ગુજરાત
હેલ્થ સેન્ટરમાં દીકરીનો જન્મ થશે તો જિ.પં. આપશે રૂા.4000
વિચરતી જાતિના વિદ્યાર્થીઓને ધો.12 સુધી દર વર્ષ રૂા.5000ની સ્કોલરશિપ ચૂકવાશે: જળસંચય યોજના અંતર્ગત કામ દીઠ રૂા.60000ની જોગવાઇ: પ્રમુખ સહિત સભાસદોએ પોતાનું વેતન આકસ્મિક ફંડમાં જમા કર્યું: સામાન્ય સભામાં વિવિધ ઠરાવોને બહાલી
રાજકોટ જિલ્લા પંચાયત કચેરીનું હોસ્પીટલ ચોકમાં આવેલ જુની કોર્ટમાં સ્થળાંતર કર્યા બાદ આજે પ્રથમ સામાન્ય સભા યોજાઇ હતી. આ સભામાં વિવિધ ઠરાવો રજુ કરવામાં આવ્યા હતા જેને તમામ સભ્યોએ બહાલી આપી હતી. રાજકોટ જિલ્લાના હેલ્થ સેન્ટરોમાં દિકરીનો જન્મ થશે તો જિલ્લા પંચાયત દ્વારા રૂા.4 હજાર ચુકવવામાં આવશે તેમજ વિચરતી જાતીના વિદ્યાર્થીઓને દર વર્ષે રૂા.5 હજારની સ્કોલરશીપ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લામાં આરોગ્યની સેવાઓ સુદ્રઢ બને અને ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લોકોને તાલુકા અને જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં યોગ્ય સારવાર મળી રહે તેમજ હેલ્થ સેન્ટરોમાં સારવાર માટે મોટા પ્રમાણમાં લોકો આવે તેમજ સગર્ભા મહીલાઓને સારવાર મળી રહે તે માટે જિલ્લા પંચાયત દ્વારા પોષણ સહાય યોજના શરૂ કરવમાં આવી છે. આ યોજના અંતર્ગત દિકરીના જન્મ સમયે પરિવારને એક કીલો ગીર ગાયનું ઘી, દવાની કીટ અને જરૂરીયાત મુજબના કપડા માટે રૂા.4 હજારની મદદ કરવામાં આવશે. તે માટે અંદાજે 10 લાખ રૂપીયાની જોગવાઇ આગામી રિવાઇઝ બજેટમાં કરવા ઠરાવ કરાયો હતો. આ યોજના અમલમાં લાવનાર રાજકોટ જિલ્લા પંચાયત રાજયની પ્રથમ સ્થાનીક સંસ્થા બની છે.
જિલ્લામાં વસવાટ કરતી વિચરતી જાતીના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ સહાય યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ધોરણ 1 થી 12 સુધી દર વર્ષે રૂા.5 હજારની સહાય સ્કોલરશીપના સ્વરૂપે આપવામાં આવશે. જેનો અંદાજે લક્ષ્યાંક 400 રાખવામાં આવ્યો છે અને તેના માટે 20 લાખની જોગવાઇ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં આવેલા કેટલાક તાલુકાઓમાં વિચરતી જાતીના લોકોને વસવાટ બહોળા પ્રમાણમાં છે. તેમના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે આ યોજના શરૂ કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવેલ હતો જેમાં જળ સંચય જન ભાગીદારી અભિયાન હેઠળ તમામ સદસ્ય દીઠ બે હજાર સંચયના કામો આપવામાં આવશે. એક જળ સંચયના કામદીઠ રૂા.60 હજારની સહાય ચુકવવામાં આવશે. જેનો ખર્ચ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આપવામાં આવશે. જળ સંચાય યોજનાની અમલવારીથી રાજકોટ જિલ્લામાં જળનું સ્તર ઉંચું આવશે. બોરના પાણી જે ઉંડા ઉતરી ગયા છે તે ઉપર આવશે. સામાન્ય રીતે જાન્યુઆરી મહીનામાં જ બોરના પાણી સુકાઇ જતા હોય છે પરંતુ આ યોજનાથી ભવિષ્યમાં ખેડુતોને સમસ્યા થશે નહીં.
