અમરેલી
વનવિભાગ ખેડૂતોને ડરાવવાની વાતો કરે તો સીઆરપીસીની જોગવાઇ જોઇ લેવી જોઇએ
અમરેલી જિલ્લામા સાવરકુંડલાના એક કાર્યક્રમમાં ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે ઇફકોના ચેરમેન અને ભાજપ નેતા અને પૂર્વ કાયદામંત્રી દિલીપ સંઘાણી ખૂલીને બોલ્યા છે. તેમણે જણાવ્યું કે ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે મને ગઇકાલે કોડીનાર તાલાલા ગીર વિસ્તારના કિસાન સંઘના ખેડૂતો મને મળ્યા હતા અને તેઓ મોટુ સંમલેન કરવાના છે. હું કહીશ કે, વન વિભાગ ખેડૂતોને ડરાવવા માંગતા હોય, જેલમાં પુરવાની વાતો કરતા હોય તો સીઆરપીસીની જોગવાઇ જોઇ લેવી જોઇએ. દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં 39 જેટલા લોકોના મૃત્યુ જંગલી વન્યપ્રાણીના હુમલાના કારણે થયા છે. 239 જેટલા લોકોને ગંભીર ઇજાઓ થઈ છે. જો માણસ માટે સ્વબચાવનો અધિકાર હોય તો જંગલી પ્રાણી માટે કેમ નહિ.. આવા અનેક મુદાઓ સાથે અમારી વિચારમંચ પર અમારી રજૂઆતો ચાલુ છે. આ વિચારોના આધારે સરકારએ નિયમોમાં ફેરફાર કરવા જોઈએ.
ઇકોઝોન મુદ્દે ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢના ખેડૂતો સંગઠનો દ્વારા આવેદન પત્ર આપી રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવયા બાદ આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર વિરોધ ખેડૂતો કરી રહ્યા છે તેવા સમયે ખેડૂતો ઇકોઝોન અટકાવવા માંગ વચ્ચે દિલીપ સંઘાણી ખેડૂતોની વ્હારે આવ્યા છે.
અમરેલી
કોડીનાર તાલુકાના વડોદરા ગામના યુવાનના મૃત્યુ કેસમાં 66.45 લાખનું વળતર ચૂકવવા આદેશ
અકસ્માતના બનાવમાં મોટર એક્સિડેન્ટ કલેમ ટ્રિબ્યુનલનો ચુકાદો
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડોદરા ગામના આશાસ્પદ અને નવયુવાન સ્વ વિપુલભાઈ રાણાભાઇ વાળા બાંધકામ કોન્ટ્રાક્ટર નું કામ કરતા હતા અને તેઓ ગત તારીખ 08/11/2022 ના રોજ રાત્રિના આશરે 9:30 કલાકની આસપાસ તેઓના હવાલા વાળી મોટરસાયકલ રજીસ્ટર નંબર ૠઉં-32-અઇ-5913 લઈને ઝાંઝરીયા ગામેથી તેઓનું કામકાજ પતાવી કડોદરા ગામ તરફ આવતા હતા તેવા સમયે કોડીનાર ઉના હાઇવે રોડ પર જાયકા હોટલ હોટલ પાસે પહોંચતા ટ્રેક્ટર રજીસ્ટર નંબર ૠઉં-17-ઉ-2094 ના ડ્રાઈવરે ગુજરનારની મોટરસાયકલને હડફેટે લેતા ગંભીર સ્વરૂૂપની ઇજાઓ થતા તારીખ 27/11/2022 ના રોજ અકસ્માતે મોત નીપજેલ.
જેમાં કોડીનાર પોલીસે અકસ્માત કરનાર ટ્રેક્ટરના ડ્રાઇવરની સામે ધોરણસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ ત્યારબાદ આ બાબતે ગુજરનારના વારસદારોએ કોડીનાર ના એડવોકેટ પ્રતાપસિંહ વી. ચાવડા દ્વારા મહેરબાન કોડીનારના મોટર એક્સી ક્લેમ ટ્રીબ્યુનલ સમક્ષ તારીખ 21/12/2022 ના રોજ ક્લેમ કેસ નંબર 25/2022 થી અકસ્માત કરનાર ટ્રેક્ટરના માલિક તેમજ ડ્રાઇવર સામે ક્લેમ અરજી દાખલ કરેલ જે અરજીના કામે મહેરબાન કોડીનારના મોટર એકસી ક્લેમ ટ્રિબ્યુનલ જજ એસ. આઈ. ભોરાણીયાએ આ કામે અરજદારોએ રજૂ કરેલ પુરાવા તથા એડવોકેટ પ્રતાપસિંહ વી. ચાવડાની દલીલો ધ્યાને લઈ તારીખ 14/10/2024 ના રોજ ગુજરનારના વારસદારોને વળતર ની રકમ રૂૂપિયા 66,45,000/- તેમજ તેના ઉપર અરજી ની તારીખથી 9% લેખેનું વ્યાજ રૂૂપિયા 12,00,000/- મળી કુલ રૂૂપિયા 78,45,000/- તથા ખર્ચ સહિતની તમામ રકમ ચૂકવવા સામાવાળા ડ્રાઇવર તથા માલિક ની સામે હુકમ કરેલ છે.
