેકરીમાંથી ક્રિમ રોલ, લક્ષ્મી બેકરીમાંથી રીય ફિલ્ડ સુપર વનસ્પતિ, આશા બેકર્સમાંથી પફ, શિવ શક્તિ બેકરીમાંથી નાન ખટાઈ અને કાળા તલના બિસ્કીટ, નુર મહમદી બેકરીમાંથી ખાંડ ચકરી, ધી કેક પુલમાંથી કેક, શિવ દર્શન બેકરીમાંથી વનસ્પતિ (પર ફાઈડ બ્રાન્ડ), ચાર ચાર મેગામોલમાંથી મસ્ટરડ ઓઈલ, નુરી મહંમદી બેકરીમાંથી જામ કેક રોલ, તથા કે.કે. બેકરીમાંથી મશરૂૂમ અને જીરા ટોસ્ટનો સમાવેશ થાય છે.
તા. 9 ના ખાદ્ય મસાલાના 14 નમુના લેવાયા હતાં. હિન્દ પ્રોવિઝનમાંથી મરચા પાવડર, ભાનુશાળી મહેન્દ્રકુમાર બધર્સમાંથી ધાણાજીરૂૂ પાવડર, મહંમદ હનીફ નુરમામદમાંથી મરચા પાવડર અને ગરમ મસાલો, સાગર પ્રોવિઝનમાંથી મરચા પાવડર અને હળદર પાવડર, રાજ પ્રોવિઝનમાંથી હળદર પાવડર અને ગરમ મસાલો, શ્રી મહાલક્ષ્મી પ્રો. સ્ટોર્સમાંથી હિંગ, નુરાની પ્રો. સ્ટોર્સમાંથી ગરમ મસાલો, ચુડાસમા બાલુભા હાલાજીમાંથી મોહનથાળ અને ગુલાબ જાંબુ, વિજય પ્રો. સ્ટોર્સમાંથી હળદર પાવડર, નિયતિ પ્રો. સ્ટોર્સમાંથી હળદર-ધાણાજીરૂૂ પાવડરનો સમાવેશ થાય છે.તા. 10 ના ડ્રાયફૂટના 14 નમુના લેવાયા હતાં. તેમાંથી ફાઈવ સ્ટાર ડ્રાયફૂટમાંથી રબડી કાજુ અને કોફી આલમંડ, શ્રીજી ટ્રેડર્સમાંથી અંજીર અને રોસ્ટેડ પીસ્તા, પ્રસાદ ટ્રેડર્સમાંથી બદામ અને કાજુ, આર.કે. કનક ઈન્ડ.માંથી કિસમીસ અને કાજુ, ઓમકારમાંથી જરદાલુ, જય અંબે એન્ટરપ્રાઈઝમાંથી અજીર, ઠક્કર ડીસ્પોસબલમાંથી વોલનટ અને પીસ્તા તથા જય અંબેમાંથી અખરોટ. તા. 11 ના ઘી ના નમુના લેવાયા હતાં તેમાંથી લક્ષ્મીગૃહ ઉદ્યોગ (નાઘેડી), ભવાની ડેરી, બાલકૃષ્ણ ભગવતી ડેરી, જયંતિભાઈ માવાવાળા, વિશાલ ટ્રેડીંગ, જી.એ. ટ્રેડર્સ, મિલન ટ્રેડર્સનો સમાવેશ થાય છે.
નાઘેડીના લક્ષ્મીગૃહ ઉદ્યોગમાં ઉપયોગ કરેલ ખાદ્ય તેલ, પૂજન સામગ્રી વાળા ઘી નો તથા ખામતેલનો 91 કિલો જથ્થો મળી આવતા તે સીઝ કરવામાં આવ્યો હતો. ર03 સ્થળે તેલના ટીપીસી અંગે તપાસ કરવામાં આવી હતી તેમાંથી 80 કિલો બળેલ તેલનો નાશ કરવામાં આવ્યો છે.જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ચેકિંગ દરમિયાન મળી આવેલા નમૂનાઓના પરિણામો આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ નમૂનો ગુણવત્તાવાળો ન હોવાનું જણાશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.પ્રકાશ રેસ્ટોરન્ટ માં થી છોલે તેમજ ન્યુ ચેતના લંચ હોમ માંથી મિક્સ વેજ ના નમુના લઇ પૃથકરણ માટે માટે લેબોરેટરી માં મોકલવા માં આવ્યા છે.