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા આકસ્મીક ખર્ચ માટે સ્વભંડોળ માટે વિકાસ ફંડ નામે સ્થાપના કરવમાં આવી હતી. આ ફંડમાં સામાજીક, ધાર્મીક સંસ્થાઓને પણ જોડાવા માટે અપીલ કરવામાં આવશે અને ફંડને જિલ્લા વિકાસ કામો માટે વાપરવામાં આવશે. જિલ્લા પંચાયત પ્રમુખ સહીત તમામ સભાસદોએ આ વિકાસ ફંડમાં પોતાનું માનદ વેતન આપવાની પણ જાહેરાત કરી ઠરાવ કરવામાં આવ્યો હતો.
જામકંડોરણાના અગ્નિવીર શહીદના પરિવારને 1 લાખની સહાય અર્પણ
તાજેતરમાં જ જામકંડોરણાના વતની અગ્નિવિર સૈનિક વિશ્ર્વરાજસિંહ ગોહીલ નાસીક ખાતે ફરજ દરમિયાન શહિદ થયા હતા. તેઓના પરિવારને રૂ.1 લાખની સહાય ચુકવવામાં આવી હતી. ઉપરાંત શહિદ તેમજ જિલ્લા પંચાયતના મૃતક કર્મચારી અને દેશના ઉદ્યોગપતિ રતન ટાટાને મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી.
પાક સરવેમાં વહાલા-દવલાની નીતિ: પ્રમુખ-સભ્ય વચ્ચે શાબ્દિક બોલાચાલી
રાજકોટ જિલ્લામાં પડેલા વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકશાન થયું છે. તેના સર્વેની કામગીરી કરવામાં આવી હતી. જે કામગીરી પુર્ણ થઇ ગઇ હોવાનો રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસના ભાડલા બેઠકના સભ્ય મનસુખ સાકરીયાએ કહ્યું હતું કે સર્વેની કામગીરીમાં વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે અને મેં જે ગામો અંગે રજુઆત કરી છે તે ગામોને નજરઅંદાજ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ સભ્યની આ રજુઆતને જિલ્લા પંચાયત પ્રમુખે સસ્તી પ્રસિધ્ધી જણાવતા સામાન્ય સભામાં પ્રમુખ અને સભ્યો વચ્ચે શાબ્દીક બોલાચાલી થઇ હતી.
ગુજરાત
કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત
શહેરના રેલનગરમાં આવાસ ટાઉનશીપમાં રહેતા યુવાને કોઈના દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં તેવી સ્યુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલી ભગીની ટાઉનશીપમાં રહેતા અક્ષય ભીમજીભાઈ સરવૈયા (ઉ.વ.24) નામના યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પ્રનગર પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોિસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસને મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, મારા મોત માટે હું જ જવાબદાર છું તેમ લખેલું હતું.
પ્રાથમિક તપાસમાં મૃતક અક્ષય એક બહેનનો એકનો એક મોટો ભાઈ હતો તે અગાઉ સીટીબસમાં નોકરી કરતો હતો તેના પિતા રીક્ષાચાલક છે. યુવાને આ પગલું શા માટે ભરી લીધું? તે અંગે પરિવારજતો પણ અજાણ હોયપોલીસે આપઘાતનું કારણ જાણ તપાસ હાથ ધરી છે. જ્યારે એકના એકપુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
ગુજરાત
વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું
ત્રણ કરોડની 3000 ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત કરાવાઇ: લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ તોળાતી કાર્યવાહી
કાલાવડ રોડ પર વાગુદડ ગામમાં મહંતયોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશ ધામેલીયા દ્વારા સરકારી ખરાબાની 3000 ચોરસ મીટર જગ્યા ઉપર આશ્રમ બનાવી અને દબાણ કરી કબજો કરવામાં આવ્યો હતો. આ આશ્રમમાંથી તાજેતરમાં જ ગાંજાના છોડવા પણ ઝડપાયા હતા. સરકારી જમીન પર કબજો જમાવતા તંત્ર દ્વારા નોટીસ ફટકારવાામં આવી હતી. નોટીસનો જવાબ નહીં આપતા રાજકોટ કલેકટરના માર્ગદર્શન અને સુચનાથી આજે ત્રણ કરોડની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલ આશ્રમના દબાણ ઉપર બુલડોઝર ફેરવી અને ખુલ્લી કરાવાઇ હતી.