આ બનાવમાં સંડોવાયેલ ટ્રેક્ટર ના માલિકે વીમો ઉત્તરાવેલ ન હોય જેથી આવડી મોટી રકમ ટ્રેક્ટર ના ડ્રાઈવર તથા માલિક સંયુક્ત તથા વિભક્ત રીતે ચૂકવવા જવાબદાર થયા છે. આના ઉપરથી વાહન માલીકોએ વીમો લેવો કેટલું જરૂૂરી છે તેનો બોધપાઠ લેવો જોઈએ.
અમરેલી
બગસરા પંથકમાં અઢી ઈંચ વરસાદ: મુંજીયાસર ડેમ થયો છલોછલ
ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના ઊભા પાકને નુક્સાની
બગસરાપંથકમાં મેઘમહેર ધીમીધારે અઢી ઈંચ વરસાદ પડ્યો સાંજના ચારથી 8:30 સુધીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે બગસરા ના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા તથા ગ્રામ્ય વિસ્તારમાં મોટા મુંજીયાસર નાના મુંજીયાસર રફાળા લુંગીયા ઝાંઝરીયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
તેમજ મુંજીયાસર ડેમમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ હોવાને કારણે 98% જેવો ડેમ ભરાઈ ગયો છે. અને હજુ પાણીની આવક ચાલુ છે મુંજીયાસર ડેમ ભરાઈ જવાની પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે ખેડૂતોમાં ખેતરોમાં નુકસાની જોવા મળી રહી છે અમુક ઉભા પાકને ભારે નુકસાની થઈ હોવાનું ખેડૂતો પાસેથી જાણવા મળેલ છે જેવો વરસાદ પડતા વરસાદ પડતા સમગ્ર બગસરા પંથકમાં ઠંડક પ્રસરી હતી.
અમરેલી
અમરેલીમાં એટીએમ કાર્ડ બદલી નાણાં પડાવતી ત્રિપુટીની ધરપકડ
અમરેલીમાં થોડી દિવસ પહેલા એટીએમમાં પૈસા ઉપાડવા આવેલા વ્યકિતનું કાર્ડ બદલી નાણા ઉપાડી લઇ છેતરપીંડીના ગુનામાં પોલીસે ત્રીપુટીને ઝડપી તેમની પાસેથી તમામ રોકડ અને કાર સહીત રૂા.4.33 લાટનો મુદામાલ જપ્ત કર્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલીમાં નાગનાથ બ્રાન્ચના એટીએમમાં એક વ્યકિત પૈસા ઉપાડવા આવી હતી. આ સમયે આરોપીએ એટીએમ કાર્ડ બદલી બીજુ એટીએમ કાર્ડ આપી દીધું હતું. ત્યારબાદ તેમના કાર્ડ થકી અન્ય બ્રાન્ચના એટીએમમાંથી 20 હજાર ઉપડી ગયાનો મેસેજ આપતા તેઓએ ફરીયાદ નોંધાવી હતી.
આ મામલે આરોપીઓને પકડી લેવા અમરેલી સીટી પોલીસ સ્ટાફે તપાસ કરી બાતમીને આધારે સોનુ ઉર્ફે સુનિલ આત્મારામ બીડુ (રહે.હરીયાણા), જોની ઉર્ફે મનુ આત્મારામ બીડુ અને અજય બલરાજ ખટક (રહે.હરીયાણા)ની ધરપકડ કરી તેમની પાસેથી 22800ની રોકડ, ત્રણ મોબાઇલ ત્રણ બેંકના ડેબીટ કાર્ડ અને એક સ્વીફટ કાર સહીત રૂા.4.33 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
-
ક્રાઇમ1 day ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
આંતરરાષ્ટ્રીય1 day ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ગુજરાત1 day ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત1 day ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત
-
ગુજરાત1 day ago
વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો
-
ગુજરાત1 day ago
ત્રણેય ઝોનમાં 84 આસામી પાસેથી 12.74 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
આંતરરાષ્ટ્રીય1 day ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