ગુજરાત
દિવાળી પહેલાં ભેટ, મધ્યાહન ભોજનના કરારી સુપરવાઈઝરને 15ને બદલે 25 હજાર પગાર
વધુ 310 જગ્યાઓ પણ કરાર આધારિત ભરવામાં આવશે
દિવાળીના તહેવાર પહેલા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મધ્યાહન ભોજનમાં 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. હવે મધ્યાહન ભોજન સુપરવાઈઝરને 15 હજારની જગ્યાએ દર મહિને 25 હજાર રૂૂપિયાનો પગાર મળશે. તહેવારો પહેલા સરકારે આ જાહેરાત કરી છે.
પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરનો મહિને પગાર 15 હજારથી વધારી 25 હજાર રૂૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ વધારેલો પગાર નવેમ્બર મહિનાથી મળવા લાગશે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પીએમ પોષણ (મધ્યાહન ભોજન) એમ.ડી. એમ સુપરવાઈઝરની કુલ 310 જગ્યાઓ ભરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ જગ્યાઓ 11 મહિનાના કરાર આધારિત ભરવામાં આવશે. નવી ભરતી થયેલા લોકોને પણ દર મહિને 25 હજારનું વેતન મળશે.
ગુજરાત
મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર
વિવિધ સેવાઓ માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ એક જ જગ્યાએ ફરિયાદ થઈ શકશે, ફરિયાદ નોંધાવવા જતાં હવે ચાર્જ કપાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ફરિયાદ નિવારણ પદ્ધતિ(કોલ સેન્ટર)માં કરવામાં આવેલ આધુનિકરણનું લોન્ચિંગ કાર્યક્રમ આજ તા.16/10/2024, બુધવાર સવારે 10:30 કલાકે અમીન માર્ગ સિવિક સેન્ટર, અમીન માર્ગખાતે યોજાયો.
ભારત સરકારના Ministry of Communication Information Technology“p Department Of Teleco mmunications (DOT દ્વારા ભારતની તમામ મહાનગર પાલિકાઓની વિવિધ સેવાઓ અંગેની ફરિયાદ માટે અલગ અલગ નંબરને બદલે તમામ ફરિયાદની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્વારા કરી શકાય તેવી વ્યવસ્થા શરૂૂ કરવામાં આવેલ છે. આ માટે 155304 નંબરનો શોર્ટ કોડ અમલમાં મુકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનો અમલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. હાલમાં કોલ સેન્ટરના નંબર 0281-2450077 તેમજ ટોલ-ફ્રી નંબર 1800-123-1973ના સ્થાને શોર્ટ કોર્ડ નંબર 155304 પરથી લોકો પોતાની મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો નોંધાવી શકશે આ નંબર 155304ને ઈફયિંલજ્ઞિુ1 નંબર તરીકે જાહેર કરવામાં આવેલ છે આથી તમામ ટેલિકોમ ઓપરેટરોને ફરજીયાતપણે આ સર્વિસ પ્રોવાઈડ કરવાની રહેશે. તેમજ – અન-રીસ્ટ્રીકટેડ સર્વિસ જે જઝઉ ઈજ્ઞમય પર પણ અવેલેબલ થશે.
આ ઉપરાંત કોલ સેન્ટરની હાલની સેવાઓને રાજકોટ મહાનગરપાલિકાના પોતાના ડાર્ક ફાયબર દ્વારા (10 ઞતયિ જઈંઙ કશક્ષય) મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન સર્વર સાથે કનેક્ટ કરવામાં આવેલ છે. આથી લોકોને રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓ અંગેની પોતાની ફરિયાદો નોંધાવવામાં સરળતા રહેશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ, મોબાઈલ એપ તેમજ વોટ્સએપ ચેટબોટ દ્વારા પણ લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે.
