ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગેની વાટાઘાટોને નવી ગતિ મળી છે. આ કરારના પ્રથમ તબક્કાની વાતચીત માટે ભારતીય પ્રતિનિધિમંડળ આજે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં પહોંચ્યું છે. ત્રણ દિવસીય બેઠકમાં અગાઉ ફેબ્રુઆરીમાં સ્થાપિત થયેલા અંતરિમ કરારના માળખાને ફરીથી અનુરૂૂપ બનાવવા પર ભાર મૂકવામાં આવશે, કારણ કે અમેરિકાની તરફથી નવી ટેરિફ નીતિમાં ફેરફાર થયા છે.
વાણિજ્ય વિભાગના અધિક સચિવ દર્પણ જૈન આ બેઠકમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમની સાથે કસ્ટમ્સ વિભાગ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ સહિત કુલ આશરે 12 અધિકારીઓનું પ્રતિનિધિમંડળ હાજર રહેશે. આ વાટાઘાટો વર્ચ્યુઅલ મીટિંગ પછી લગભગ 3-4 મહિના પછી પ્રથમ વખત વ્યક્તિગત રૂૂપે થઈ રહી છે.
ફેબ્રુઆરી 2026માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની વાતચીત પછી બંને દેશોએ અંતરિમ વેપાર કરારનું માળખું જાહેર કર્યું હતું. તેમાં અમેરિકાએ ભારતીય વસ્તુઓ પરના ટેરિફને 25% થી ઘટાડીને 18% કર્યા હતા.
આ કરારમાં ભારત અમેરિકી ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા અને અમેરિકાથી વધુ પ્રમાણમાં ઊર્જા, વિમાન, ટેક્નોલોજી અને અન્ય વસ્તુઓ ખરીદવાની તૈયારી દર્શાવી હતી. લાંબા ગાળાના લક્ષ્ય તરીકે બંને દેશો વચ્ચે વેપારને 500 અબજ ડોલર સુધી વધારવાની વાત પણ ચર્ચાઈ હતી.