રાજકોટના ભાગોળે આવેલ વાગુદડ ગામે વિવાદિત યોગી ધર્મનાથ સાધુના આશ્રમ આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. રાજકોટ જિલ્લા કલેકટર ની સૂચના મુજબ લોધિકા મામલતદાર તેમજ ફાયરની અને પોલીસને બંદોબસ્ત વચ્ચે યોગી ધર્મનાથ સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું હતું. વાગુદાળ -વાજડીવડનો સર્વે નંબર 32 પર સરકારી જમીન પર આશ્રમ બનાવી લેવામાં આવ્યો હતો જે આજે તંત્ર દ્વારા 3000 ચો. મી જેટલી જમીન ખુલી કરવામાં આવી હતી આ જમીનની બજારની અંદાજિત કિંમત 3 કરોડ રૂૂપિયા જેટલી આંકવામાં આવી હતી અને આગામી દિવસોમાં ફરી કોઈ દબાણ ન કરે તે માટે જમીનને ફરતે આગામી દિવસોમાં બાઉન્ડ્રી દિવાલ બાંધવામાં આવશે
પરમહંતયોગી ધરમ નાથ ઉર્ફે જીજ્ઞેશ ધામેલીયા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ અનુસંધાને આગામી દિવસોમાં કલેક્ટર તંત્ર દ્વારા સાધુ સામે લેનગ્રેબિંગની ફરિયાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે. આગામી દિવસોમાં મામલતદાર દ્વારા લેનગ્રેબિંગ કમિટીને આ અંગે ભલામણ કર્યા બાદ સરકાર તરફથી ફરિયાદી બને અને મહંત સામે ફરિયાદ નોંધાય તેવી સુત્રોમાં ચર્ચા થઇ રહી છે. કલેકટર તંત્ર જિલ્લામાં રહેલા બે હજારથી વધુ ધાર્મિક દબાણ પર નોટીસો આપવામાં આવી છે. અને ટૂંક સમયમાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે
ગુજરાત
રાજકોટ શહેર-જિલ્લાના 22 નાયબ મામલતદારોની બદલી
બે વર્ષથી એક જ જગ્યાએ રહેલા નાયબ મામલતદારો બદલ્યા
દિવાળીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકર પ્રભવ જોશી દ્વારા દિવાળી પહેલા નાયબ મામલતારોને બદલી કરવામાં આવી છે. એક સાથે રાજકોટ શહેર અને ગ્રામ્યના 22 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. એક જ જગ્યાએ બે વર્ષથી પણ વધુ સમય રહેલા નાયબ મામલતારોની બદલી કરવામાં આવી છે.
જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા ગઈકાલે 22 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી હતી. મુખ્યત્વે ઘણા સમયથી ખાલી જગ્યાઓ પડેલી જગ્યા ઉપર બદલી કરવામાં આવી છે તેમજ અન્ય તે મહેસુલ પુરવઠા દબાણ સહિતની જગ્યાઓ બે વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા નાયબ મામલેદારોની બદલી જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે ત્યારે દિવાળી પહેલા બદલી કરવામાં આવતા જ નાયબ મામલતારોને દિવાળી પણ બગડી છે.
આગામી દિવસોમાં નાયબ મામલતદારોના પ્રમોશન પણ આવી શકે છે અને રાજકોટ જિલ્લાના છ જેટલા નાયબ મામલતદારને મામલતદારના પ્રમોશન તેવી શક્યતાઓ છે. તે પહેલા કલેકટર દ્વારા નાયબ મામલતદારોની બદલીનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો છે.
કલેકટરો સાથે રેવન્યુ સચિવની રેવ્યૂ બેઠક
રાજકોટ સહિત રાજ્યભરના કલેકટરો સાથે રેવન્યુ સચિવ દ્વારા આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેવન્યુ અને દબાણો અંગે માહિતી મેળવવામાં આવી હતી તેમજ વિવિધ કલેકટરો અને કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયમાં સરકારી જમીનો ખુલ્લી કરવા અંગેની પણ માહિતીઓ કલેકટર પાસેથી રેવન્યુ સચિવએ મેળવી હતી.
-
ક્રાઇમ17 hours ago
ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ
-
રાષ્ટ્રીય14 hours ago
બહુચરાઈ હિંસાના આરોપીઓ આવ્યા સામે,મુખ્ય આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર,નેપાળ ભાગી રહ્યા હતા
-
આંતરરાષ્ટ્રીય2 days ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
રાષ્ટ્રીય1 day ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
ગુજરાત2 days ago
મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર
-
ગુજરાત2 days ago
શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં
-
ગુજરાત2 days ago
શાકભાજીના કચરામાંથી ખાતર બનાવતા પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર દેસાઇ
-
ગુજરાત2 days ago
શહેરમાં લટકતા જોખમી 1270 બોર્ડ-બેનરો ઉતારતી મનપા