આમ, હવેથી મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો લોકો 0281-245007 અને 1800-123-1973 ને બદલે એક જ શોર્ટ કોડ 155304 નંબર ડાયલ કરી, સરળતાથી નોંધાવી શકશે. જો કે, આ નંબર ટોલફ્રી ન હોવાથી નાગરિકોના ફોનમાંથી ચાર્જ કપાશે.
અગાઉના નંબર 0281-245007 અને 1800-123-1973ની સેવા બંધ કરાશે
રાજકોટ મનપા દ્વારા નવો કમ્પ્લેઈન નંબર જાહેર કરાતા અગાઉ ફરિયાદ નોંધાવા માટે વપરાતા નંબર 0281-245007 અને ટોલફ્રી નંબર 1800-123-1973ની જગ્યાએ લોકોએ હવે 155304 નંબર પર ફરિયાદ નોંધાવી પડશે અગાઉના બંને નંબરની જગ્યાએ હવે એક જ નંબર પર રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિભાગની સેવાઓ અંગેની ફરિયાદ નોંધાવી શકાશે.
ગુજરાત
શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં
આયોજકો તંત્ર સામે લડી લેવાના મૂડમાં: અરજીના 15 દિવસ બાદ પણ જવાબ નહીં મળ્યો હોવાના આક્ષેપ
દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જિલ્લા નારી સુરક્ષા સમિતી દ્વારા શેઠ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ રાજકોટ મનપા અને હાઇસ્કુલના મેનેજમેન્ટ દ્વારા ગ્રાઉન્ડ બાબતે કોઇ જવાબ નહીં આપતા આયોજકો દ્વારા આજે સાંજે ધરણા કરી અને વિરોધ પ્રદર્શન કરી માતાજીની આરતી કરાશે.
આ અંગે આયોજક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, પૂર્વ સૈનિક નટુભા ઝાલા, નલીનભાઇ ચૌહાણ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિના પ્રમુખ હેમાબેન કક્કડ, લીગલ એડવાઇઝર ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા 24 વર્ષથી શરદ પૂર્ણિમાએ આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે 15 દિવસ અગાઉ ગ્રાઉન્ડ માટેની અરજી કરવા છતા પણ મહાપાલિકા અને હાઇસ્કુલના મેનેજમેન્ટ દ્વારા મંજુરી માટે કોઇ જાણ કરવામાં આવી નથી. અનેક વખત જાણકારી માંગવા છતા પણ જવાબ આપવામાં આવતો નથી અને અરજીની પ્રક્રીયા કેટલે પહોંચી તે અંગે પણ જણાવવામાં આવતું નથી.
કોર્પોરેશન દ્વારા અર્વાચીન ગરબા માટે ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવે છે કોઇ ચોકકસ સમાજને આપો છો ત્યારે અમે લોકો સર્વે સમાજની દિકરીઓ અને બહેનો માટે આયોજન કરીએ છીએ. તેમાં પણ તંત્ર દ્વારા રોડા નાખવામાં આવે છે. આવતીકાલે શરદોત્સવ હોય અમને હજુ સુધી ગ્રાઉન્ડ ફાળવવા બાબતે કોઇ જવાબ આપવામાં આવ્યો નથી જેથી અમારા આયોજન અંગે પણ મુંઝવણ ઉભી થાય છે. છતા પણ અમે આજે સાંજે હાઇસ્કુલ ખાતે તંત્રની તાનાશાહી સામે ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને માતાજીની આરતી પણ કરાશે.
વધુમાં આયોજકોએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી ધક્કા ખાવા છતા પણ મનપા અને હાઇસ્કુલના સતાધીશો દ્વારા કોઇપણ જાતનો જવાબ આપવામાં આવ્યો નથી અને અરજીની પ્રક્રીયા અંગે પણ માહિતી આપવામાં આવતી નહી હોવાથી આ પ્રશ્ન આગામી દિવસોમાં મુખ્યમંત્રી દ્વારા યોજાનાર સ્વાગત કાર્યક્રમમાં મુકવામાં આવશે.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
રાષ્ટ્રીય16 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત
-
આંતરરાષ્ટ્રીય16 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